તાનસેન

વિકિપીડિયામાંથી
તાનસેન
ગ્વાલિયરમાં તાનસેન,
મુઘલ ચિત્ર (૧૫૮૫-૯૦)[૧]
પાર્શ્વ માહિતી
જન્મ નામરામતનુ પાન્ડે
જન્મc. ૧૪૯૩ અથવા ૧૫૦૦
ગ્વાલિયર
મૃત્યુ૨૬ એપ્રિલ ૧૫૮૯[૨]
આગ્રા, દિલ્હી[૩]
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોસંગીતકાર, ગાયક, સંગીતશાસ્ત્રી
સક્રિય વર્ષો૧૫૬૨ સુધી: રાજા રામચંદ્ર સિંહ, રેવા
૧૫૬૨ પછી: અકબર
તાનસેનને સ્વામી હરિદાસથી સંગીત શીખતો નિહાળતો અકબર, ચિત્ર ઇ.સ. ૧૭૫૦

તાનસેન ‌(આશરે ૧૫૦૦ - ૧૫૮૬) ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાંનો એક ગણાય છે. તે શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતો. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.

તાનસેનનો ગુજરાત સાથેનો સંબંધ પણ જાણીતો છે. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને દિપક રાગ ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા હિન્દુસ્તાનમાં ફર્યો, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાતના વડનગર ખાતે રહેતી બે બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી.

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ગ્વાલિયર ખાતે સંગીતનો કાર્યક્રમ તાનસેન સમારોહ યોજાય છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Stuart Cary Welch; Metropolitan Museum of Art (1985). India: Art and culture, 1300-1900. Metropolitan Museum of Art. પૃષ્ઠ 171–172. ISBN 978-0-03-006114-1.
  2. Abul Fazl. Akbarnama. Henry Beveridge વડે અનુવાદિત. Asiatic Society of Bengal. પૃષ્ઠ 816.
  3. Susheela Misra (1981). Great masters of Hindustani music. Hem Publishers. પૃષ્ઠ 16.
  4. "Strains of a raga ... in Gwalior". The Hindu. 11 January 2004. મૂળ માંથી 30 September 2004 પર સંગ્રહિત.