રાહીબાઈ સોમા પોપેરે

વિકિપીડિયામાંથી
રાહીબાઈ સોમા પોપેરે
રાહીબાઈ સોમા પોપેરે, ૨૦૧૯માં.
જન્મની વિગત૧૯૬૪
અહમદનગર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોબીજ માતા
વ્યવસાયખેડૂત, ખેતી વિશેષજ્ઞ, સંરક્ષણ કાર્યકર
પ્રખ્યાત કાર્યદેશી અને પરંપરાગત ખેત પેદાશની પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ
પુરસ્કારો
  • બીબીસી ૧૦૦ મહિલા, ૨૦૧૮
  • નારી શક્તિ પુરસ્કાર, ૨૦૧૯
  • પદ્મશ્રી, ૨૦૨૦

રાહીબાઈ સોમા પોપેરે એ ૧૯૬૪માં જન્મેલા, એક ભારતીય ખેડૂત અને સંરક્ષણવાદી છે. તેઓ અન્ય ખેડૂતોને પાકની મૂળ દેશી જાતો તરફ પાછા ફરવામાં મદદ કરે છે, સ્વ-સહાય જૂથો માટે વાલનું બિયારણ તૈયાર કરે છે. બીબીસીની "૧૦૦ મહિલાઓ ૨૦૧૮"ની યાદીમાં સમાવાયેલી ત્રણ ભારતીય મહિલાઓમાંના તેઓ એક છે. વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકરે તેમને "બીજ માતા" નામ આપ્યું છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

રાહીબાઈ સોમા પોપેરે મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં આવેલા કોમ્ભલણે ગામના વતની છે.[૧] તેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નથી.[૨] તેમણે આખી જિંદગી ખેતરોમાં કામ કર્યું છે અને તેઓ પાકની વિવિધતાની અસાધારણ સમજ ધરાવે છે.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

રાહીબાઈ સોમા પોપેરે તેમની ખેતરની જમીન પર ૧૭ જુદા જુદા પાક ઉગાડે છે.[૩] ૨૦૧૭ માં BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી, તેમાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના બનાવેલા બગીચાઓ આખા વર્ષ માટે પરિવારની આહાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરે છે.[૩]

તેમણે નજીકના ગામોમાં સ્વ-સહાય જૂથો અને પરિવારો માટે વાલના બિયારણની શ્રેણી વિકસાવી હતી.[૩] તેમને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ભૂતપૂર્વ મહાનિર્દેશક રઘુનાથ માશેલકરે 'બીજ માતા' તરીકે વર્ણવી હતી. તેઓ કળસુબાઈ પરિસર બિયાની સંવર્ધન સમિતિ નામના સ્વ-સહાય જૂથના સક્રિય સભ્ય છે [૪]તેમણે ખેતરો પર સિંચાઈની પોતાની પદ્ધતિઓ વિકસાવી છે; બંજર જમીનને ઉપયોગી સ્થાનમાં ફેરવી તે તેનો ઉપયોગ કરતા. તે ખેડૂતો અને વિદ્યાર્થીઓને બીજ પસંદ કરવા, ફળદ્રુપ જમીન રાખવા અને જીવાતોનું નિયંત્રણ કરવાની તાલીમ આપે છે.[૫] તે ચાર પગલાની ડાંગરની ખેતીમાં કુશળ છે.[૬] તેમણે મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ટ્રાન્સફર ફોર રૂરલ એરિયાઝ (MITTRA) ના સહયોગથી તેના આંગણામાં મરઘાં ઉછેરવાનું શીખ્યા છે. [૭]

પુરસ્કારો[ફેરફાર કરો]

રામનાથ કોવિંદ દ્વારા ૨૦૧૮ માં તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે.
  • બીબીસી ૧૦૦ મહિલાઓ ૨૦૧૮[૮]
  • બેસ્ટ સીડ સેવર એવોર્ડ[૨]
  • BAIF ડેવેઅલોપમેન્ટ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર[૨]
  • નારી શક્તિ પુરસ્કાર, ૨૦૧૮, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત.[૯]
  • પદ્મશ્રી, ૨૦૨૦ [૧૦]

આ સાથે, જાન્યુઆરી ૨૦૧૫માં, તેમણે બાયોવરસિટી ઇન્ટરનેશનલના માનદ સંશોધન ફેલો પ્રેમ માથુર અને ભારતમાં છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના રક્ષણ માટેની સરકારી સંસ્થાના અધ્યક્ષ આર આર હંચિનલ તરફથી પ્રશંસા પણ મેળવી છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Deo, Ashlesha (8 September 2017). "Maharashtra seed mother pioneers conservation of native varieties". Village Square. Akole, Maharashtra. મેળવેલ 6 March 2019.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Srimati Rahibai Soma Popere". Pune International Centre. મૂળ માંથી 23 નવેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 November 2018.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Maharashtra's tribal farmers revive traditional crops". Village Square. 25 August 2017. મેળવેલ 22 November 2018.
  4. "Maharashtra Gene Bank Programme for Conservation" (PDF). BAIF Maharashtra Gene Bank Newsletter. July 2016. મૂળ (PDF) માંથી 28 માર્ચ 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 November 2018.
  5. ScoopWhoop (20 November 2018). "Meet The 3 Indian Women Who've Made It To BBC's List of Most Influential & Inspiring Women of 2018". ScoopWhoop. મેળવેલ 22 November 2018.
  6. "'Seed Mother' Rahibai's Story: How She Saved Over 80 Varieties of Native Seeds!". The Better India. 23 September 2017. મેળવેલ 22 November 2018.
  7. Sharma, Khushboo (21 November 2018). "Rahibai Makes It To BBC's 100 Women 2018 List By Becoming The 'Seed Mother' Of India". Indian Women Blog – Stories of Indian Women. મૂળ માંથી 22 નવેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 November 2018.
  8. "BBC 100 Women 2018: Who is on the list?". BBC News. 19 November 2018. મેળવેલ 22 November 2018.
  9. "President confers Nari Shakti awards on 44 women". The Tribune. 9 March 2019. મૂળ માંથી 28 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 March 2019.
  10. "Full list of 2020 Padma awardees". The Hindu. 26 January 2020. મેળવેલ 26 January 2020.