ઇસ્લામના ઉદ્ભવ પૂર્વેનાં અરબ જગતના ધર્મો
ઇસ્લામના ઉદ્ભવ પૂર્વેનાં અરબ જગતમાં વિવિધ સ્થાનિક એનીમીસ્ટીક-બહુઇશ્વરવાદ આધારીત માન્યતાઓની સાથે સાથે ખ્રીસ્તી, યહુદી, મન્ડેઇઝમ અને ઇરાનીયન ઝર્થુસ્ત, મીથરીઝમ અને પર્શિયન મનીચેઇઝમ જેવા ધર્મો વ્યાપ્ત હતાં. ઇસ્લામના ઉદ્ભવ પૂર્વેનાં અરબ જગતમાં વિવિધ દેવી-દેવતાઓ અને આત્માઓના પુજન પર આધારીત બહુઇશ્વરવાદ પ્રબળ હતો. હુબલ, દેવી અલ-લાત, દેવી અલ-ઉઝા અને દેવી મનત સહિતના વિવિધ દેવી-દેવતાઓની ઉપાસના મક્કાના કાબા સહિતના મંદિરો અને દેવળોમાં કરવામાં આવતી હતી. દેવતાઓનું પુજન કરવામાં આવતું, તેમને વિવિધ ધાર્મિક વિધિઓ જેમકે યાત્રાઓ કરીને, ભવિષ્યકથન સાથે સાથે બલીઓ ચઢાવીને મનાવવામાં આવતાં હતાં. મક્કાના ધર્મમાં અલ્લાહની ભૂમિકા અંગેના વિવિધ સિધ્ધાંતો પ્રવર્તતા હતાં. ઘણા ભૌતિક વર્ણનો પ્રમાણેના મૂર્તિ સ્વરૂપે ઇશ્વરો ઇસ્લામના ઉદ્ભવ પૂર્વેના મક્કા આસપાસના વિસ્તારમાં ખાસ કરીને કાબાની આસપાસ મળી આવેલ છે. જે લગભગ 360 જેટલા હોવાનું માનવામાં આવે છે.
અન્ય ધર્મોનું ઓછા વધતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ જોવા મળતું હતું. પડોશમાં આવેલ રોમન, અક્સુમાઇટ અને સાસાનીયન સામ્રાજ્યોના પ્રભાવના કારણે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને દક્ષીણ અરેબીયામાં ખ્રીસ્તી કૉમ્યુનીટી જોવા મળતી હતી. ખ્રીસ્તી ધર્મની અસર ઓછી હતી, પરંતુ તેમણે આરબ વિશ્વમાં ધર્માંતરણો સુનિશ્ચિત કર્યા હતાં. ઉત્તર-પૂર્વ તથા પર્શિયન અખાતમાં નેસ્ટોરીએનીઝમના અપવાદ સાથે મીઆફાઇટીઝમ સ્વરૂપે ખ્રિસ્તીઓ સૌથી વધારે પ્રબળ હતા. રોમનકાળથી આ પ્રદેશ યહુદીઓના સ્થળાંતર માટેનું ગંતવ્યસ્થાન હતું, જેના કારણે સ્થાનિક ધર્માંતરીતો સાથે ડાયસ્પોરા સમૂદાયનું પ્રમાણ પણ વધ્યું હતું. આ ઉપરાંત સાસાનીયન સામ્રાજ્યના પ્રભાવથી ઇરાની ધર્મોની હાજરી પણ દ્વિપકલ્પમાં જોવા મળતી હતી. ઝર્થુસ્ત ધર્મ પૂર્વ અને દક્ષીણમાં જોવા મળતો હતો, જ્યારે મક્કામાં મનીચેઇઝમના પુરાવાઓ મળ્યા છે જ્યારે શક્યતઃ મઝદાઇઝમ પણ મક્કામાં પાળવામાં આવતો હતો.
પૃષ્ઠભૂમિ અને સ્રોત
[ફેરફાર કરો]લગભગ ચોથી સદી સુધી, અરેબિયાના લગભગ તમામ રહેવાસીઓ બહુઇશ્વરવાદી ધર્મોનું પાલન કરતા હતા. જોકે નોંધપાત્ર યહૂદી અને ખ્રિસ્તી લઘુમતીઓ પણ ઇસ્લામ ઉદ્ભવ પૂર્વના અરેબિયામાં વિકસિત થઈ હતી, ઇસ્લામ ઉદ્ભવ પૂર્વના અરેબિયામાં બહુઇશ્વરવાદ એક પ્રબળ માન્યતા તરીકે રહેલ હતી.
