આવસ્સય-સુત્ત
દેખાવ
આવસ્સય-સુત્ત (સંસ્કૃત: આવશ્યક સૂત્ર) જૈન ધર્મના શ્રાવકના નિત્યક્રમમાં આવેલ છ આવશ્યક ક્રિયાનુષ્ઠાનોનું નિરૂપણ કરતો પ્રાચીન ગ્રંથ છે.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]આ ગ્રંથના છ અધ્યાય છે: સામાયિક, ચતુર્વિંશતિસ્તવ (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન.[૧]
ટીકાઓ
[ફેરફાર કરો]આ ગ્રંથ પર ભદ્રબાહુએ આવસ્સય-નિજ્જુત્તિ નામે નિર્યુક્તિ (પૃથક્કરણ) લખી છે.[૧] હરિભદ્રસૂરિએ 'શિષ્યહિતા' નામે આ ગ્રંથની ટીકા કરી છે જેમાં ૩૫ અધ્યાયોમાં ૬ આવશ્યકનું વર્ણન અનેક પ્રાકૃત અને સંસ્કૃત કથાઓ સાથે કર્યું છે.[૧] અન્ય ટીકાઓમાં મલયગિરિની પણ એક ટીકા અને તિલકાચાર્યની લઘુવૃત્તિ છે.[૧]
જિનદાસગણિ મહત્તર દ્વારા આ ગ્રંથની આવસ્સય–ચૂન્નિ નામક ગ્રંથમાં ટીકા કરવામાં આવી છે.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 4 5 મહેતા, ગીતા. "આવસ્સય-સુત્ત – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-10-21.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - ↑ "આવસ્સય–ચૂન્નિ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-07-21.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)