સ્વર્ગારોહિણી શિખર

વિકિપીડિયામાંથી
સ્વર્ગારોહિણી શિખર
સ્વર્ગારોહિણી શિખર અને બંદરપુંછ શૃંખલા
શિખર માહિતી
ઉંચાઇ6,252 m (20,512 ft) [૧]
અક્ષાંસ-રેખાંશ31°05′04″N 78°30′58″E / 31.08444°N 78.51611°E / 31.08444; 78.51611[૧]
ભૂગોળ
સ્વર્ગારોહિણી શિખર is located in Uttarakhand
સ્વર્ગારોહિણી શિખર
સ્વર્ગારોહિણી શિખર
પિતૃ પર્વતમાળાગઢવાલ હિમાલય
આરોહણ
પ્રથમ આરોહણવર્ષ ૧૯૯૦માં નહેરુ પર્વતારોહણ સંસ્થાના એક દળ દ્વારા
સૌથી સહેલો રસ્તોટેકનીકલ શીલા/હિમ‌આરોહણ

સ્વર્ગારોહિણી શિખર ભારત દેશના ઉત્તર ભાગમાં હિમાલયના એક પર્વતનું શિખર છે. તે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ છે. સ્વર્ગારોહિણી ગઢવાલ હિમાલયમાં સરસ્વતી હારમાળા (બંદરપુંછ)નો એક પર્વત છે. આ પર્વત ગંગોત્રી શિખર સમૂહ પૈકી પશ્ચિમ બાજુ પર આવેલ છે. ગંગોત્રી શિખર સમૂહમાં કુલ ચાર અલગ શિખરો આવે છે: જેમાં સ્વર્ગારોહિણી મુખ્ય શિખર, જે આ લેખનું કેન્દ્ર છે, પરંતુ હિમાલયનાં ધોરણો અનુસાર ન તો વિશેષ ઊંચાઈ ધરાવે છે કે ન તો બંદરપુંછ શૃંખલાનો સૌથી ઊંચો પર્વત છે. આ શિખરનું ઉત્તર તરફનું મુખ માત્ર ૨ કિલોમીટર કરતાં પણ ઓછા અંતરમાં જ ૨૦૦૦ મીટર (૬૫૬૦ ફૂટ) જેટલું નીચે આવી જાય છે અને દક્ષિણ તરફનું મુખ 3 kilometres (1.9 mi) સુધી એટલું જ ઊંચાઈ ધરાવે છે.

આ કારણે તેનું ચઢાણ અત્યંત ઢોળાવવાળું હોવાથી તેનું આરોહણ કપરું અને પડકારરૂપ છે. તેના પૂર્વીય શિખરની ઊંચાઇ 6,247 m (20,495 ft) છે, જે પશ્ચિમી શિખરથી કેટલાક અંશે ઓછી છે. જો કે પશ્ચિમી શિખર પ્રથમ ચડતા આરોહકોનો દાવો છે કે આ શિખર અન્ય બે શિખરો કરતાં અધિક ઊંચું છે.[૨]

આ બરફ-આચ્છાદિત શિખર ટોન્સ નદીનું ઉદ્‌ગમસ્થાન છે અને બંદરપુંછ શૃંખલા સાથે તે યમુના અને ભાગિરથી નદીઓ વચ્ચે પાણીનું વિભાજન કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ એચ. એડમ્સ કાર્ટર, "Classification of the Himalaya", અમેરિકી આલ્પાઇન જર્નલ, ૧૯૮૫, પાના નં॰ ૧૪૧।
  2. Kamal K. Guha, "Swargarohini", American Alpine Journal, ૧૯૭૬, p. 527.