સુનયના

વિકિપીડિયામાંથી

સુનયના હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથો પૈકીના રામાયણ નામના ગ્રંથમાં દર્શાવાયેલું એક સ્ત્રી પાત્ર છે.
આ ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે સુનયના મિથિલાનગરીના રાજા જનકનાં ધર્મપત્ની તેમ જ ભગવાન રામનાં ધર્મપત્ની સીતાનાં માતા હતાં.

સુનયનાનો અર્થ સુંદર નયનો ધરાવતી કન્યા અથવા સ્ત્રી. વર્તમાન સમયમાં પણ આ નામ સામાન્ય રીતે જોવા મળે છે. આ ઉપરાંત સ્ત્રીઓને સંબોધતી વખતે વિશેષણ તરીકે પણ વપરાય છે.