સુનિલ ભારતી મિત્તલ

વિકિપીડિયામાંથી
સુનિલ ભારતી મિત્તલ
જન્મ૨૩ ઓક્ટોબર ૧૯૫૭ Edit this on Wikidata
લુધિયાણા Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Arya College, Ludhiana Edit this on Wikidata
પુરસ્કારો
  • Global Economy Prize (૨૦૦૯) Edit this on Wikidata
વેબસાઇટhttps://www.bharti.com/ Edit this on Wikidata

સુનિલ ભારતી મિત્તલ દેવનાગરી: सुनील भारती मित्तल, પંજાબી: ਸੁਨੀਲ ਭਾਰਤੀ ਮਿੱਤਲ, (જન્મ 23 ઓક્ટોબર 1957) ભારતના ટેલિકોમ મુઘલ, સમાજ સેવક અને ભારતી એન્ટરપ્રાઈઝિસના સ્થાપક, અધ્યક્ષ તેમજ ગ્રૂપ સીઈઓ (CEO) છે. યુએસ (US)$7.2 બિલિયન ટર્નઓવર ધરાવતી તેમની આ કંપની ભારતની સૌથી મોટી જીએસએમ (GSM) આધારિત મોબાઈલ ફોન સેવા પુરી પાડનારી કંપની છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી વાયરલેસ (તારરહિત) કંપની છે જે એશિયા અને આફ્રિકાના 19 દેશોમાં 190 મિલિયનથી વધુ ગ્રાહકો ધરાવે છે. તેઓ સત પૌલ (ભૂતપૂર્વ સાંસદ (MP)) અને લલિતાના પુત્ર છે.[૧]

2007માં, તેમને ભારતનું ત્રીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સુનિલ મિત્તલનો જન્મ ભારતના પંજાબમાં લુધિયાણા ખાતે થયો હતો. તેમના પિતા, સત પૌલા મિત્તલ લુધિયાણાથી સાંસદ (એમપી (M.P)) રહી ચુક્યા હતા. તેમણે સૌપ્રથમ મસૂરીની વીંગબર્ગદ એલન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો,[૩] પરંતુ બાદમાં ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં દાખલ થયા અને 1976માં ચંદીગઢ ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનિયન અને વિજ્ઞાનના સ્તાનક તરીકે પદવી મેળવી હતી.[૪] 1992માં તેમના પિતાનું હૃદયના હુમલાથી અવસાન થયું હતું.[૧]

ઔદ્યોગિક સાહસો[ફેરફાર કરો]

પ્રથમ પેઢીના ઉદ્યોગપતિ, મિત્તલે 1976ના એપ્રિલ મહિનામાં[૫] 18 વર્ષની વયે તેમના પિતા પાસેથી ઉછીના લીધેલા રૂ. 20,000 (યુએસ (US)$500)ના મૂડીના રોકાણ સાથે પોતાનો પ્રથમ વ્યવસાય શરૂ કર્યો હતો. તેમનો પ્રથમ વ્યવસાય સ્થાનિક સાઈકલ ઉત્પાદકો માટે ક્રેન્કશાફ્ટ (ગતિ પરિવર્તક દાંડી) બનાવવાનો હતો.[૬]

1980માં, તેમણે પોતાના ભાઈઓ રાકેશ, રાજન સાથે મળી ભારતી ઓવરસિઝ ટ્રેડિંગ કોર્પોરેશન નામથી આયાત ઉદ્યોગ શરૂ કર્યો હતો.[૩] તેમણે સાઈકલના ભાગો અને સૂતરની ફેક્ટરીઓ વેચી દીધી અને મુંબઈ સ્થળાંતરણ કર્યું.[૬]

1981માં, પંજાબની નિકાસકાર કંપની પાસેથી તેમણે આયાતનું લાયસન્સ ખરીદ્યું હતું.[૫] ત્યારબાદ તેમણે જાપાનની સુઝીકી મોટર્સ કંપની માટે હજારો નાના વીજ-ઊર્જા જનરેટરો આયાત કર્યા હતા. જનરેટરોની આયાત પર તુરંત તત્કાલિન ભારત સરકારે પ્રતિબંધ મુકી દીધો હતો અને ભારતની જનરેટર ઉત્પાદન કરતી બે કંપનીઓને બે લાયસન્સ ફાળવવામાં આવ્યા હતા.

