કપ્પસુત્ત
| કપ્પસુત્ત | |
|---|---|
| માહિતી | |
| ધર્મ | જૈન ધર્મ |
| લેખક | ભદ્રબાહુ |
કપ્પસુત્ત (સંસ્કૃત: કલ્પસૂત્ર) એ દસાસુયકખંધ (સંસ્કૃત: દશાશ્રુતસ્કંધ)નું આઠમું અધ્ધયન અને એક જૈન ગ્રંથ છે જે જૈન તીર્થંકરોનાં જેમ કે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં જીવનચરિત્ર ધરાવે છે. [૧][૨] દસાસુયકખંધ અર્ધમાગધીમાં રચાયેલ ૬ જૈન છેદસૂત્રોમાંનું એક છે. પરંપરાગત માન્યતા અનુસાર તેની રચના ભદ્રબાહુએ કરી હોવાનું માનવામાં આવે છે, તે પરથી તેની રચના ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. [૩] મહાવીર સ્વામીના નિર્વાણ કે મોક્ષ ગમન પછી પછી લગભગ ૯૮૦ અથવા ૯૯૩ વર્ષ પછી લખવામાં આવી હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]જૈન ધર્મના શ્વેતાંબર ફિરકા પાસે ઉપલબ્ધ છ સાહિત્ય ભંડોળના છેદ સૂત્રો પૈકીનું આ એક સૂત્ર છે. આ સૂત્રમાં વિગતવાર જીવન ચરિત્રો આપેલા છે અને ૧૫ સદીની મધ્યથી તેમાં લઘુ ચિત્રો પણ મુકવામાં આવ્યા છે. તેની ઉપલબ્ધ સૌથી જુની પ્રત ૧૪મી સદીમાં પશ્ચિમી ભારતમાં કાગળ પર લખાયલી પ્રત છે.
કલ્પસૂત્ર ભદ્રબાહુ દ્વારા લખાયલી માનવામાં આવે છે, પરંપરાગત રીતે તે મહાવીરના નિર્વાણ (મૃત્યુ) પછીના ૧૫૦ વર્ષ બાદ રચાયેલી હોવાનું કહેવાય છે. [૩] તે મોટે ભાગે મહાવીરના મિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષો બાદ ધ્રુવસેનાના શાસન દરમિયાન લખાયેલી હોવાની સંભાવના છે. [૪]
લેખન
[ફેરફાર કરો]દસાસુયકખંધમાં કુલ દસ પ્રકરણો છે. એમાં આઠમા અને દસમા પ્રકરણને અધ્યયન અને બાકીનાંને ‘દશા’ તરીકે ઓળખવામાં આવેલાં છે.[૫]
સૂત્રના પ્રથમ પ્રકરણમાં અસમાધિનાં વીસ સ્થાન ગણાવવામાં આવ્યાં છે. બીજા પ્રકરણમાં શબલનાં એકવીસ સ્થાનનો ઉલ્લેખ છે જેમાં હસ્તકર્મ, મૈથુન, રાત્રિભોજન, રાજપિંડગ્રહણ, ગણાન્તર ઇત્યાદિ મુખ્ય છે. તે પછીના ત્રીજા પ્રકરણમાં સાધુઓ માટે વર્જિત એવા આશાતનાના ત્રેવીસ પ્રકારોનું વર્ણન છે.[૫]
ગ્રંથના ચોથા પ્રકરણમાં આઠ ગણિસંપદાઓનું સવિસ્તર વર્ણન છે. તે પછીના પાંચમા પ્રકરણમાં ચિત્તસમાધિસ્થાનનું વર્ણન છે. છઠ્ઠા અને સાતમા પ્રકરણમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું અને ભિક્ષુની બાર પ્રતિમાઓનું અનુક્રમે વર્ણન છે.[૫]
દસાસુયકખંધનું આઠમું પ્રકરણ વિશિષ્ટ છે; પર્યુષણપર્વ દરમિયાન આ પ્રકરણનું વાચન થતું હોવાથી તે પજ્જોસણાકપ્પ (પર્યુષણકલ્પ) કે કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરના "જીવનનું સુંદર વિસ્તૃત વર્ણન છે". કલ્પસૂત્રના પ્રથમ ભાગ જિનચરિતમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષનું આલેખન જોવા મળે છે. આ ભાગમાં "ક્યાંક ક્યાંક સુંદર કાવ્યમય ભાષાનો પ્રયોગ થયેલ છે."[૨] મહાવીર સ્વામીના ચરિત્ર પછી પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોનાં ચરિત્ર વર્ણવવામાં આવ્યાં છે. બીજા ભાગ સ્થવિરાવલીમાં સ્થવિરોનાં ગણ, શાખા અને કુળોનો ઉલ્લેખ છે, જે પૈકીના અનેક મથુરાના ઈસવી સનની પ્રથમ શતાબ્દીના શિલાલેખોમાં ઉત્કીર્ણ થયેલા છે. અહીંની સ્થવિરાવલી નન્દીસૂત્રની સ્થવિરાવલીથી થોડી જુદી પડે છે. ત્રીજા ભાગમાં સામાચારી અર્થાત્ સાધુઓ માટેના આચરણના નિયમોનું વિવેચન છે.[૨]
દસાસુયકખંધના નવમા પ્રકરણમાં મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનોનું આલેખન છે અને છેલ્લા દશમા પ્રકરણમાં નવ નિદાનોનું વર્ણન છે.[૫]
મહત્વ
[ફેરફાર કરો]જૈનોના આઠ દિવસીય પર્યુષણ પર્વ દરમ્યાન મહોત્સવમાં જૈન સાધુઓ લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન અને વર્ણન કરે છે. આ ધર્મગ્રંથો ફક્ત સાધુઓ જ વાંચી શકે છે, આ પુસ્તક ખૂબ ઊંચા આધ્યાત્મિક મૂલ્યો ધરાવે છે.

આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]ટાંકણ
[ફેરફાર કરો]- ↑ Jacobi, Hermann; Ed. F. Max Müller (1884). Kalpa Sutra, Jain Sutras Part I, Sacred Books of the East, Vol. 22. Oxford: The Clarendon Press.
- 1 2 3 "કલ્પસૂત્ર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-13.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "Mahavira." Britannica Concise Encyclopedia. Encyclopædia Britannica, Inc., 2006. Answers.com 28 Nov. 2009. http://www.answers.com/topic/mahavira
- ↑ Kailash Chand Jain 1991.
- 1 2 3 4 "કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-13.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
સ્ત્રોતો
[ફેરફાર કરો]- Dundas, Paul (2002) [1992], જૈન (બીજું સંપાદન), રાઉટલેજ, આઈએસબીએન Dundas, Paul
- Jain, Kailash Chand (1991), લોર્ડ મહાવરા અને હિઝ ટાઇમ્સ, મોતીલાલ બનારસિદાસ, આઈએસબીએન Jain, Kailash Chand
- હર્મન જેકોબી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત "ધ કલ્પ સત્ર" દિલ્હીમાં મોતીલાલ બનારસિદાસ પબ્લિશર્સ દ્વારા "ધ સેક્રેડ બુક્સ theફ ઇસ્ટ " (ભાગ 22) (1989) માં પ્રકાશિત કરાઈ ISBN 81-208-0123-7