અંજલિ ખાંડવાળા
દેખાવ
અંજલિ ખાંડવાળા | |
---|---|
જન્મ | ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૦ ![]() |
મૃત્યુ | ૧૧ એપ્રિલ ૨૦૧૯ ![]() |
વ્યવસાય | બાળસાહિત્ય લેખક ![]() |
અંજલિ ખાંડવાળા (૧૯૪૦ ― ૧૧ એપ્રિલ ૨૦૧૯) એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક અને ગાયક હતા.[૧]
તેઓ વેનિઅર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી અધ્યાપક હતા. તેઓ ૧૯૭૫માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.[૨]
સર્જન
[ફેરફાર કરો]લીલો છોકરો તેમનો કિશોર વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ આંખની ઇમારત (૧૯૮૮)માં પંદર ટૂંકી વાર્તાઓ છે.[૧] આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. ઘૂંઘટ કે પટ ખોલ તેમનો બીજો નવલિકાસંગ્રહ છે જે ખૂબ વખણાયેલો. સંગ્રહમાં "ચાંદલાનો વ્યાપ" અને "શક્તિપાત" જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે.[૩][૪]
૨૦૧૯માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ અરીસામાં યાત્રા પ્રકાશિત થયો.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ કિશોર જાદવ (૨૦૦૨). Contemporary Gujarati Short Stories: An Anthology. Indian Publishers Distributors. p. xxiv. ISBN 978-81-7341-226-4.
- ↑ Amina Amin; Manju Verma; Gujarāta Sāhitya Akādamī (૨૦૦૨). New horizons in women's writing: a selection of Gujarati short stories. Gujarat Sahitya Academy. pp. xix, 166.
- ↑ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. pp. ૨૬૭–૨૬૮. ISBN 978-93-5108-247-7.
- ↑ Indian Horizons. Indian Council for Cultural Relations. ૧૯૯૯. p. ૧૫૬.