પાઉલીનો અપવર્જનનો નિયમ

વિકિપીડિયામાંથી
વુલ્ફગૅંગ પાઉલી

પાઉલીનો અપવર્જનનો નીયમ (અંગ્રેજી: Pauli exclusion principle) એ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો મહત્વનો નિયમ છે, આ નિયમ પ્રમાણે, 'એક જ ક્વૉન્ટમ-અવસ્થા (state)માં બે ઈલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ'. આ નિયમ ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની વુલ્ફગૅંગ પાઉલીએ શોધ્યો હતો, જેને માટે તેમને ૧૯૪૫ના વર્ષનુ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. . આ નિયમ પ્રમાણે, પરમાણુમાં કોઈ પણ બે ઈલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) - n, l, ml ane ms - એકસરખા હોઈ શકે નહિ. અર્થાત કોઈ પણ બે ઈલેક્ટ્રૉન એકસરખી ઊર્જા ધરાવી શકે નહિ. જોકે આ નિયમ માત્ર ફર્મિયૉન કણોને લાગુ પડે છે.[૧] આ નિયમ બોઝૉન લાગુ પડતો નથી.[૨]

આ નિયમને અન્ય શબ્દોમાં કહેવામાં આવે તો, "એક જ પ્રકારના કણો (જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન) ધરાવતી પ્રણાલીનું કુલ તરંગ વિધેય તેનાં કણોની કોઈ જોડના અવકશ અને સ્પિન યામોની અદલાબદલી માટે પ્રતિસંમિત હોવું જોઈએ."[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ત્રિવેદી, ચંદ્રકાન્ત કે. (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. ૧૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૯–૧૨૦.
  2. ૨.૦ ૨.૧ શાહ, સુરેશ ર.; વામદત્ત, એ. આર. (૧૯૯૯). પારિભાષિક કોશ - ભૌતિકવિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૩૫.