૪૮ કડવા પાટીદાર

વિકિપીડિયામાંથી

૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૪૮ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજને વઢીયાર સમાજ પણ કહેવામાં આવે છે.

કડવા પાટીદારમા આ સિવાય નિચેના સમાજ હોય્ છે.


  1. ૫૨ કડવા પાટીદાર
  2. ૮૪ કડવા પાટીદાર
  3. ૭૨ કડવા પાટીદાર
  4. ૧૨ કડવા પાટીદાર
  5. ૪૨ કડવા પાટીદાર


ગામો[ફેરફાર કરો]

શેર, આલમપુર, કાચરોલ, કુણપુર્, કોચાડા, ગીતાપુર, ગોરીયાવડ, ચણોઠીયા, જરવલા, ઝાઝરવા, ઝુડ, ટ્ર્ન્ટ, ડુમાણા, ડેડાણા, ઢેડાસણા, દાલોદ, ધાકડી, નવરગપુરા, નાનાઉભડા, નાયકપુર, પ્રતાપગઢ, બામણવા, ભડાણા, ભોજવા, માડલ, મોટા ભડા, રખીયાણા, રીબડી, વરમોર, વનપરડી, વણોદ, વાસણા, વિછણ, વિઝુવાડા, સીતાપુર, સુરજપુર, સોલગામ, હાસલપુર.