ઇસ્લામ ઉદ્ભવ પૂર્વેના અરબી ધર્મો અને પંથોને લગતી જાણકારી આપતા સમકાલીન સ્ત્રોતો ખૂબજ ઓછા પ્રમાણમાં મળી આવે છે, આ સ્ત્રોતોમાં મુખ્યત્વે શિલાલેખો અને કોતરણીઓ, ઇસ્લામ પૂર્વેની કવિતાઓ, યહૂદી અને ગ્રીક સાહિત્ય જેવા બાહ્ય સ્ત્રોતો, અને આ ઉપરાંત કુરાન અને ઇસ્લામિક લખાણો જેવી મુસ્લિમ પરંપરાઓનો સમાવેશ થાય છે. એકંદરે કહી શકાય કે, માહિતી મર્યાદિત છે.
અરેબિયન બહુઇશ્વરવાદનું એક પ્રારંભિક પ્રમાણ એસારહાદોનનું વૃતાંત છે, જેમાં અતારસમૈન, નુખાય, રુલદાઉ અને આતરકુરુમાનો ઉલ્લેખ હતો. હેરોડોટસએ તેમની હિસ્ટ્રીઝમાં લખેલ છે કે આરબો ઓરોલેટટ ( ડાયોનિસસ તરીકે ઓળખાતા) અને એલિલાટ ( એફ્રોડાઇટ તરીકે ઓળખાતા )ની ઉપાસના કરતા હતા. સ્ટ્રેબોએ જણાવ્યું હતું કે આરબો ડાયોનિસસ અને ઝિયસની ઉપાસના કરે છે. ઓરીજેનએ જણાવ્યું હતું કે તેઓ ડીયોનિસસ અને યુરેનીયાની ઉપાસના કરે છે.
અરબી બહુઇશ્વરવાદને લગતા મુસ્લિમ સ્ત્રોતોમાં આઠમી સદીમાં હિશમ ઇબ્ને અલ-કાલબી દ્વારા લખાયેલી બુક ઓફ આઇડોલ્સનો સમાવેશ થાય છે, સાથે સાથે યમનના ઇતિહાસકાર અલ-હસન અલ-હમદાનીના દક્ષિણ અરબી ધાર્મિક માન્યતાઓ પરના લખાણોનો પણ સમાવેશ થાય છે, જેને એફ.ઇ. પીટર્સનો દાવા મુજબ ઇસ્લામ ઉદ્ભવ પૂર્વના અરેબિયામાં પાળવામાં આવતા ધર્મોનું સૌથી નોંધપાત્ર નિરૂપણ ગણવામાં આવે છે.
બુક ઓફ આઇડોલના અનુસાર, મક્કામાં સ્થાયી થયેલા અબ્રાહમના પુત્ર (ઇશ્માઇલ)ના વંશજો જે મક્કામાં સ્થાયી થયા હતાં તેઓ અન્ય પ્રદેશોમાંથી સ્થળાંતરિત થયા. તેઓ પોતાની સાથે કાબાના પવિત્ર પથ્થરો લઇ ગયા. આ પથ્થરોથી કાબાની જેમજ માળખું બાંધવામાં આવ્યું હતું. અલ-કાલબી અનુસાર, આ રીતે મૂર્તિપૂજામાં જ વધારો થયો. તેના આધારે, સંભવતઃ આરબો મૂળ પથ્થરોની પૂજા કરતા હતાં, અને પાછળથી વિદેશી પ્રભાવ હેઠળ મૂર્તિ-પૂજાને અપનાવી હતી. દેવ અને પથ્થર વચ્ચેના સંબંધ તરીકેની રજૂઆત, ત્રીજી સદીના સ્યુડો-મેલિટોનના સિરિયાક હોમીલી તરીકે ઓળખાતી કૃતિમાં મળી શકે છે, જ્યાં તેઓ ઉત્તર મેસોપોટેમીયામાં સિરિયક-વક્તાઓના મૂર્તિપૂજક વિશ્વાસનું વર્ણન કરે છે, જે મોટે ભાગે આરબ હતા.
