સાર્વભૌમત્વ

વિકિપીડિયામાંથી
થોમસ હોમ્બસ લિવિઉફાનની ફન્ટીસ્પીસ (પુસ્તકની શરૂઆતની છબી), જ્યાં સાર્વભૌમને એક વિશાળ માણસ તરીકે દર્શાવામાં આવી છે જેના એક હાથમાં તલવાર અને એકમાં ઘર્મદંડ છે અને અનેક વ્યક્તિગત લોકોને રચનાઓને રજૂ કરવામાં આવી છે.

ઢાંચો:More footnotes કોઇ ભૌગાલિક વિસ્તાર, જેમ કે પ્રદેશ પર સ્વતંત્ર અને સર્વોચ્ચ સત્તા ધરાવવાની વિશેષતાને સાર્વભૌમત્વ કહેવાય છે.[૧][૨] તે સત્તામાં જોવા મળી શકે છે, જેથી શાસન કરી શકાય અને રાજકીય તથ્યના લીધે બંધ થયેલા કાયદાને તેના દ્વારા બનાવી શકાય છે, અને તેના માટે કોઇ પણ કાયદાકીય સ્પષ્ટતાની જરૂર નથી પડતી. રોમનોના સમય થી લઇને આજ દિવસથી સુધી, સમગ્ર ઇતિહાસમાં આ વિચાર પર વાદવિવાદ, ચર્ચા, અને પ્રશ્ન કરવામાં આવ્યા છે, જોકે તેનાથી તેની વ્યાખ્યા, વિચાર અને તેને લાગુ પાડવાની રીત હંમેશા બદલાતી રહી છે, ખાસ કરીને પ્રકાશ યુગ દરમિયાન. મોટેભાગે રાજ્ય સાર્વભૌમત્વનો હાલનો વિચાર વેસ્ટફેલિયાની સંધિ (1648) પરથી આવ્યો છે, જ્યાં રાજ્યનો સંબંઘ પ્રાદેશિક અખંડતાના મૂળભૂત સિદ્ધાંતની સંહિતાબદ્ધતા, સીમાની અનુલ્લંઘનીયતા, અને રાજ્યની સર્વોપરિતા (દેવળના બદલે) સાથે જોડાયેલો છે. એક સાર્વભૌમ તેના અધિકાર ક્ષેત્રમાં સર્વોચ્ચ કાયદો બનાવવાની સત્તા ધરાવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વિવિધ સંસ્કૃતિ અને સરકારો, સાર્વભૌમત્વનો અર્થ અલગ અલગ વિચારો તરીકે લેતા હતા.

પ્રાચીન સમયમાં[ફેરફાર કરો]

રોમન કાયદા નિષ્ણાત એલ્પીઅન જોયું કે:

  • લોકોની પરમસત્તા શાસકને પણ બદલી શકે છે.
  • શાસક કાયદાથી બંધાયેલો નથી હતો,
  • શાસકના શબ્દ જ કાયદો છે. શાસક કાયદાને બનાવે છે અને કાયમી બળ આપે છે.

એલ્પીઅન તેવો વિચાર વ્યક્ત કર્યો કે શાસક પૂર્ણ પ્રકારના સાર્વભૌમત્વનો અભ્યાસ કરતો હતો, જોકે તે આ પરિભાષાનો ઉપયોગ હેતુપૂર્વક નહતો કરતો. એલ્પીઅનું આ કથન મધ્યયુગીન યુરોપમાં જાણીતું હતું, પણ મધ્યયુગીન સમયમાં સાર્વભૌમત્વ મહત્વપૂર્ણ વિચાર ન હતો. મધ્યયુગીન શાસકો સાર્વભૌમ હતા, મજબૂતપણે તો નહીં જ, કારણકે તેઓ તેમના સામંતી અમીરશાહી સાથેની સહિયારી સત્તા ધરાવતા હતા અને તેમના દ્વારા લાચાર હતા. વધુમાં, બંન્ને લાચારીવશ મજબૂતપણે રિવાજોથી જોડાયેલા હતા.

મધ્યયુગીન[ફેરફાર કરો]

મધ્યયુગમાં સમય દરમિયાન સાર્વોભૌમત્વ ખાનદાની અને રાજવી લોકોના કાનૂની રીતના (ડે જૂરે) હકો તરીકે અસ્તિત્વ ધરાવતો હતો, વ્યક્તિગત રીતે હકીકતમાં (ડે ફેક્ટો) સામર્થ તેઓ પોતાના જીવનને પોતાની પસંદગીની રીતે બનાવી શકતા હતા.1380-1400ની સદીની આસપાસમાં, સ્ત્રી સાર્વભૌમત્વનો મુદ્દે જેફ્રી ચૌસરની મધ્યકાલીન અંગ્રેજી સંગ્રહ, કૈન્ટરબરી ટેલ્સ , તેમાં પણ ખાસ કરીને ધ વાઇફ ઓફ બાથ્સ ટેલ માં રજૂ કરાયો હતો.[૩]ત્યારબાદના ઇંગ્લિશ આર્થુરિયન રોમાંચમાં, ધ વેડિંગ ઓફ સર ગ્વૈન એન્ડ ડેમ રેગનેલ (c. 1450)[૪]માં પણ વાઇફ ઓફ બાથ્સની વાર્તા જેવા જ સમાન ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ પાર્શ્વભૂમિમાં ફેરફાર કરી કિંગ આર્થર અને તેમના નાઇટના રાઉન્ડ ટેબલને સમાવવામાં આવ્યા છે. આ વાર્તા ડેમ રેગનેલનાઇટ ગ્વૈનને પોતાની નવી નવવધૂ પત્ની બનાવવા માટે માન્યતા મેળવાની આસપાસ ધૂમ્યા કરે છે, જેનો સારાંશ મહિલાઓના સાર્વભૌમત્વ પર આધારીત છે.


