ધ્રાંગધ્રા રજવાડું

વિકિપીડિયામાંથી
ધ્રાંગધ્રા રજવાડું
ધ્રાંગધ્રા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૭૪૨–૧૯૪૮
Flag of ધ્રાંગધ્રા
Flag
Coat of arms of ધ્રાંગધ્રા
Coat of arms

સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાનું સ્થાન
વિસ્તાર 
• ૧૮૯૨
3,023 km2 (1,167 sq mi)
વસ્તી 
• ૧૮૯૨
100000
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૪૨
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
આજની સ્થિતિભારત
ભારતનાં રજવાડાંઓ

ધ્રાંગધ્રા રજવાડું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હતું. આ રજવાડું હળવદ-ધ્રાંગધ્રા રજવાડું પણ કહેવાતું હતું કારણ કે એક સમયે હળવદ રાજધાની રહેલું.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

ઝાલાવાડ રાજ્યની સ્થાપના ૧૦૯૦માં થઇ હતી. ઇસ ૧૭૪૨માં ધ્રાંગધ્રા નવી રાજધાની રૂપે સ્થપાયું અને રાજ્યનું નામ બદલાયું. અગાઉના નામો કુવા અને હળવદ હતા તેમજ રાજ્ય હળવદ-ધ્રાંગધ્રા નામે પણ ઓળખાતું. ધ્રાંગધ્રા પર ઝાલા વંશના રાજપૂતોએ શાસન કરેલું.[૨] તેઓ 'રાજ સાહેબ' ખિતાબ ધારણ કરતાં.[૩]

શાસકો[ફેરફાર કરો]

રાજ સાહેબ[ફેરફાર કરો]

  • ૧૬૭૨ - ૧૭૧૮ જસવંતસિંહજી પ્રથમ ગજસિંહજી (મૃ. ૧૭૧૮)
  • ૧૭૧૮ - ૧૭૩૦ પ્રતાપસિંહજી જસવંતસિંહજી (મૃ. ૧૭૩૦)
  • ૧૭૩૦ - ૧૭૪૫ રાયસિંહજી દ્વિતિય પ્રતાપસિંહજી (મૃ. ૧૭૪૫)
  • ૧૭૪૫ - ૧૭૮૨ ગજસિંહજી દ્વિતિય રાયસિંહજી (મૃ. ૧૭૮૨)
  • ૧૭૮૨ - ૧૮૦૧ જસવંતસિંહજી દ્વિતિય ગજસિંહજી (જ. ૧૭.. - મૃ. ૧૮૦૧) (હળવદના વિરોધમાં ૧૭૫૮થી)
  • ૧૭૫૮ - ૧૭૮૨ રાણીજી જિજિબાઇ કુંવરબા - ગાદી સાચવણી (જસવંતસિંહજી દ્વિતિય માટે; હળવદના વિરોધમાં)
  • ૧૮૦૧ - ૧૮૦૪ રાયસિંહજી તૃતિય જસવંતસિંહજી (જ. ૧૭૬૧ - મૃ. ૧૮૦૪)
  • ૧૮૦૪ - ૯ એપ્રિલ ૧૮૪૩ અમરસિંહજી દ્વિતિય રાયસિંહજી (જ. ૧૭૮૨ - મૃ. ૧૮૪૩)
  • ૯ એપ્રિલ ૧૮૪૩ – ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ રણમલસિંહજી અમરસિંહજી (જ. ૧૮૦૯ - મૃ. ૧૮૬૯) (૨૪ મે ૧૮૬૬ થી, સર રણમલસિંહજી અમરસિંહજી)
  • ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ - ૨ ડિસેમ્બર ૧૯૦૦ માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી (જ. ૧૮૩૭ - મૃ. ૧૯૦૦) (૧ જાન્યુઆરી ૧૮૭૭ થી, સર માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી)
  • ૨ ડિસેમ્બર ૧૯૦૦ - ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ અજીતસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૭૨ - મૃ. ૧૯૧૧) (૧ જાન્યુઆરી ૧૯૦૯ થી, સર અજીતસિંહજી જસવંતસિંહજી)
  • ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ - ૧ જાન્યુઆરી ૧૯૧૮ ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (જ. ૧૮૮૯ - મૃ. ૧૯૪૨) (૧ જાન્યુઆરી ૧૯૧૭ થી, સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી)

મહારાજા શ્રી રાજ સાહેબ[ફેરફાર કરો]

  • ૧ જાન્યુઆરી ૧૯૧૮ - ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (સ.અ.)
  • ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મયુરધ્વજસિંહજી મેઘરાજજી તૃતિય (જ. ૧૯૨૩ - મૃ. ૨૦૧૦)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]