પૂજા
[ફેરફાર કરો]દેવતાઓ
[ફેરફાર કરો]ઇસ્લામ ઉદ્ભવ પૂર્વેના અરબી ધર્મો બહુઇશ્વરવાદી હતા, જેમાં ઘણા દેવતાઓના નામ જાણીતા હતા. સામાન્ય શહેર-રાજ્યોથી લઈને જનજાતિઓના સમૂહો સુધીના રાજ્યના સ્તરે, ઔપચારિક પંથો વધુ નોંધપાત્ર હતાં. જનજાતિઓ, નગરો, કુળો, વંશ અને પરિવારોમાં પણ પોતાનાં સંપ્રદાય હતા. ક્રિશ્ચિયન જુલિયન રોબિન સૂચવે છે કે દૈવી વિશ્વની આ રચના તે સમયના સમાજને પ્રતિબિંબિત કરે છે.
મોટી સંખ્યામાંના દેવતાઓને ચોક્કસ નામો પણ ન હતાં, અને તેઓને ગુણવત્તા, પરિવાર સંબંધ, અથવા સ્થાનિક સંદર્ભો "તે કોણ" અથવા "તે જે" (dhū અથવા dhāt અનુક્રમે) ના ખિતાબો દ્વારા ઓળખવામાં આવતા હતા.
વિચરતી બેડોઈન જાતીની ધાર્મિક માન્યતાઓ અને રીતભાત મક્કા જેવા નગરોમાં સ્થાયી થયેલા જાતિઓ કરતા અલગ હતા. વિમુક્ત જાતિની ધાર્મિક માન્યતામાં ફેટીશિઝ્મ, ટોટેમિઝ્મ અને મૃતક લોકોની પુજાનો સમાવેશ થતો હતો પરંતુ તે તાત્કાલિક ચિંતાઓ અને સમસ્યાઓ સાથે સંકળાયેલી હતી અને તેમાં મોટાભાગે મૃત્યુ પછીના તત્ત્વજ્ઞાન વિષયક સવાલો ધ્યાનમાં લેવાતા ન હતા. બીજી બાજુ સ્થાયી થયેલા શહેરી આરબો દેવ- દેવતાઓના વધુ જટિલ પંથોમાં માનતા હોવાનું માનવામાં આવે છે. મક્કા અને અન્ય હેજાઝ શહેરનાં સ્થાયી રહેવાસીઓ તેમના દેવતાઓની પૂજા શહેરોના સ્થાયી દેવળોમાં કરતાં હતાં. રણવાસી આરબો તેમના ધર્મનું પાલન પોતાની રીતે કરતાં હતાં.
નિમ્ન આત્માઓ
[ફેરફાર કરો]દક્ષિણ અરેબિયામાં, mndh'tએ સમુદાયના અનામી વાલીઓ અને કુટુંબના પૂર્વજોના આત્માઓ હતાં. તેઓ તેમના પૂર્વજોના સૂર્ય તરીકે જાણીતા હતા.
ઉત્તર અરેબિયામાં ginnayeએ પાલ્મરેન "સારા અને લાભદાયી દેવતાઓ" તરીકે જાણીતા હતાં અને કદાચ તે પશ્ચિમ અને મધ્ય અરેબિયાના જીન સાથે સંબંઘિત હતાં. જિનથી વિપરીત, ginnaye મનુષ્યને નુકસાન પહોંચાડી શકતા નહીં અને તેના પર કબજો કરી શકતા ન હતાં. તે રોમન જીનીયસ સાથે સામ્યતા ધરાવે છે. સામાન્ય અરેબિયન માન્યતા અનુસાર ભવિષ્યવક્તાઓ, ઇસ્લામ ઉદ્ભવ પૂર્વેના દાર્શનિકો અને કવિઓ જિન દ્વારા પ્રેરિત હતા. જોકે, જીનનો ભય પણ હતો અને માનવામાં આવે છે કે તે વિવિધ રોગો અને માનસિક બીમારીઓ માટે જવાબદાર છે.
દુષ્ટાત્માઓ
[ફેરફાર કરો]પરોપકારી દેવતાઓ અને આત્માઓ સિવાય, દુષ્ટાત્માઓ પણ અસ્તિત્વમાં હતાં. આ આત્માઓને એપિગ્રાફિક રેકોર્ડમાં પ્રમાણિત કરવામાં આવ્યા ન હતા, પરંતુ તેમના વિશે ઇસ્લામ ઉદ્ભવ પૂર્વેની અરબી કવિતામાં સૂચવવામાં આવ્યું હતું, અને તેમના અંગેની દંતકથાઓ પછીના મુસ્લિમ લેખકો દ્વારા એકત્રિત કરવામાં આવી હતી.