ઢાંચો:Bquote

સુધારણા[ફેરફાર કરો]

16મી સદીમાં સાર્વાભૌમત્વની વિચારધારણા ફરીથી ઉદ્દભવી, એક સમયે, જ્યારે આંતરિક યુદ્ધ દ્વારા કેન્દ્રીય સત્તાને મજબૂત કરવાની ઝંખનાનો ઉદ્દભવી ત્યારે રાજાઓએ પોતાની સત્તા ખાનદાનની કિંમતે તેમના પોતાના હાથમાં લીધી, અને આધુનિક રાષ્ટ્ર રાજ્યોનો ઉદ્દય થયો. ફેન્ચના ધાર્મિક યુદ્ધની સંપૂર્ણ અવ્યવસ્થાના આંશિક પ્રતિક્રિયારૂપે જેન બોડિન અને ઇંગ્લિશ આંતરિક યુદ્ધ વખતે આંશિક પ્રતિક્રિયારૂપે થોમસ હોબ્સે સાર્વભૌમત્વના સિદ્ધાંતને રજૂ કર્યો અને તેને સંપૂર્ણ રાજશાહીના સ્વરૂપે મજબૂત કેન્દ્રીય સત્તા માટે જરૂરી કહ્યો.1576ના તેમના વિવરણમાં સીક્સ લીવરેસ ડે લા રિપ્બલીક્યુ (સીક્સ બુક્સ ઓફ ધ રિપબ્લિક) બોડીને દલીલ હતી કે રાજ્યની પ્રકૃતિ પ્રમાણે સાર્વભૌમત્વ આ મુજબ હોવું જોઇએ:

  • સંપૂર્ણ: આ મુદ્દે તેમનું કહેવું હતું કે સાર્વભૌમનો શરતા અને ફરજોથી બચાવ ન કરવો જોઇએ, તે પોતાના આશ્રિતોની સંમતિ સિવાય પણ કાયદા ઘડવા સક્ષમ હોય, તેના પૂર્વજોના કાયદાથી તે બંધાયેલો ના હોય, અને તેવું હોવું પણ ના જોઇએ, કારણ કે તે તર્ક વિરુદ્ધનું છે, તથા તે તેના પોતાના કાયદાઓથી બંધાયેલો હોવો જોઇએ.
  • કાયમનું: કટોકટીમાં એક મજબૂત નેતા તરીકે હંગામી પ્રતિનિધિ કે ન્યાયાધીશ તરીકે રાજ્યના એક કર્મચારી તરીકે નહીં. તે તેવા પ્રકારની સાર્વભૌમત્વ ઘરાવતો હોય છે, જે અખંડ હોય, કારણકે શાસન સત્તા પર એક સમય સીમા લાદવાની સત્તા વાળો કોઇ પણ વ્યક્તિ શાસન સત્તાથી ઉપર હોવો જોઇએ, જો શાસન સત્તા શાશ્વત ના હોય તો તે શક્ય ન બની શકે.

બોડીન સાર્વભૌમત્વમાંથી લોકોના સાર્વભૌમના સ્થળાંતરના વિચારને નકારે છે; પ્રાકૃતિક કાયદો અને દૈવીય કાયદો સાર્વભૌમથી શાસન કરવાના હકની સલાહ આપે છે. અને સાર્વભૌમ દૈવી કાયદા અને પ્રાકૃતિક કાયદાથી ઉપર નથી. તે હકારાત્મક કાયદો કે જે મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યો હતો, માત્ર તે તેની ઉપર છે (એટલે કે તે તેના દ્વારા નિયંત્રિત નથી). સાર્વભૌમને દૈવીય અને પ્રાકૃતિક કાયદાને ફરજિયાતપણે અનુસરવું પડશે તે હકીકત તેની પર નૈતિક દબાણ લાદે છે. બોડીને ફેન્ચ રાજાશાહીના મૂળભૂત કાયદા લોઇસ રોયલ્સ , કે જેમાં વારસા જેવી નિયમિત બાબતોને પ્રાકૃતિક કાયદો માનવામાં આવતો હતો, અને તેને ફેન્ચ સાર્વભૌમ દ્વારા ફરજિયાત કરવામાં આવ્યો હતો. બોડીનના દર્શનશાસ્ત્રનું એક સમસ્યારૂપી લક્ષણ તે હતું કે વ્યવહારીક રીતે કઈ રીતે પવિત્ર અને પ્રાકૃતિક કાયદા સાર્વભૌમત્વ(ના વિચાર) પર લાદી શકાય: જે કોઈ વ્યક્તિ આ કાયદાઓ પોતાની પર લાદવા માટે સક્ષમ હશે, તે (હકીકતમાં) આ (કાયદાની) પર હશે. બોડીનનો પોતાનો આપખુદી ઝૂકાવ હોવા છતાં વ્યવહારમાં કેવી રીતે સરકારનું સાશન ચાલવાનું તે અંગે તેમના ઉદાર વિચાર હતા. તેણે માન્યું કે સાર્વભૌમ અનુગૃહીત નથી, તેમ છતાં તે તેમના માટે સલાહભર્યું છે, અને અભ્યાસ કરવામાં પણ લાભદાયી, જેથી એક એકત્રિત રાજ્યસભામાંથી તે સલાહ મેળવી શકે, કાયદાના વ્યાવહારિક શાસન માટે ન્યાયાધીશને કેટલીક સત્તા આપી શકે, અને લોકો સાથે સંયોગના હેતુ માટે સ્થાવર મિલકતોનો ઉપયોગ કરી શકે.તેના મત મુજબ સાર્વભૌમત્વને દૈવીય મત દ્વારા બક્ષવામાં આવ્યું છે, બોડિન રાજાઓના દૈવીય હકની તકને ફરીથી વ્યાખ્યાયિત કરવા માંગતા હતા.

પ્રકાશ યુગ[ફેરફાર કરો]

હોબ્બસે, લિવિઉફાન (1651)ના સામાજિક કરારના (કે કોન્ટ્રાટેરીયન) સિદ્ધાંતના એક શરૂઆતી વૃતાંન્તમાં તેની રજૂઆત કરી હતી, તેની દલીલ હતી કે "બીભત્સ, ક્રૂર અને ટૂંકી" ગુણવત્તાવાળા જીવન પર પ્રભુત્વ મેળવવા માટે અન્ય કોઇ વ્યક્તિનો સહકાર બહુ જરૂરી છે, લોકોએ "રાષ્ટ્રસમૂહ"માં જોડાવું જ જોઇએ અને એક "સાર્વભૌમ [sic] સત્તા" કે જે તેમને સહિયારા લાભનું કામ કરવાની તેમની પર ફરજ પાડે તેની શરણે જવું જોઇએ. આ અનુકૂળ દલીલે સાર્વભૌમત્વના અનેક શરૂઆતી સમર્થકોને તેની તરફ આકર્ષિત કર્યા. હોબ્બસે સાર્વભૌમત્વની વ્યાખ્યામાંથી અનુમાન કર્યું કે તે આ પ્રમાણે જ હોવી જોઇએ:

  • સંપૂર્ણ: કારણકે સાર્વભૌમ પર ત્યારે જ શરતો લાદી શકાય જ્યારે કોઇ બહારના મધ્યસ્થી તેવું નક્કી કરીને તેમનું ઉલ્લંઘન કરે, આવા કિસ્સામાં સાર્વભૌમને સંપૂર્ણ સત્તા ના હોઇ શકે.
  • અવિભાજ્ય: સાર્વભૌમ તેના પ્રદેશની એકમાત્ર અંતિમ સત્તા છે; તે તેની આ અંતિમ સત્તા અન્ય કોઇ પણ સત્તા જોડે ફાળવી ના શકે. હોબ્બસે જોયું કે આ વાત સાચી હતી કારણકે અન્યથા અનેક સત્તાઓની વચ્ચેના મતભેદ પર નિર્ણય કરવાનો અન્ય કોઇ રસ્તો નહીં રહે.

