ધોળા-બોટાદ રેલ્વે લાઇન એ દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે. આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વે અને બાંધકામના આદેશો અનુક્મે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા[૧]. એ સમયે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરીવર્તન થઇ ચુક્યુ હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ધોળા-બોટાદ રેલ્વે લાઇન ધોળાથી શરૂ થઇ બોટાદ પર પુરી થાય છે.
બોટાદ જંકશનથી એક ફાંટો અમદાવાદના ગાંધીગ્રામ તરફ અને બીજો ફાંટો સુરેન્દ્રનગર તરફ જાય છે.