દાંતીવાડા બંધ
| દાંતીવાડા બંધ | |
|---|---|
| અધિકૃત નામ | દાંતીવાડા જળાશય યોજના |
| દેશ | ભારત |
| સ્થળ | બનાસકાંઠા |
| અક્ષાંશ-રેખાંશ | 24°18′59″N 72°19′31″E / 24.316453°N 72.325193°E |
| હેતુ | સિંચાઇ અને પાણી પુરવઠો |
| સ્થિતિ | સક્રિય |
| બાંધકામ શરુઆત | ૧૯૫૮ |
| ઉદ્ઘાટન તારીખ | ૧૯૬૫ |
| બાંધકામ ખર્ચ | ૧૩૩૯.૩૬ લાખ |
| બંધ અને સ્પિલવે | |
| નદી | બનાસ નદી |
| ઊંચાઇ (પાયો) | 61 metres (200 ft) |
| લંબાઈ | 4,832 metres (16,000 ft) |
| સ્પિલવે | ૧૧ રેડિયલ |
| સ્પિલવે પ્રકાર | ઓગી |
| સ્પિલવે ક્ષમતા | ૭૫૦૪ મી૩/સે |
| સરોવર | |
| કુલ ક્ષમતા | ૯૦૭.૮૮ મિલિયન ક્યુબ મીટર |
| સ્ત્રાવ વિસ્તાર | 40.47 square kilometres (440,000,000 sq ft) |
| ઊર્જા મથક | |
| જળઊર્જા પ્રકાર | પરંપરાગત |
| વેબસાઈટ દાંતીવાડા બંધ | |
દાંતીવાડા બંધ એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો બંધ છે. આ બંધનું બાંધકામ ૧૯૬૫માં મુખ્યત્વે સિંચાઇ અને પૂર નિયંત્રણના હેતુથી કરવામાં આવ્યું હતું.
દાંતીવાડા બંધ હેઠળ કુલ ૧૧૧ ગામોને પાણી આપવામાં આવે છે અને ૧૨ ગામો આ બંધથી આંશિક રીતે ડૂબાણમાં ગયા હતા. બંધના સરોવર હેઠળ ૧,૨૧૫ હેક્ટર્સ (૩,૦૦૦ એકર્સ; ૪.૬૯ ચોરસ માઇલ) વન જમીન, ૮૧૦ હેક્ટર્સ (૨,૦૦૦ એકર્સ; ૩.૧ ચોરસ માઇલ) બિનઉપજાઉ જમીન, ૨૦૨૫ હેક્ટર્સ (૫,૦૦૦ એકર્સ; ૭.૮૨ ચોરસ માઇલ) ખેતીલાયક જમીન ડૂબાણમાં ગઇ હતી.[૧]
૧૯૯૪-૯૫ના વર્ષમાં ૫૦,૨૮૪ હેક્ટર્સ (૧,૨૪,૨૫૦ એકર્સ, ૧૪૪.૧૫ ચોરસ માઇલ) જમીનને સિંચાઇ પૂરી પડાઇ હતી.[૧]
આ બંધ બંધાયાના ૮ વર્ષ પછી ૧૯૭૩ના વર્ષમાં બંધમાં ભંગાણ પડ્યું હતું.[૨]
એપ્રિલ ૧૦, ૨૦૧૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીએ દાંતીવાડા બંધના પાણીને ૩ તાલુકાના ૧૨૩ ગામો સુધી પહોંચાડવાની યોજના માટે ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.[૩]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું જુનું મંદિર અને નજીકમાં બીજમાસર માતાનું મંદિર આવેલું છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "Dantiwada Water Resources Project". મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Embankment Dam Failure: A Downstream Flood Hazard Assesment" (PDF). મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Golden day for Banaskantha: Rs. 500 crore water supply projects inaugurated". મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "દાંતા તાલુકા પંચાયત - ઇતિહાસ". મૂળ માંથી 2011-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)