હોબ્બસના પૂર્વસિદ્ધાન્ત મુજબ શાસનકર્તાનું સાર્વભૌમત્વ લોકો અને તેના વચ્ચે કરાર છે, જેના બદલમાં તે તેઓની સલામતીને જાળવી રાખે છે, આ વિચારે તેને તે અનુમાન પર દોરી ગયો કે જો શાસનકર્તા આમ કરવામાં નિષ્ફળ જાય તો લોકો પણ તેની અનુસરવાની તેઓની ફરજ માંથી મુક્ત થઇ શકે છે.બોડીન અને હોબ્બસના સિદ્ધાંતોએ સાર્વભૌમત્વના વિચારને એક નિર્ણાયક આકાર આપ્યો હશે, જેને આપણે સામાજિક કરારના સિદ્ધાંતમાં ફરીથી જોઇ શકીએ છીએ, ઉદાહરણ તરીકે રૂસોની (1712–1778) લોકપ્રિય સાર્વભૌમત્વની વ્યાખ્યા (પૂર્વગામી ફ્રાન્સિસ્કો સુઆરેઝની સત્તાના મૂળના સિદ્ધાંતની સાથે), કે જેમાં એક જ વાતનો ફરક છે કે તે લોકોની કાયદેસરની સાર્વભૌમમાં માને છે. વધુમાં, તે અવિચ્છેદ્ય છે - રૂસો સાર્વભૌમત્વના અભ્યાસ અને તેના મૂળની વચ્ચેના તફાવતની નિંદા કરી, એક તેવો તફાવત કે જેની પર બંધારણીય રાજશાહી કે પ્રતિનિધિત્વ લોકોશાહી આધારિત છે. નિકોલો માકીવેલ્લી, થોમસ હોબ્બસ, જોહ્ન લોકે અને મોન્ટેસક્યુ, સાર્વભૌમત્વના વિચારને સ્પષ્ટ કરનાર મહત્વના લોકો છે.

જીન-જેક્સ રૂસોનું બીજું પુસ્તક ડુ કોન્ટ્રાન્ટ સોસીયલ, ઉ પ્રિન્સપીસ ડુ ડ્રોઇટ પોલીટીક (Du Contrat Social, ou Principes du droit politique) (1762)માં સાર્વભૌમત્વ અને તેના હકો વિષે વાત કરવામાં આવી છે. સાર્વભૌમત્વ, કે સામાન્ય સંમતિ, અવિચ્છેદ્ય છે, આ સંમતિ બદલી શકાતી નથી તે અવિભાજ્ય છે, જ્યાં સુધી તે અનિવાર્યપણે સામાન્ય છે, ત્યાં સુધી તે અચૂક રીતે હંમેશા ન્યાયી, નિર્યાણક અને સામાન્ય લાભ દ્વારા તેની સત્તાથી મર્યાદિત છે, તે કાનૂના માધ્યમથી કાર્ય કરે છે. કાયદો સામાન્ય સંમતિનો નિર્ણય છે, જેમાં સમાન હિતોના કેટલાક હેતુ પર ધ્યાન આપવામાં આવ્યું છે, પણ સામાન્ય સંમતિ હંમેશા ન્યાયી અને લાભની ઇચ્છાને ધ્યાનમાં રાખીને બનેલી છે, તેનો ન્યાય હંમેશા બોધ આપે તેવું નથી હોતું, અને પરિણામે તે હંમેશા જેમાં સમાન લાભ હોય તેને જ જુએ તેવું જરૂરી નથી, માટે જ કાયદા ઘડનારની જરૂર પડે છે. પણ ન્યાય ઘડનારની પાસે કોઇ સત્તા નથી હોતી, તે માત્ર એક માર્ગદર્શક હોય છે, જે કાયદાનો મુસદ્દો બનાવી દરખાસ્ત રજૂ કરે છે, પણ ખાલી લોકો (આ, સાર્વભૌમ કે સામાન્ય સંમતિ છે) પાસે જ તેને બનાવવાની અને પોતાની પર લાગુ પાડવાની સત્તા હોય છે. રૂસો, તેના 1763 વિવરણ ઓફ ધ સોશિઅલ કોન્ટ્રેક્ટ માં[૫] તેવી દલીલ કરી હતી કે, "રાજ્યનો વિકાસ, સત્તાના ટ્રસ્ટીઝને તેમની સત્તાનો દુરઉપયોગ કરવાના વધુ રસ્તાઓ આપે છે, જેમ સરકાર લોકોને બાંધી રાખવા બળ કરે, તેમ બીજી તરફ વધુ બળ સાર્વભૌમ કરે શકે જેથી સરકાર કાબૂમાં રહે. તેવી સમજ સાથે કે સાર્વભૌમ એક 'ચમત્કારિક સામુહિક બળ' છે (પુસ્તક II, પ્રકરણ I) જેને વિષે લોકોની "સામાન્ય સહમતી" બને કે "કેમ કોઇ પણ માણસ, ભલે કે ગમે ત્યાં હોય, પોતાના પર હુકમ કરે, તે એક કાયદો નથી" (પુસ્તક II, પ્રકરણ VI) – આ ધારણા તેના એવા અનુમાને બંધાઈ કે લોકો નિષ્પક્ષ રીતે જ કોઈ વિષયમાં સામાન્ય સહમતી બનાવતા હોય છે. જોકે કાયદાકીય સિદ્ધાંત મુજબ એક સાર્વભૌમ ન હોય તો કોઇ પણ કાયદો ન બની છે.

1789ના ફેન્ચ ક્રાંતિ સાર્વભૌમત્વના અધિકારથી ખસીને રાષ્ટ્ર અને તેના લોકોના સાર્વભૌમ શાસક તરફ ફંટાઇ ગઇ.કાર્લ શ્મીત્તે સાર્વભૌમત્વને 'રાજ્યની અસાધારણ પરિસ્થિતિ નક્કી કરવાની સત્તા' તરીકે વ્યાખ્યાયિત કર્યું. આ પ્રયત્ન, જ્યોર્જએગમ્બેન, વોલ્ટર બેન્જામીનના એ સિધ્ધાંતની વિરુદ્ધમાં છે કે જેમાં કોઈ પણ હિંસા મૂળભૂત રૂપે જ કાયદાથી અલગ પાડેલી છે. જોર્જીસ બેટિયલના સાર્વભૌમત્વના સુધારવાદી વિચાર, કે જેને એક પ્રતિ-સાર્વભૌમત્વ પણ કહી શકાય, તેને પણ અનેક વિચારકોને જેમ કે જૈક ડેરિડા, એગમ્બેન કે જેન લ્યૂક નૈન્સીને પ્રેરણા પૂરી પાડી.

