નાગપુર

વિકિપીડિયામાંથી

નાગપૂર (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર જિલ્લાનું એક મહાનગર છે. નાગપૂરમાં નાગપૂર જિલ્લાનું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ નગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં રાષ્ટ્રવાદી સંઘટનોનું મુખ્ય કેન્દ્ર છે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]