નળાખ્યાન (નાકર)

વિકિપીડિયામાંથી

નળાખ્યાન ૧૬મી સદીના કવિ નાકર કૃત આખ્યાન-કાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું આ આખ્યાન ઈ.સ. ૧૫૨૫ (સવત ૧૫૮૧)માં રચાયું હતું. આ આખ્યાનમાં કુલ ૧૨ કડવાં છે.[૧]

આ આખ્યાન ભાલણના 'નળાખ્યાન' પછી અને 'પ્રેમાનંદના નળાખ્યાન' પહેલા લખાયેલું છે. એ દ્રષ્ટિએ આ આખ્યાનને ભાલણ અને પ્રેમાનંદની કૃતિઓ વચ્ચેની મહત્ત્વની કડી માનવામાં આવે છે. કથામાં 'દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર' અને તેને અનુસંધાને આવતો 'મત્સ્યસંજીવનીનો પ્રસંગ' સૌપ્રથમ નાકરના નળાખ્યાનમાં જોવા મળે છે. આ આખ્યાનની એક હસ્તપ્રતમાં દમયંતી પર હારચોરીનું આળ આવે છે – એ પ્રસંગ પણ હોવાનું નોંધાયું છે. આમ, આ પ્રસંગોને ત્યારબાદ પ્રેમાનંદે પોતાના 'નળાખ્યાન'માં વણી લીધા છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, ચીમનલાલ (૧૯૮૯). "નાકર(દાસ)–૧". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૧૭. OCLC 26636333.

પૂરક વાચન[ફેરફાર કરો]