વ્યાખ્યા અને પ્રકારો[ફેરફાર કરો]

ઢાંચો:Cquote2

સંપૂર્ણતાવાદ[ફેરફાર કરો]

સાર્વભૌમત્વનો મહત્વનું પરિબળ તેનો સંપૂર્ણતાવાદ હતો. સાર્વભૌમ સત્તામાં સંપૂર્ણ સાર્વભૌમત્વ હતું, જેમાં તેના પ્રાન્તમાં તે કોઇ પણ કાર્ય કરી શકે છે અને તમામ વસ્તુઓ પર પોતાનો અમર્યાદિત નિંયત્રણનો અધિકાર ધરાવે છે. તેનો અર્થ એવો કરી શકાય કે તેને બંધારણ, તેના પૂર્વજોએ બનાવેલા કાયદા, કે રિવાજો દ્વારા, અને કાયદાની મર્યાદા કે આચરણ દ્વારા નિયંત્રિત ના કરી શકાય અને તેને તેના નિયંત્રણથી બહાર હોવાની રીતે મર્યાદિત કરી શકાય છે. ઉદાહરણ માટે, માતા પિતા તેઓના બાળકોના ઉછેરની કેટલીક બાબતોમાં સાચો નિર્ણય લીધો છે તેની ખાતરી નથી આપતા, નગરપાલિકા પણ કેટલાક સ્થાનિક મુદ્દાઓમાં તેના હસ્તક્ષેપથી સ્વતંત્ર રહેવાની ખાતરી નથી આપતી, વગેરે. સિદ્ધાંત બનાવનારાઓએ જરૂરિયાત કે સંપૂર્ણતાની ઇચ્છાને જુદી જુદી દિશામાં મોકલી દીધી છે. ઔતિહાસિક રીતે તે બાબત પણ શંકાસ્પદ છે કે કોઈએ સાર્વભૌમ સત્તાને પૂર્ણ સંપૂર્ણતાથી ભોગવી હશે કે નહીં, ખરેખરમાં કોઈ એકને તેનો અમલ કરવાની સત્તા અપાઇ હતી કે કેમ.[સંદર્ભ આપો]

વિશિષ્ટતા[ફેરફાર કરો]

સાર્વભૌમત્વનું મુખ્ય ઘટક કાયદાકીય રીતે અધિકારક્ષેત્રની વિશિષ્ટતા છે. ખાસ કરીને, જ્યારે એક સાર્વભૌમત્વ અસ્તિત્વ દ્વારા એક નિર્ણય લેવામાં આવે છે, ત્યારે તેને તેનાથી ઊંચી સત્તા દ્વારા નામંજૂર નથી કરી શકાતી, મોટેભાગે અન્ય રાજ્યો દ્વારા.

કાયદેસર રીતે અને વાસ્તવિક (ડે જુરી અને ડી ફેક્ટો)[ફેરફાર કરો]

કાયદેસર રીતે (ડે જુરી), કે કાયદો , સાર્વભૌમત્વ એક વિષય પર સંપૂર્ણ નિયંત્રણ કરવા માટેનો સિદ્ધાંતિક અધિકાર છે.

વાસ્તવિક (ડી ફેક્ટો), કે પ્રત્યક્ષ, સાર્વભૌમત્વના હયાત નિયંત્રણની સાથે લાગુ પડે છે. તેના બે અલગ અલગ અભિગમ હોઇ શકે છે:

  1. શાસન સત્તા પાસે પૂરતી શક્તિ (પોલીસ, ઇત્યાદી) છે જેથી તે તેના આશ્રિતને જબરદસ્તી પોતાની આજ્ઞા પળાવી શકે? (જો આમ હોય તો, વાસ્તવિક સાર્વભૌમત્વના એક પ્રકાર કે જેને હયાત ફરજ પાડતું સાર્વભૌમત્વ કહેવાશે.)
  2. શું શાસન સત્તાના આશ્રિતો (પ્રજા)ને અનુસરવાની આદત છે?

સામાન્ય રીતે કાયદાકીય હકો માટે જ સાર્વભૌમત્વ લાગુ પડે છે, પણ તે આવી સત્તાનો પ્રત્યતક્ષ અભ્યાસ છે. "તેવું કોઇ કાયદેસર ની સાર્વભૌમત્વ નથી જેમાં વાસ્તિવક સાર્વભૌમત્વ ના હોય." બીજા શબ્દોમાં, સાર્વભૌમની જાહેરાત કે દાવો કરવો કે સાર્વભૌમની સત્તાનો ખાલી અભ્યાસ પૂરતો નથી સાર્વભૌમત્વ માટે બંન્ને ઘટકો માટે જરૂરી છે.

આંતરિક[ફેરફાર કરો]

આંતરિક સાર્વભૌમત્વ સાર્વભૌમ સત્તા અને તેના આશ્રિતો (પ્રજા) વચ્ચેનો સંબંધ છે. તે મુખ્યત્વે કાયદેસરતાની સાથે સંબંધ ધરાવે છે જે મુજબ કયા હકથી રાજકીય એકમ (કે વ્યક્તિ) આવી સત્તા તેના આશ્રિતા (પ્રજા)ની ઉપર અનુસરવાનો હક છે? શક્ય ઉકેલમાં રાજાઓનો પવિત્ર હક કે સામાજિક કરાર (પ્રસિદ્ઘ સાર્વભૌમત્વનો સમાવેશ થાય છે.

બાહ્ય[ફેરફાર કરો]

બાહ્ય સાર્વભૌમત્વ એક સાર્વભૌમ સત્તા અને અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે. કોઇ વિસ્તાર પરના સાર્વભૌમત્વ અંગે અન્ય રાજ્યોની રાજકીય સત્તા અંગે યુનાઇટેડ કિંગડમ આ મુજબ માપદંડાનો ઉપયોગ કરી નિર્ણય લે છે, ઉદાહરણ માટે એક લાક્ષણિક માપદંડ કે જે રાજ્ય નિર્ણય લેતી વખતે ઉપયોગમાં લે છે, જે આ પ્રમાણે છે: ઢાંચો:Cquote2 બાહ્ય સાર્વભૌમત્વ આંતરાષ્ટ્રિય કાયદાને લગતા પ્રશ્નોથી જોડાયેલું છે, જેમ કે ક્યારે, જો તેવું શક્ય હોય તો એક રાષ્ટ્ર દ્વારા અન્ય રાષ્ટ્રના વિસ્તારમાં હસ્તક્ષેપ કરવાની છૂટ છે તેવી રીતે.

