સભ્ય:Dipak kharadi/હોમરુલ આંદોલન

વિકિપીડિયામાંથી

હોમરુલ આંદોલન હોમરુલ આંદોલન એ હિંદુ રાષ્ટ્ર્વાદથી પ્ર્ભાવિત થયેલું એક બંધારાણીય અને શાંત આંદોલન હતુ, કે જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રજ્યમાં રહીને ભારત માટે સ્વરાજ મેળવવાનો હતો. આ આંદોલન સાથે સંકળાયેલા મુખ્ય નેતાઓમાં લોકમાન્ય ટિળક અને એની બેસન્ટ નો સમાવેશ થતો હતો. અંગ્રેજોને 'સ્વરાજ' શબ્દના પ્રયોગ પ્રત્યે અણગમો હતો અને એ શબ્દને તેઓ 'રાજદ્રોહી' અને 'જોખમકારક' ગણતા હતા. તેથી લોકમાન્ય ટિળકે સ્વરાજ શબ્દના વિકલ્પ તરીકે હોમરુલ (Home rule) શબ્દ પ્રયોજ્યો હતો.[૧] [૨]

ઉદ્દેશો[ફેરફાર કરો]

આ અન્દોલન ના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ હતા:[૧]

૧.સ્થાનિક સન્સ્થા અને ધારાસભાઓમાં જનતા દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઓનુ શાસન સ્થાપવાનો.

૨ સ્વશાસિત હિંદ પ્રથમ વિશ્વયુદ્ધમા અંગ્રેજોને અધિક સહાયક પુરવાર થશે. તેથી હિંદને સ્વશાસન આપવાથી તેના લોકો અંગ્રેજોને યુદ્ધમાં નિષ્ઠાપુર્વક સેના અને ધનની સહાય કરશે.

૪ પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભ સુધી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમા નિષ્ક્રિયતા આવી હતી, તેથી હોમરુલ આંદોલન ચલાવીને ભરતીય જનતાને નિષ્ક્રિય અવસ્થા માથી જાગ્રુત કરવાનું આવશ્યક હતુ.

હોમરુલ આંદોલન ના મુખ્ય નેતાઓ[ફેરફાર કરો]

  • ડો.એની બેસન્ટ

હિંદમા હોમરુલ આંદોલનના મુખ્ય પ્રણેતા ડો.એની બેસેન્ટ હતા.તેઓ ૧૮૮૯માં થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા અને ૧૮૯૩ માં હિંદમા વસવાટ કર્યો. તે ૧૯૦૭ મા થિયોસોફિકલ સોસાયટી ના પ્રમુખ બન્યા.પછી તેમને હિંદ ના રજકારણમા રુચી જગી અને તેમને વિચાર્યુ કે જ્યા સુધી ભરતના લોકો પ્રતિનિધિત્વ ના કરે ત્યા સુધી ભારત નો રજકીય દરજ્જો ઉંચો આવે નહી તેથી તેમને આયર્લેન્ડની ની 'હોમરુલ'ની જેમ ભારત મ પણ 'સ્વસાસન'ની મંગ માટે આ આંદોલન શરુ કરવાનુ નિર્ધાર્યુ.[૧]

બર્મામાં આવેલ મંડલેમાં ૬ વર્ષની નજરકેદમાથી છુટ્યા બાદ ટિળક ૧૬ જુન ૧૯૦૪ ના રોજ પુના પછા ફ્રર્યા અને તેમને રાષ્ટ્રવાદી પક્ષનુ ફરી સંગઠન કરવાનનુ તેમજ ભારતીય રાજકાણમા ગતિશિલતા પ્રદાન કરવાનુ વિચાર્યુ.અને તેમને વિચાર્યુ કે દેશની વસ્તવિક પ્રગતિ તથા કલ્યાણ મટે 'સ્વરાજ' આવષ્યક હતુ.પોતાના ધ્યેય તરીકે તેમણે 'હોમરુલ'શબ્દ વપર્યો.[૧]

અસરો અને પરિણામો[ફેરફાર કરો]

હોમરુલ આંદોલન દરમિયાન દેશબી આમ જનતામાં અપુર્વ અને આશ્ચર્યજનક જાગૃતિ આવી હતી. ગુજરાતના નગરોમાં હોમરુલ લીગની ૯૦ થી વધારે શાખાઓ સ્થાપવામાં આવી હતી. તેની સભાઓમાં મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલા માણેકલાલ મુનશી જેવા નામાંકીત નેતાઓએ ભાષણ કર્યા હતા.[૨]

આ આંદોલનના પરિણામે સરકારને જવાબદાર રાજ્યતંત્ર આપવાના પોતાના ધ્યેયની ઑગષ્ટ ૧૯૧૭ માં નીતિવિષયક જાહેરાત કરવી પડી હતી. તે મૉન્ટેગ્યૂની જાહેરાત તરીકે જાણીતી થઈ. હોમરુલ આંદોલનને કારણે ગાંધીજીની રાષ્ટ્રિય સત્યાગ્રહની લડતનો પાયો મજબૂત બન્યો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, જશુભાઈ બી (૨૦૧૫). આધુનિક ભારતનો ઈતિહાસ. અમદાવાદ: લિબર્ટી પબ્લિકેશન્સ. પૃષ્ઠ ૧૪૬. ISBN 978-93-85276-29-3.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ શુક્લ, જયકુમાર ર. (ઓગષ્ટ). "હોમરુલ આંદોલન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરતી વિશ્વકોશ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૮૧-૬૮૩. Check date values in: |date= (મદદ)