સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
સુરેન્દ્રનગર
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસુરેન્દ્રનગર, ગુજરાત
 ભારત
અક્ષાંશ-રેખાંશ22°26′53″N 71°23′09″E / 22.448°N 71.3859°E / 22.448; 71.3859
ઊંચાઇ72 m (236 ft)
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનવિરમગામ-ઓખા લાઇન
ધ્રાગંધા-સુરેન્દ્રનગર વિભાગ
સુરેન્દ્રનગર-ભાવનગર લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડSUNR
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ રાજકોટ
ઈતિહાસ
શરૂઆત૧૯૦૫
વીજળીકરણના
જૂના નામોમોરબી સ્ટેટ રેલ્વે

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેના રાજકોટ વિભાગમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સર લખધીરસિંહજી વાઘજી,[૧] અહીં ૧૯૨૨ થી ૧૯૪૮ સુધી શાસન કરતા હતા. તેમણે વઢવાણ અને મોરબીને જોડતા માર્ગ અને રેલ્વે માર્ગોનું નિર્માણ કર્યું હતું. સુરેન્દ્રનગર-રાજકોટ રેલ્વેમાર્ગનું નિર્માણ ૧૯૦૫માં થયું હતું.[૨] વિરમગામ-હાપા વિભાગ જે સુરેન્દ્રનગર, વાંકાનેર થઇને જાય છે, તે ૧૯૮૦માં પૂર્ણ થયું હતું.[૩] મોરબી રજવાડાની રેલ્વે ૫ નવેમ્બર ૧૯૫૧ના રોજ પશ્ચિમ રેલ્વે વિભાગમાં ભેળવી દેવાઇ હતી.

સુવિધાઓ[ફેરફાર કરો]

આ સ્ટેશન પર દરરોજ ૩૫ જેટલી ટ્રેન આવે છે. અહીંથી મુંબઈ, દિલ્હી, વિશાખાપટ્ટનમ, સિકંદરાબાદ, નાગપુર, હાવરા, કામખ્યા, રાજકોટ, ગાંધીધામ, વાંકાનેર વગેરે જગ્યાએ જવા માટે ટ્રેન મળી રહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Morvi, The Jadeja Dynasty", Royal Ark
  2. "IR History: Part - 3 (1900 - 1947)".
  3. "IR History: Part - 5 (1970 - 1995)".