ત્રીસ વર્ષના યુદ્ધ પછી, મોટાભાગનો ખંડ એક યુરોપીયન ધાર્મિક સંધર્ષમાં મૂકાઇ ગયો હતો, 1648માં વેસ્ટફેલિયાની શાંતિએ ક્ષેત્રીય સાર્વભૌમત્વના વિચારને સ્થાપિત કર્યો, આ વિચાર જેને વેસ્ટફેલિયન સાર્વભૌમત્વ કહેવાતો હતો તે અન્ય રાષ્ટ્રોના મુદ્દાઓમાં હસ્તક્ષેપ ન કરવાના વિચારને રજૂ કરતો હતો, જોકે જે મૂળભૂત સંધિ પવિત્ર રોમન શાસનના વિવિધ સ્તરના સાર્વભૌમત્વની પુષ્ટિ કરતી હતી. જેના પરિણામે જૂના સિદ્ધાંત cuius regio, eius religio (જેનો પ્રદેશ, તેનો ધર્મ)નો સ્વાભાવિક રીતે ફેલાવો થયો, જેના લીધે અનેક યુરોપીયન રાજ્યના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાની અંશત ક્ષમતા રોમન કેથલિક ચર્ચ પાસે રહી. એવી માન્યતા છે કે વેસ્ટફેલિયાની સંધિએ એક નવા યુરોપીયન હુકમની રચના કરી જેથી રાજ્યોને સમાન સાર્વભૌમત્વ આપી શકાય.[૬]

આંતરાષ્ટ્રિય કાયદામાં, સાર્વભૌમત્વનો મતલબ એક એવી સરકારી પ્રક્રિયા જેમાં સરકાર પોતાના વિસ્તાર કે ભૌગોલિક વિસ્તાર કે હદની અંદર આવતા કામો પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે છે. કોઇ ચોક્કસ સત્તા સાર્વભૌમ છે કે નહીં તેનું કોઇ ચોક્કસ વિજ્ઞાન નથી, પણ મોટેભાગે તે રાજનૈતિક મતભેદ પર આધાર રાખે છે. મોટેભાગે તેવી અપેક્ષા રખાય છે કે કાયદેસર રીતે અને વાસ્તવિક સાર્વભૌમત્વ એક જ સ્થળ અને સમય પર હયાત હોય અને બાકી બધી વસ્તુ પણ સમાન વ્યવસ્થામાં હોય. વિદેશી સરકારો એક વિસ્તારના સાર્વભૌમત્વ કરતાં એક રાજ્યના સાર્વભૌમત્વને વધુ ઓળખે છે, કે પછી તેવું કરવાની નામંજૂરી બતાવે છે.

ઉદાહરણ તરીકે, સિદ્ધાંત મુજબ, મેઇનલેન્ડ ચીન અને તાઇવાનની તમામ વિસ્તાર પર પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન અને રિપબ્લિક ચીન બંન્ને પોતાની જાતને સાર્વભૌમ સરકાર ગણાવે છે. જોકે કેટલીક વિદેશી સરકારો રિપબ્લિક ઓફ ચીનને પ્રમાણભૂત રાજ્ય તરીકે ઓળખે છે, મોટાભાગના હવે પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનને હવે ઓળખે છે. જોકે, વાસ્તવિકતામાં, પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન માત્ર મેનલેન્ડ ચીન પર જ અધિકારક્ષેત્ર ધરાવે છે તાઇવાન પર નહીં, જ્યારે રિપબ્લિક ઓફ ચાઇના માત્ર તાઇવાન અને કેટલાક બહારના ટાપુઓ પર જ અધિકારક્ષેત્ર ધરાવે છે પણ મેનલેન્ડ ચીન પર નહીં. સાર્વભૌમ ઉચ્ચ પક્ષોની વચ્ચે જ આ એલચીઓની, બદલી થાય છે, રાષ્ટ્રો વાસ્તવિક રીતે જનવાદી ગણરાજ્યને માન્ય કરે છે, કાયદાકીય સાર્વભૌમને નહીં, ઓફિસ ઓફ રિપ્રેજેન્ટેશન દ્વારા ગણરાજ્ય સાથે રાજનૈતિક સંબંધો રાખવામાં આવે છે, જેમ કે તાઇવાઇમાં અમેરિકાની એલચી નથી, તાઇવાનમાં અમેરિકન સંસ્થાન છે.

જ્યારે કોઇ સાર્વભૌમ ભાગ પાસે કોઇ પ્રદેશ ન હોય કે પછી અન્ય સત્તા હેઠળ તેનો આંશિક કે સંપૂર્ણ પ્રદેશ હોય ત્યારે પણ તેને સાર્વભૌમત્વ તરીકે ઓળખી શકાય છે. 1870માં, ઇટલીના પેપલ રાજ્યોના જોડાણ અને 1929માં લેટરન સંધિ પર થયેલા હસ્તાક્ષરને લીધે હોલી સી આ સ્થિતિમાં આવ્યું હતું, ત્યારે તેને અનેક રાજ્યો દ્વારા, તેની પાસે કોઇ પણ વિસ્તાર ના હોવા છતાં, તેને સાર્વભૌમ (ખાસ કરીને રોમન કેથોલિક દ્વારા) તરીકે ઓળખવામાં આવ્યું હતું, છેવટે આ પરિસ્થિતિનો અંત ત્યારે આવ્યો જ્યારે લેટરન સંધિ દ્વારા વેટિકન સીટી પર હોલી સીને સાર્વભૌમત્વને મંજૂરી અપવામાં આવી. આવો જ એક અન્ય કિસ્સો છે સુઇ જેનેરીસ નો જે હંમેશા જ વિવાદાસ્પદ રહ્યો છે, સુઇ જેનેરીસ માલ્ટાના સાર્વભૌમ લશ્કરી અધિકૃત છે, જે ઇટાલિયન ક્ષેત્રની અંદર આવેલી ત્રીજી સાર્વભૌમ સત્તા (સાન મારિનો અને વેટિકન સીટી રાજ્ય બાદ) છે અને ઇટાલિયન રાજધાની હેઠળ તે બીજા ક્રમ પર છે (1869થી પાલાઝો ડી માલ્ટા અને વિલા માલ્ટા વધારાના ક્ષેત્રના હકો મેળવ્યા હતા, જેથી તે આધુનિક ક્રમના સાર્વભૌમ પ્રદેશિક અધિકારોવાળું બની શકે છે), કે જે મુજાહિદ રાજ્યની સાર્વભૌમ લશ્કરી અધિકૃત, કે જેનું એક વખત મહત્વનું સ્થાન હતું તેમાંથી એકતેના છેલ્લા હયાત વારસદાર હતા. હોલી રોમન સમ્રાટ દ્વારા 1607માં તેના મુખ્ય નિયંત્રકો (ગ્રાન્ડ માસ્ટર્સ)ને પણ રૈહફુર્સ્ટ (Reichsfürst) (હોલી રોમન સામ્રરાજ્યના રાજકુમારો) બનાવવામાં આવ્યા, અને તેમને રૈહસ્ટાગમાં બેઠકોની પણ મંજૂરી આપી, તે સમયે તેનો સૌથી નજીકના કાયમી સમાનાર્થ યુએન (UN)ના જેવી સામાન્ય સભા હતી, જેની સ્વીકૃતી 1620માં મળી.

