લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

સાંદીપનિ

વિકિપીડિયામાંથી
સાંદીપનિને દક્ષિણા આપતા શ્રી કૃષ્ણ

સાંદીપનિ હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારત અને ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ ઋષિ હતા.[] સાંદીપનિ ઋષિનો આશ્રમ અવંતિ નગરી (હાલનું ઉજ્જૈન શહેર)માં હતો. તે કાશ્ય નામના ઋષિના પુત્ર હતા. શ્રી કૃષ્ણ તેમ જ તેમના મોટાભાઈ બલરામ અને બાળસખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાઅભ્યાસ કર્યો હતો. ભણી રહ્યા પછી 'ગુરુ દક્ષિણા માગો' કહેતાં સાંદીપનિએ પોતાનો પ્રભાસના દરિયામાં ખોવાઇ ગયોલો પુત્ર માગ્યો. કૃષ્ણ અને બલરામે પ્રભાસ ગયા અને ત્યાંથી પંચજન્ય (અથવા શંખસુર) નામના દૈત્યના કબ્જામાં રહેલા પુત્ર - પુર્નદત્તને પાછો લાવી આપ્યો હતો.[] ઉજ્જૈન અવંતિકામાં સાંદીપનિ મુનિનો આશ્રમ હતો તે જગ્યાએ હાલ એક મંદિર છે, જેમાં ગુરુની આરસની પ્રતિમા આવેલી છે. સાંદીપનિ મુનિના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના સ્થાનને અંકપાદ કહેતા, આજે પણ ઉજ્જૈનનો એ વિસ્તાર જ્યાં આ આશ્રમ હતો તે અંકપાદના નામથી ઓળખાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ "Srimad Bhagavatam Canto 10 Chapter 45". vedabase.net. મેળવેલ 2020-04-08.