સામાન્ય રીતે તે ghouls તરીકે ઉલ્લેખીત છે. વ્યુત્પત્તિશાસ્ત્ર મુજબ અંગ્રેજી શબ્દ "ghoul" એ અરબી શબ્દ ghul,કે જે ghala પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ "જપ્ત કરવું" એવો થાય છે. તે સુમેરીયન galla સાથે સંબંધિત છે. કહે છે કે તેઓ કદરૂપા અને ગધેડાના જેવા પગ ધરવતા હોય છે. આરબ લોકોને જો તે મળી જાય તો નીચે જણાવ્યા મુજબનો સંપૂર્ણ દોહો બોલી જાય છે. “હે ગદર્ભ જેવા પગ ધરાવનારા, તુ દૂર જઇને ભૂંક, અમે રણના મેદાનને છોડીશું નહીં અને ક્યારેય રસ્તે ભટકીશું નહીં.”
ક્રિશ્ચિયન જુલિયન રોબિન નોંધે છે કે તમામ જાણીતા દક્ષિણ અરેબિયન દૈવીઓની હકારાત્મક અથવા રક્ષણાત્મક ભૂમિકા હતી અને દુષ્ટ શક્તિઓનો ફક્ત સંકેત આપવામાં આવ્યો હતો પરંતુ તે ક્યારેય વ્યક્ત થયા ન હતા.
દેવતાઓની ભૂમિકા
[ફેરફાર કરો]અલ્લાહની ભૂમિકા
[ફેરફાર કરો]કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે મક્કા સહિતના પૂર્વ ઇસ્લામિક અરેબિયામાં, અલ્લાહને એક દેવતા માનવામાં આવતા હતાં, સંભવતઃ તે સર્જક દેવતા અથવા બહુઉશ્વરવાદી પંથોમાં સર્વોચ્ચ દેવતા હતા. અલ્લાહ શબ્દ (અરબી અલ-ઇલાહ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ "દેવ" છે) કદાચ નામને બદલે શીર્ષક તરીકે ઉપયોગમાં લેવાય છે. મક્કાના ધર્મમાં અલ્લાહની કલ્પના કદાચ અસ્પષ્ટ હોઇ શકે. ઇસ્લામિક સ્રોતો અનુસાર, મક્કાના લોકો અને તેમના પડોશીઓ માનતા હતા કે દેવીઓ અલ-લટ, અલ-ઉઝ્ઝા અને મનાત અલ્લાહની પુત્રીઓ છે.
ઇસ્લામ પૂર્વેના અરેબીયામાં અલ્લાહ શબ્દના પ્રાદેશિક પ્રકારો મૂર્તિપૂજક અને ખ્રિસ્તી શિલાલેખો બંનેમાં જોવા મળે છે. ઇસ્લામ પુર્વેના અરબ કવિ ઝુહૈર બિન અબી સુલ્મા (જે મુહમ્મદની પેઢી પહેલા રહેતા હતા, તેમજ ઇસ્લામ પૂર્વેના મ્હત્વના કવી)ની કવિતાઓમાં અલ્લાહના સંદર્ભો જોવા મળે છે. મુહમ્મદના પિતાનું નામ અબ્દ-અલ્લાહ હતું, જેનો અર્થ "અલ્લાહનો ચાકર" છે.