 આ સાર્વભૌમ હકો પર ક્યારેય કોઇ સ્પષ્ટતા થઇ નથી, માત્ર 100 આધુનિક રાજ્યોએ તેમના પ્રદેશો ગુમાવ્યા છે, તેમ છતાં હુકમ[૭] સાથે તેઓએ સંપૂર્ણ લોકશાહી સંબધો જાળવી રાખ્યા છે (હાલ હકીકતમાં  સૌથી પ્રતિષ્ઠિત સેવા મંડળી), અને યુએને (UN) તેના નિરીક્ષકોને સમાન્નિત કર્યા હતા.

નિર્વાસિત સરકારોમાંથી અનેક યુરોપીયન રાજ્યો ઉદાહરણ તરીકે નોર્વે, નેધરલેન્ડ કે ઝેકોસ્લોવાકિયા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાર્વભૌમના મતભેદના કારણે તેમના પ્રદેશો વિદેશી કાબુ હેઠળ જતા રહ્યા હતા, આ કબજાનો અંત તેઓના શાસનકાળની શરૂઆત થતા આવી ગયો હતો. 1990-1991 દરમિયાન કુવૈતની સરકાર આવી સામસામે ની સ્થિતિમાં હતી જ્યારે તેનું રાષ્ટ્ર ઇરાકીઓના કાબુમાં હતું

અન્ય આવો જ એક કિસ્સો છે રેડ ક્રોસની આંતરાષ્ટ્રિય કમિટિનો, જે સ્વિટ્ઝલેન્ડમાં નોંધાયેલી એક ખાનગી સંસ્થા છે, જે અનેક રાષ્ટ્રોમાં વિવિધ શ્રેણીના ખાસ હકો અને કાયદાકીય સુરક્ષિતતા ધરાવે છે,ઢાંચો:Which? આ કિસ્સામાં સ્વિટ્ઝલેન્ડ તેને [૮] આ રીતે ગણે છે, અને વાસ્તવિક સાર્વભૌમત્વ તરીકે[કોના દ્વારા?] આ રીતે વર્ણવે છે, પણ તે એક સાર્વભૌમ સત્તા નથી.

ભાગીદારી[ફેરફાર કરો]

રાજ્યની મુખ્ય ઓફિસની જેમ (સાર્વભૌમત્વનો તેની પર હક હોય કે ના હોય) એક રાજ્યની અંદર કેટલાક લોકોનો સંયુક્ત હક હોઇ શકે છે, એક રાજકીય ક્ષેત્ર પર સાર્વભૌમ અધિકારક્ષેત્ર બે કે વધુ સંમત સત્તાનો સંયુક્તરીતે ભાગ હોઇ શકે છે, નોંધનીય રીતે એક સંયુક્ત હકૂમત કે (એન્ડોરામાં હજી પણ છે) એક સહ રાજ્યના પ્રકાર તરીકે આવું બની શકે.

આદિવાસી[ફેરફાર કરો]

રાષ્ટ્ર-રાજ્યો[ફેરફાર કરો]

સ્વ નિર્ધારના હકનો દાવા કરતા, રાષ્ટ્રો, મોટે ભાગે સાર્વભૌમ રાજ્ય પોતાની માટે સ્થાપિત કરતા હોય છે જે રાષ્ટ્ર-રાજ્યોની રચના કરે છે. એક મહત્વકાંક્ષી રાષ્ટ્ર-રાજ્યને એક બનવા માટે અન્ય રાષ્ટ્ર-રાજ્ય દ્વારા સાર્વભૌમત્વ તરીકે ઓળખાવું જરૂરી છે.

સંઘરાજ્યો[ફેરફાર કરો]

સમવાય પ્રણાલીની સરકારમાં, સાર્વભૌમત્વ ને પણ અધિકાર તરીકે ઉલ્લેખવામાં આવે છે, કે જેમાં રાજ્ય સરકાર સ્વંતત્રપણે રાષ્ટ્ર સરકાર પર સ્લામિત્વ ધરાવે છે. જો કોઇ રાષ્ટ્રની સરકારનું સાર્વભૌમત્વ રાજ્યના સાર્વભૌમત્વ કરતા વઘુ હોય કે તેનાથી ઉલટું હોય તો તે રાષ્ટ્ર સ્વતંત્ર છે કે સમવાયી (જેમ કે સંયુક્ત રાષ્ટ્રો) તે આ વાત પરથી નક્કી થાય છે. રાજ્યોના હકોના વિવાદે અંતે અમેરિકન નાગરિક યુદ્ધની શરૂઆત કરવામાં ફાળો આપ્યો હતો.

પ્રાપ્તિ[ફેરફાર કરો]

સાર્વભૌમત્વની પ્રાપ્તિની અનેક પદ્ધતિ હાલ હાજર છે કે ઐતિહાસિકરીતે આંતરાષ્ટ્રિય કાયદા તરીકે કાયદેસરની પદ્ધતિ તરીકે જેને ઓળખવામાં આવી છે, જેના દ્વારા એક રાજ્ય ક્ષેત્ર પર સાર્વભૌમત્વ મેળવી શકાય છે.

