જગદાલપુર

વિકિપીડિયામાંથી

જગદાલપુર અથવા જગદલપુર ભારત દેશમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. જગદાલપુર ખાતે બસ્તર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

અહીંનું તાપમાન સામાન્યત: ઓછું રહે છે, અહીં અનેક દર્શનીય સ્થળો આવેલાં છે.


જગદલપુર શહેર ચારે તરફથી પહાડો અને ઘનઘોર જંગલો વડે ઘેરાયેલું છે. કાકતિયા રાજા જેને પાંડુઓના વંશજ કહેવામાં આવે છે, તેમણે જગદલપુર નગરને પોતાની અંતિમ રાજધાનીનું શહેર બનાવ્યું અને એને વિકસિત કર્યું. જગદલપુરનું નામ ઘણા સમય પૂર્વે જગતુગુડા હતું. જગદલપુરને ચૌરાહા કા શહર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર ખુબ જ ખૂબસૂરત રીતે વસાવવામાં આવેલું છે. અહીં વિભિન્ન સંસ્કૃતિઓનો સંગમ થાય છે. અહિયાં જગન્નાથ પીઠનું ભવ્ય મંદિર અને દેવી દંતેશ્વરીનું મંદિર છે. જગદલપુર શહેરના દશેરાનો ઉત્સવ ખુબ જ મશહૂર છે, જેની ભવ્યતા જોતાં જ વ્યક્તિ અંજાઇ જાય છે, એને જોવાને માટે દેશ અને વિદેશમાંથી અનેક પર્યટન આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]