ચાર્લ્સ રસેલ કોલ્ટર અને પેટ્રિશિયા ટર્નરની ધારણાઓ અનુસાર અલ્લાહ શબ્દ પૂર્વ-ઇસ્લામિક ભગવાન Ailiah પરથી ઉતરી આવેલો હોઇ શકે છે. અને તે અલ, ઇલ, ઇલાહ અને જેહોવા સાથે સામ્યતા ધરાવે છે. તેઓએ તેમની કેટલીક લાક્ષણિકતાઓ જેમ કે અલમકહ, કહલ, શેકર, વડ્ડ અને વારખ મોટાભાગે જેવા ચંદ્ર આધારિત દેવો જેવીજ હોવાનું માન્યું હતું. આલ્ફ્રેડ ગિલાઉમ જણાવે છે કે ઇલાહ જે અલ્લાહ પરથી આવેલ છે અને પ્રાચીન બેબીલોનીયન ઇલ અથવા પ્રાચીન ઇઝરાઇલના અલ વચ્ચે જોડાણ સ્પષ્ટ નથી. વેલ્હાઉસેન જણાવે છે કે અલ્લાહ શબ્દ યહૂદી અને ખ્રિસ્તી સ્રોતોથી જાણીતો થયો હતો અને મૂર્તિપૂજક આરબો તેને પરમ દેવ તરીકે ઓળખતા હતા.વીનફ્રાઇડ કોરડાઉનને શંશય હતો કે ઈસ્લામમાં અલ્લાહનો સિધ્ધાંત ચંદ્ર દેવ સાથે જોડાયેલ હોવો જોઇએ, તેઓએ જણાવ્યુ હતું કે એક અલ્લાહ શબ્દનું સામાન્ય કાર્ય, ભગવાન માટે વપરાતા શબ્દ એલ- એલ્યોનની જેમ જ છે.
ઇસ્વીસનની ચોથી સદીના દક્ષિણ અરબી શિલાલેખોમાં રહેમાન ("દયાળુ એક") નામથી ભગવાનનો ઉલ્લેખ છે જેનો એકેશ્વરવાદી સંપ્રદાય હતો અને તેને "સ્વર્ગ અને પૃથ્વીના ભગવાન" તરીકે ઓળખવામાં આવે છે. એરોન ડબ્લ્યુ. હ્યુજીઝ જણાવે છે કે વિદ્વાનોને એ ખાતરી નથી કે તે અગાઉના બહુઇશ્વરવાદથી વિકસિત થયો છે કે ખ્રિસ્તી અને યહૂદી સમુદાયોના વધતા જતા મહત્વને કારણે વિકસિત થયો છે, અને તે નક્કી કરવું મુશ્કેલ છે કે અલ્લાહ અને રહેમાન પરસ્પર જોડાયેલ છે કે નહીં. જોકે, મેક્સીમ રોડિન્સન અલ્લાહના એક નામ, "અર-રહેમાન"ને માને છે, તે અગાઉ રહેમાનના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
અલ-લાત, અલ-ઉઝા અને મનત
[ફેરફાર કરો]અલ-લાત, અલ-ઉઝા અને મનત એ અરબિયામાં અનેક દેવીઓ માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય નામો હતા. જી.આર. હોઉટીંગ જણાવે છે કે આધુનિક વિદ્વાનોએ વારંવાર અરેબિયન દેવીઓ અલ-લાત, અલ-ઉઝા અને મનતના નામો ને આકાશી પદાર્થો સાથે સંકળાયેલ દેવતાઓ સાથે સાંકળ્યાં છે, ખાસ કરીને શુક્ર, મુસ્લિમ પરંપરાના બાહ્ય પુરાવા તેમજ સીરિયા, મેસોપોટેમીયા અને સિનાઇ દ્વીપકલ્પના સંબંધમાં ધ્યાન દોરે છે. [૧]
અલ્લાત ( અરબી : اللات) અથવા અલ-લાત સમગ્ર પ્રાચીન મધ્યપૂર્વમાં વિવિધ પ્રસંગોમાં પૂજાતા હતા. ઇસ્વીસન પૂર્વે ૫મી સદીમાં હેરોડોટસ તેને એફ્રોડાઇટ (અને અન્ય બાબતમાં, તે યુરેનિયા માટે)ના અરબી નામ માટે Alilat ( ગ્રીક : Ἀλιλάτ) તરીકે ઓળખે છે, જે પ્રારંભિક કાળથી જ અરબિયામાં અલ-લાતની પૂજાના માટેના મજબૂત પુરાવા છે. અલ-ઉઝા ( અરબી : العزى)એ ફળદ્રુપતાની દેવી હતી અથવા સંભવતઃ તે પ્રેમની દેવી હતી. મનાત ( અરબી : مناة) નિયતિની દેવી હતી.