ન્યાયપૂર્વક બચાવો[ફેરફાર કરો]

સાર્વભૌમત્વને નૈતિક આધાર પર જોવા માટે વિવિધ મતો છે. બે સિદ્ધાંતો એક મૂળભૂત ધ્રુવભિમુખતા બતાવે છે, એક સિદ્ધાંતો દાવો કરે છે કે દૈવીય હક કે પ્રાકૃતિક હક દ્વારા સાર્વભૌમત્વ પ્રત્યક્ષ રીતે સાર્વભૌમ પર હક કરી શકે છે, અને અન્ય સિદ્ધાંતોનો દાવો છે કે તે લોકોનો હક છે. પાછળના કિસ્સામાં વધુ વિભાગો થયા તેમાંથી કેટલાકે જાહેર કર્યું કે લોકો તેઓની સાર્વભૌમત્વતાને સાર્વભૌમમાં બદલી દેવી જોઇએ (હોબ્બસ), અને કેટલાક લોકોનો દાવો હતો કે લોકોએ તેમની સાર્વભૌમત્વતા જાળવી રાખવી જોઇએ (રૂસો).

  • પ્રચલિત સાર્વભૌમત્વ ના વિચાર પર લોકશાહી આધારીત છે. પ્રતિનિધિત્વ લોકોશાહીઓ એક સાર્વભૌમત્વના અભ્યાસને બદલવાની છૂટ આપે છે જે લોકોથી સંસદ કે સરકારને મળે છે. સંસદની સર્વભૌમત્વતા એક લોકશાહી પ્રતિનિધિત્વને સંદર્ભે છે જ્યાં લોકસભા સાર્વભૌમત્વને મૂળ પણે હોય અને સત્તાને બહાલી આપી છે.
  • પ્રજાસત્તાક સ્વરૂપ ધરાવતી સરકાર એ સ્વીકારે છે કે સાર્વભૌમ સત્તા લોકોના વ્યક્તિગત-પણા પર આધારીત છે, પરંતુ સંગઠિત કે એકરૂપ મુક્ત નાગરિકો તરીકે નહીં, જે લોકશાહીના બીજા પ્રકારમાં જોવા મળે છે. કોઇ પણ બહુમતી લધુમતીને તેઓના સાર્વભૌમ હકો અને સત્તાથી વંચિત ના કરી શકે.
  • સંપૂર્ણ રાજશાહીઓ લાક્ષણિક રીતે રાજાના દૈવીય હકની માન્યતા પર આધારીત હોય છે કે પછી તેવી જ સમાનતા વાળા ચાઇનીઝ વિચાર સ્વર્ગના આદેશ પર.

મતો પર[ફેરફાર કરો]

  • વાસ્તવાદીઓ સાર્વભૌમત્વ એક અસ્પુશ્ય અને એક કાયદેસરના રાષ્ટ્ર-રાજ્યની જવાબદારી તરીકે જુએ છે
  • બુદ્ધિવાદીઓ પણ વાસ્વવાદીઓની રીતે જ સાર્વભૌમત્વને જુએ છે. જો કે બુદ્ઘિવાદીઓનું કહેવું છે કે એક રાષ્ટ્ર-રાજ્યનું સાર્વભૌમત્વ માનવ અધિકારોના દુરુપયોગ જેવી આત્યંતિક પરિસ્થિતિમાં ખંડિત થઇ શકે છે.
  • આંતરાષ્ટ્રીયવાદી તેમની વૈશ્વિક સમુદાયની માન્યતા સાથે, સાર્વભૌમત્વને જૂનું અને શાંતિને મેળવવામાં બિનજરૂરી નડતરરૂપ માને છે. સાર્વભૌમ રાજ્યો જેવા કે હિટલરનું જર્મની કે સ્ટાલિનનું સોવિયટ યુનિયર દ્વારા સત્તાના દુરુપયોગના મુદ્દે તેઓની તેવી દલીલ છે કે માનવમાત્રને રાજ દ્વારા રક્ષણ નથી આપવામાં આવતું પણ રાજ્યના નાગરિકોને આ રક્ષણ મળે છે. અને (જેના બદલામાં) તેઓ રાજ્યના સાર્વભૌમત્વને માન આપે છે. અને યુએનના (UN) વિશેષાધિકાર કે જેની પર રાજ્ય સાર્વભૌમત્વ આધારીત છે તે માનવ હિત સમર્થક હસ્તક્ષેપમાં અડચણરૂપ છે.[૬]
  • અરાજકતાવાદીઓ અને કેટલાક મુક્તિવાદીઓ રાજ્યો અને સરકારોની સાર્વભૌમત્વતાને નકારે છે. અરાજકતાવાદીઓ, એક ચોક્કસ વ્યક્તિગત પ્રકારની સાર્વભૌમત્વ અંગે હંમેશા દલીલ કરે છે, જેમ કે એનાર્ક તરીકે એક સાર્વભૌમ વ્યક્તિત્વ. સાલ્વડોર ડાલી, ઉદાહરણ તરીકે, "એનર્કો-રાજ્યતંત્રવાદી"ની ચર્ચા (તેમના માટે સામાન્ય રીતે, હળવાશ ભરી શૈલીમાં); એન્ટોનીન અર્ટોડ ની હીલીઇગીબેલસ: કે, ધ ક્રાઉન્ડ ઍનાર્કિસ્ટ ; મેક્સ સ્ટનર ની ધ ઇગો એન્ડ ઇટ્સ ઓન ; જોર્જિસ બાટેઇલ અને જૈક ડેરિડા ની પ્રતિ-સાર્વભૌમત્વનો એક પ્રકાર. માટે જ અરાજકતાવાદીઓ પોતાના સાર્વભૌમ તરીકેના વ્યક્તિગત રીતે આદર્શ વિચારમાં જોડાયા, જેણે રાજકીય સચેતનાના મૂળ સ્થાપ્યા. એકીકૃત ચેતના પોતાના ભાગ પરની સાર્વભૌમત્વતા છે, નીત્શે જે રીતે પ્રદર્શિત કરી તે રીતે (પિયરે ક્લોસ્સોસ્કીનું પુસ્તક નીત્શે એન્ડ ધ વેશિયસ સર્કલ પણ જુઓ). સ્વ-સ્વામિત્વ પણ જુઓ .
  • સામ્રાજ્યવાદીઓ સાર્વભૌમત્વ અંગે તેવો મત ધરાવતા કે સત્તા એવા રાજ્યો પર ચલાવી શકાય કે જ્યાં બળ કે બળપ્રયોગની ધમકીથી, પ્રજા કે બીજા રાજ્યો કે જે પોતાના કરતા નબળી લશ્કરી સત્તા કે રાજકીય મત ધરાવતા હોય અને તેમના પર પ્રબળતાથી સત્તા લાદી શકાય તેમ હોય છે. પોતાનો બચાવ માટે બધાનું સારું કે દૈવીય હકથી તે રીતે તેઓ વ્યક્તિગત સાર્વભૌમત્વને અસરકારકરીતે નકારે છે.

