લખાણ પર જાઓ

છત્રપતિ સંભાજીનગર

વિકિપીડિયામાંથી
(ઔરંગાબાદ થી અહીં વાળેલું)

છત્રપતિ સંભાજી નગર જે પૂર્વે ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું [], તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લાનું એક શહેર અને મુખ્યમથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ શહેરની સ્થાપના મૂળમાં મલિક અંબરે કરી હતી, જેમણે ૧૬૨૬માં ખડકી નામના ગામને ફતેહનગર તરીકે વિકસાવ્યું. ૧૬૫૩માં મુઘલ શહેજાદા ઔરંગઝેબ જ્યારે દક્ષિણ ભારતના સુબા તરીકે નિયુક્ત થયો, ત્યારે ફતેહનગરને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ ઔરંગાબાદ રાખ્યું. ૧૯૮૮માં શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ઔરંગાબાદનું નામ સંભાજીનગર રાખવાની માંગણી કરી હતી. જુલાઈ ૨૦૨૨માં મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદનું નામ બદલી ને છત્રપતિ સંભાજીનગર કરવાની મંજૂરી આપી હતી. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.
  2. Gujarati, TV9 (2023-02-24). "છત્રપતિ સંભાજીનગર". TV9 Gujarati. મેળવેલ 2025-04-03.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]