અલ-લાતનો સંપ્રદાય સીરિયા અને ઉત્તર અરેબીયામાં ફેલાયેલો હતો. Safaitic અને Hismaic શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે, તે સંભવતઃ લાત તરીકે પૂજાતી હતી. એફ.વી. વીનેટ તેના 'આઇન-એશ-શાલ્લેહ' અને લીહાયનાઇટના શિલાલેખો વર્ણવેલ નામ મિનિયન ચંદ્ર દેવ વાડ સાથે સંકળાયેલ અર્ધચંદ્રાકારના કારણે અલ-લાતને ચંદ્ર દેવતા તરીકે જુએ છે. રેને ડુસાઉડ અને ગોંઝગ્યું રીકમેન્સ તેને શુક્ર સાથે જોડે છે, જ્યારે અન્ય લોકોએ તેને સૌર દેવતા માનેલ છે. જ્હોન એફ. હિલેએ માને છે કે અલ-ઉઝા ખરેખર મક્કાના પંથોમાં એક અલગ દેવતા બનતા પહેલા અલ-લાતનું એક લક્ષણ હોઈ શકે. પાયોલા કોરેન્ટે, ડીયોનિસસને ફરીથી વર્ણવતા લખ્યું છે કે તે વનસ્પતિનો દેવ અથવા વાતાવરણીય ઘટનાના આકાશી દેવતા અને આકાશ દેવતા હોઈ શકે છે .
પૌરાણિક કથા
[ફેરફાર કરો]એફ.ઇ. પીટર્સના જણાવ્યા મુજબ, "આરબ મૂર્તિપૂજકતાની વિશેષતાઓમાંની એક, તે કેવી રીતે આવી છે, તે એક પુરાણકથાનો અભાવ છે જે દેવતાઓના મૂળ અથવા ઇતિહાસને સમજાવવા માટે સેવા આપી શકે છે." ઘણા દેવ-દેવીઓને સંજ્ઞાઓ આપેલ હોય છે, પરંતુ આ સંજ્ઞાઓને ડિકોડ કરવા માટે દંતકથાઓ અથવા કથાઓનો અભાવ છે, જે તેમને સામાન્ય રીતે બિનપરંપરાગત બનાવે છે.
અમલીકરણ
[ફેરફાર કરો]
સંપ્રદાયની છબીઓ અને મૂર્તિઓ
[ફેરફાર કરો]દેવતાની સંપ્રદાયની છબીઓ મોટેભાગે એક અકારણ પથ્થર બ્લોક હતી. [૨] આ પથ્થર બ્લોક્સ માટે સૌથી સામાન્ય નામ છે, જેમ કે સેમિટિક NSB પરથી લેવામાં આવ્યું છે ( "સીધા ઊભા કરવાની"), પરંતુ અન્ય નામો ઉપયોગ કરવામાં આવ્યો હતો, Nabataean masgida ( "સજદા કરવાની જગ્યા") અને અરબી duwar (ના "પદાર્થ પરિભ્રમણ ", આ શબ્દ ઘણીવાર પૂર્વ ઇસ્લામિક અરબી કવિતામાં જોવા મળે છે). [૨] આ દેવ-પત્થરો સામાન્ય રીતે મુક્ત-સ્થિર સ્લેબ હતા, પરંતુ નબટાયન દેવ-પત્થરો સામાન્ય રીતે ખડકના ચહેરા પર સીધા જ કોતરવામાં આવે છે. [૨] ચહેરાના લક્ષણો પત્થર (ખાસ કરીને નબટataઆમાં), અથવા અપાર્થિવ ચિહ્નો (ખાસ કરીને દક્ષિણ અરેબિયામાં) પર લગાડવામાં આવી શકે છે. [૨] ગ્રીકો-રોમન પ્રભાવ હેઠળ, માનવશાસ્ત્રની પ્રતિમાનો ઉપયોગ તેના બદલે થઈ શકે છે. [૨]
મૂર્તિઓનું પુસ્તક બે પ્રકારની મૂર્તિઓનું વર્ણન કરે છે: મૂર્તિઓ ( સનમ ) અને છબીઓ ( વાથન ). [૩] જો કોઈ મૂર્તિ માનવ સ્વરૂપ પછી લાકડા, સોના અથવા ચાંદીની બનેલી હોય, તો તે મૂર્તિ હોત, પરંતુ જો તે મૂર્તિ પત્થરની બનેલી હોત, તો તે એક મૂર્તિ હશે. [૩]