કાયદાના શાસન સાથેનો સંબંધ[ફેરફાર કરો]

અન્ય મુદ્દો એ છે કે જ્યારે સાર્વભૌમત્વ માટે કાયદો હાથમાં લેવામાં આવે છે, ત્યારે તે રાજકીય અથવા તો અન્ય હસ્તક્ષેપોથી ઉપર હોય છે. સાર્વભૌમત્વ કાયદો એ સાચું કાયદાનું રાજ્ય સ્થાપિત કરે છે, જેનો અર્થ છે, કાયદાના શબ્દો (જો સાચી રીતે સ્થાપિત કરવામાં આવે)નો અમલ અને પ્રવર્તનીય થઈ શકે છે, જ્યારે રાષ્ટ્રની રાજકીય શક્તિઓ વિરુદ્ધમાં હોય ત્યારે પણ, આવું ત્યાં સુધી કે જ્યાં સુધી બંધારણીય પ્રક્રિયાઓને ઔપચારિક રીતે બદલવામાં ન આવે ત્યાં સુધી. ચોક્કસ રીતે કહીએ તો, આ સિદ્ધાંતોમાંથી વિષયાંતર થવું એ એક ક્રાંતિ અથવા તો ઈરાદાપૂર્વકનું લક્ષ્ય વિનાનું તખ્તાપલટ સર્જી શકે છે.

શીર્ષક તરીકે સાર્વભૌમ[ફેરફાર કરો]

કેટલાક કિસ્સાઓમાં સાર્વભૌમ શીર્ષક એ માત્ર સામાન્ય પરિભાષા નથી, પરંતુ વાસ્તવમાં (ભાગરૂપ) રાજ્યના પ્રમુખની ઔપચારિક શૈલી છે. 22 જૂન 1934થી 29 મે, 1953 સુધીમાં (ભારતના સમ્રાટનો ખિતાબ 15 ઓગસ્ટ 1947માં મળ્યો, ભૂતકાલીન સ્થિતિની જાહેરાતની તારીખ 22 જૂન 1948) દક્ષિણ આફ્રિકાના સાર્વભૌમત્વમાં દક્ષિણ આફ્રિકાના રાજા ને ખાસ રીતે ભગવાનની, મહાન બ્રિટન, આર્યલેન્ડ અને બ્રિટિશ સાર્વભૌમત્વો ની આગળ દરિયાઓના રાજાની કુપાથી, શ્રદ્ધાના સંરક્ષક, ભારતના શાસક અને સાર્વભૌમમાં અને દક્ષિણ આફ્રિકાના મંડળ પર.1952માં એલિઝાબેથ બીજાની દક્ષિણ આફ્રિકામાં રાજપ્રાપ્તિ દક્ષિણ આફ્રિકાથી, તેનો ખતિબ દક્ષિણ આફ્રિકાની રાણી અને તેના અન્ય પ્રાન્તો અને પ્રદેશો પણ બદલાઇ ગયા, તેનો ખતિબ રાષ્ટ્રસમૂહના શાસક તરીકે નો થયો, જે લગભગ તમામ અન્ય રાષ્ટ્રસમૂહ પ્રાન્તોનો હતો તેજ શૈલીને સમાન પણે વેટિકન શહેરમાં પોપ પદ મુજબ તે વેટિકન શહેર રાજ્યના સાર્વભૌમનો ખિતાબ ઘરાવે છે.શાસકની પૂર્ણ શૈલીમાં પણ આ વિશેષણરૂપે તેનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે પહેલાના શાહી રશિયામાં 16 જાન્યુઆરી 1547 – 22 નવેમ્બર 1721: Bozhiyeyu Milostiyu Velikiy/Velikaya Gosudar'/Gosudarynya Tsar'/Tsaritsa i Velikiy/Velikaya Knyaz'/Knyaginya N.N. vseya Rossiy Samodyerzhets ભગવાનની દયાથી મહાન સાર્વભૌમ ઝાર /ઝારીના અને મહાન રાજા/રાજકુમારી, એન.એન, તમામ રશિયાના, આપખુદ શાસક.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સાર્વભૌમત્વવાદ
  • સર્વોપરિતા


પાદટીપો[ફેરફાર કરો]

  1. "Sovereignty - Definition". WordIQ Dictionary and Encyclopedia (wordiq.com). મૂળ માંથી 11 ડિસેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 5 ઓગસ્ટ 2010.
  2. "sovereignty (politics)". Britannica Online Encyclopedia. મેળવેલ 5 ઓગસ્ટ 2010.
  3. "Chaucer's tale of the Wife of Bath". મૂળ માંથી 21 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 10 જાન્યુઆરી 2009.
  4. "The Wedding of Sir Gawain and Dame Ragnell". મેળવેલ 10 જાન્યુઆરી 2009.
  5. ઓફ ધ સોશિયલ કોન્ટ્રાક્ટ , ચોપડી II, અધ્યાય III.
  6. ૬.૦ ૬.૧ એન્ડ્રેસ ઓસીઅન્ડેર, “સોવરેન્ટિ, ઇન્ટરનેશનલ રીલેશન્સ, અન્ડ વેસ્ટફલીન મીથ”, ઇન્ટરનેશનલ આર્ગ્રેનાઇજેશન વોલ્યૂમ. 55 નંબર. 2 (સ્પ્રીંગ 2001), pp. 251-287. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "test" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  7. એસએમઓએમ (SMOM) દ્વિપક્ષી રાજનૈતિક સંબંધ
  8. સ્વિઝ સરકાર અને આઇસીઆરસી (ICRC) સ્વિટ્ઝલેન્ડની વચ્ચે થયેલા ઔપચારિક કરાર દ્વારા આઇસીઆરસી (ICRC)ની સ્વિટ્ઝલેન્ડમાં આવેલી તમામ મિલકતને પૂર્ણ અખંડતાની મંજૂરી મળી, જેમાં તેના મુખ્યમથકો અને આર્ચીવ, ગ્રાન્ટ્સ સભ્યો અને કર્મચારીની મુક્ત કાયદાકીય, તેમ જ આઇસીઆરસીને તમામ કરવેરા અને ફીમાંથી મુક્તિનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરક્ષાની બાંયધરી અને માલ, સેવાઓ, નાણાંની હેરફેર ડ્યૂટી-ફ્રી હોવાની સાથે જ વિદેશી એલચીઓના સ્તરે પણ આઇસીઆરસી (ICRC)ને સુરક્ષિત સંવાદ પ્રાપ્ત કરાવવો, અને સ્વિટ્ઝલેન્ડમાં અને તેની બહાર પણ વ્યવસ્થાપક સમિતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો
    બીજી તરફ સ્વિટ્ઝલેન્ડ આઇસીઆરસી (ICRC) દ્વારા બહાર પાડેલો પાસપાર્ટને ઓળખતી નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

ઢાંચો:Catholic

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]