લખાણ પર જાઓ

અંજલિ ખાંડવાળા

વિકિપીડિયામાંથી
અંજલિ ખાંડવાળા
જન્મ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૦ Edit this on Wikidata
મૃત્યુ૧૧ એપ્રિલ ૨૦૧૯ Edit this on Wikidata
વ્યવસાયબાળસાહિત્ય લેખક Edit this on Wikidata

અંજલિ ખાંડવાળા (૧૯૪૦ ― ૧૧ એપ્રિલ ૨૦૧૯) એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક અને ગાયક હતા.[]

તેઓ વેનિઅર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી અધ્યાપક હતા. તેઓ ૧૯૭૫માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.[]

લીલો છોકરો તેમનો કિશોર વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ આંખની ઇમારત (૧૯૮૮)માં પંદર ટૂંકી વાર્તાઓ છે.[] આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. ઘૂંઘટ કે પટ ખોલ તેમનો બીજો નવલિકાસંગ્રહ છે જે ખૂબ વખણાયેલો. સંગ્રહમાં "ચાંદલાનો વ્યાપ" અને "શક્તિપાત" જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે.[][]

૨૦૧૯માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ અરીસામાં યાત્રા પ્રકાશિત થયો.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ કિશોર જાદવ (૨૦૦૨). Contemporary Gujarati Short Stories: An Anthology. Indian Publishers Distributors. p. xxiv. ISBN 978-81-7341-226-4.
  2. Amina Amin; Manju Verma; Gujarāta Sāhitya Akādamī (૨૦૦૨). New horizons in women's writing: a selection of Gujarati short stories. Gujarat Sahitya Academy. pp. xix, 166.
  3. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. pp. ૨૬૭–૨૬૮. ISBN 978-93-5108-247-7.
  4. Indian Horizons. Indian Council for Cultural Relations. ૧૯૯૯. p. ૧૫૬.