દક્ષિણ અરેબિયામાં પ્રાણી-રૂપમાં દેવ-દેવીનું પ્રતિનિધિત્વ સામાન્ય હતું, જેમ કે હધ્રમૌતનાં દેવ સૈન, જેમ કે કાં તો સાપ અથવા બળદ સાથે લડતા ગરુડ તરીકે રજૂ થતો હતો. [૪]

પવિત્ર સ્થાનો
[ફેરફાર કરો]સેક્રેડ સ્થાનો hima, હરમમાં અથવા તેમના મહરમ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સ્થળોએ અંદર, તમામ જીવંત વસ્તુઓ પુનિત ગણવામાં આવતા હતા અને હિંસા પ્રતિબંધિત કરવામાં આવી હતી. [૨] મોટાભાગના અરેબિયામાં, આ સ્થાનો ઝરણાં અને જંગલો જેવી કુદરતી લાક્ષણિકતાઓ સાથે ખુલ્લા હવા અભયારણ્યોનું સ્વરૂપ લેશે. [૨] શહેરોમાં મંદિરો હશે, જેમાં પવિત્ર વિસ્તારને દિવાલોથી બંધ કરવામાં આવશે, અને સુશોભિત માળખાં દર્શાવવામાં આવશે. [૨]
પ્રીસ્ટહૂડ અને પવિત્ર કચેરીઓ
[ફેરફાર કરો]પવિત્ર વિસ્તારોમાં મોટાભાગે કોઈ વાલી અથવા સંસ્કૃતિક સંસ્કારોનો કલાકાર હતો. [૨] આ અધિકારીઓ આ ક્ષેત્રમાં વલણ અપનાવે છે, તકોમાંનુ મેળવે છે અને ભવિષ્યકથન કરે છે. [૨] તેઓ ઘણાં નામોથી જાણીતા છે, સંભવત cultural સાંસ્કૃતિક-ભાષાકીય પસંદગીના આધારે: અફકલનો ઉપયોગ હિજાઝમાં થતો હતો, કાહિનનો ઉપયોગ સિનાઇ-નેગેવ-હિસ્મા ક્ષેત્રમાં થતો હતો, અને કુમારીનો ઉપયોગ અરમાજિક પ્રભાવિત વિસ્તારોમાં થતો હતો. [૨] દક્ષિણ અરેબિયામાં, પાદરીઓનો સંદર્ભ લેવા માટે આરએસ 2 ડબલ્યુ અને એફકેએલનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને અન્ય શબ્દોમાં ક્યૂન ("એડમિનિસ્ટ્રેટર") અને શ્રીટ્રેટ ("કોઈ વિશેષ દેવત્વ માટે પવિત્ર") શામેલ છે . [૫] માનવામાં આવે છે કે મુખ્ય અભયારણ્યોમાં વધુ વિશિષ્ટ સ્ટાફ છે. [૨]
યાત્રાધામો
[ફેરફાર કરો]વર્ષના ચોક્કસ સમયે પવિત્ર સ્થળોએ યાત્રા કરવામાં આવશે. [૨] મધ્ય અને ઉત્તરી અરેબિયાના પિલગ્રીમ મેળાઓને હિંસા મુક્ત નામના ચોક્કસ મહિનાઓમાં યોજવામાં આવ્યા હતા, [૨] કેટલીક પ્રવૃત્તિઓમાં વેપાર જેવા કે વિકાસ થાય છે, જોકે કેટલાક સ્થળોએ ફક્ત વિનિમયની છૂટ હતી. [૨]
દક્ષિણ અરબી તીર્થસ્થાનો
[ફેરફાર કરો]સૌથી મહત્વપૂર્ણ યાત્રા સબા ' કદાચ યાત્રા હતી Almaqah ખાતે Ma'rib (જુલાઈ આશરે), dhu-અભી મહિનામાં પરફોર્મ કર્યું હતું. [૫] બે સંદર્ભો અમરાનમાં અલમાકહ ધૂ-હિરણની યાત્રાને પુષ્ટિ આપે છે. તાલાબ રિયમની તીર્થસ્થાન તુરત પર્વત અને હડાકન ખાતેના ઝબ્યાન મંદિરમાં થઈ હતી, જ્યારે અમીર જનજાતિના દેવ ધુ-સામવીની યાત્રા યાથિલમાં થઈ હતી. સાબિયન યાત્રાધામો સિવાય સાયિનની યાત્રા શબવા ખાતે થઈ હતી. [૨]