કવિ નાકર

વિકિપીડિયામાંથી

કવિ નાકર એ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

કવિ નાકરના જીવન વિષે તેમના લખાણને બાદ કરતાં ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. પહેલાં એવી ભ્રમણા હતી કે તેઓ ૧૭મી સદીના કવિ હતા પરંતુ તેઓ ૧૬મી શતાબ્દીમાં થઈ ગયા. તેઓ દિશાવળ વાણિયા કુળમાં જન્મ્યા હતા અને વડોદરામાં રહેતા હતા. તેમને ઘણાં આખ્યાનો લખ્યાં છે. આ આખ્યાનો માણભટ્ટો દ્વારા ગવાતા હતા.[૨][૩]

રચનાઓ[ફેરફાર કરો]

તેમણે આમ તો ઘણી પદ્ય રચનાઓ કરી છે પણ તેમાંથી માત્ર ૭ જ પ્રસિદ્ધ થઈ છે. મોટા ભાગની તેમની રચનાઓ બાહ્મણ કવિતા પાઠકો દ્વારા ગવાતા આખ્યાન સ્વરૂપે છે. રાજા હરિશ્ચંદ્ર ના જીવન પર આધારિત હરિશ્ચંદ્રાખ્યાન (વિક્રમ સંવત ૧૫૭૨), શિવ-વિવાહ, ચંદ્રહાસાખ્યાન, નળાખ્યાન, લવકુશાખ્યાન, ધ્રુવાખ્યાન, મૃગલીસંવાદ, ભીલડીના બાર માસ, આદિ એમની પ્રમુખ રચનાઓ છે. ગુજરાતના સાધુઓ પર આધારિત રચના ભક્તામલ એ વસ્તોના સાધુ ચરિત સમાન રચના છે.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • ચીમનલાલ ત્રિવેદી (1966). કવિ નાકર: એક અધ્યયન. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. OCLC 24331645. CS1 maint: discouraged parameter (link)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Krishnalal M. Jhaveri (૧૮૮૨). Milestones in Gujarati Literature. Asian Educational Services. પૃષ્ઠ ૭૩. ISBN 978-81-206-0651-7.
  2. Datta, Amaresh (૧૯૮૭). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૨૨. ISBN 8126018038.
  3. Jhaveri; Sahitya Akademi (૧૯૭૮). History of Gujarati Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૩૩. મૂળ માંથી ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત.

બાહ્ય કડી[ફેરફાર કરો]