1984માં, તેમણે ભારતમાં પુશ-બટન ફોનને એસેમ્બલ (ભાગો જોડીને તૈયાર કરવા) કરવાનું શરૂ કર્યું,[૫] જે તેઓ અગાઉ તાઈવાનની કંપની, કિંગટેલ પાસેથી આયાત કરતા હતા, તે ફોને એ વખતે દેશમાં ઉપયોગમાં લેવાતા જૂની ફેશનના ભારે ભરખમ રોટરી (ચક્રગતિમાં ડાયલ થતા) ફોનનું સ્થાન લીધું હતું. ભારતી ટેલિકોમ લિમિટેડ (બીટીએલ (BTL)) ઈલેક્ટ્રોનિક પુશ બટન ફોનના ઉત્પાદન માટે જર્મનીની સીમેન્સ એજી (AG) સાથે સંકળાઈ હતી અને તકનીકી જોડાણ કર્યું હતું. 1990ના દાયકાની શરૂઆત સુધીમાં, મિત્તલ ફેક્સ મશીનો, કોર્ડલેસ ફોન અને અન્ય ટેલિકોમ ઉપકરણો બનાવતા હતા. મિત્તલે કહ્યું હતું કે, “1983માં, સરકારે જનરેટરસેટોની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો. હું રાતોરાત વ્યવસાયમાંથી ફેંકાઈ ગયો હતો. હું જે કંઈપણ કરુ તેમાં માઠા પરિણામો જ આવતા હતા. હું મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ત્યારે પ્રશ્ન એ હતો કેઃ હવે મારે શું કરવું જોઈએ? ત્યારે, એક તક પોકારતી આવી. હું તાઈવાનમાં હતો, ત્યારે ત્યાં પુશ-બટન ફોનની લોકપ્રિયતા ઘણી હોવાનું મેં નોંધ્યુ હતું – જે એવી વસ્તુ હતી કે જે ભારતમાં નહોતી. આપણે તે સમયે હજુ રોટરી (ચક્રગતિમાં) ડાયલ થતા ફોનનો જ ઉપયોગ કરતા હતા જેમાં સ્પીડ ડાયલ (ઝડપી ડાયલ) કે રીડાયલ (ફરી ડાયલ)ની સુવિધા નહોતી. મને આ તક સૂઝી ગઈ અને ટેલિકોમ વ્યવસાયને અપનાવી લીધો. બીટેલ બ્રાન્ડ નામ હેઠળમાં ટેલિફોન, આન્સરિંગ (જવાબ આપતા) ફેક્સ મશીનોનું માર્કેટિંગ શરૂ કર્યું અને કંપની ખરેખર ઝડપથી આગળ વધી.”[૧] તેમણે પોતાના સૌપ્રથમ પુશ-બટન ફોનને ‘મીટબ્રો’ નામ આપ્યું હતું.[૩]

1992માં, ભારતમાં ચાર મોબાઈલ ફોન નેટવર્કના લાયસન્સ માટે યોજાયેલી હરાજી પૈકી એક માટે તેમણે સફળ બોલી લગાવી હતી.[૧] દિલ્હી સેલ્યુલર લાયસન્સ માટેની શરતો પૈકી એક એવી શરત હતી કે બોલી લગાવનાર પાસે ટેલિકોમ ઓપરેટર તરીકેનો થોડો અનુભવ હોવો જોઈએ. આથી, મિત્તલ ફ્રેન્ચ દૂરસંચાર જૂથ વીવેન્ડી સાથે મળી આ બોલી જીત્યા હતા.

મોબાઈલ દૂરસંચાર વ્યવસાયને એક મોટા વિકાસના વિસ્તાર તરીકે ઓળખનાર તેઓ પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ પૈકી એક હતા. અંતે 1994માં સરકારે તેમની યોજનાઓને મંજૂરી આપી હતી[૫] અને 1995માં જ્યારે ભારતી સેલ્યુલર લિમિટેડ (બીસીએલ (BCL)) એરટેલ બ્રાન્ડ નામ હેઠળ સેલ્યુલર સેવાઓ આપવા માટે રચાઈ ત્યારે તેમણે દિલ્હીમાં સેવાઓ શરૂ કરી હતી. કેટલાક વર્ષોમાં જ ભારતી 2 મિલિયન ગ્રાહક સંખ્યાનો આંક વટાવનાર પ્રથમ દૂરસંચાર કંપની બની ગઈ હતી. ભારતીએ ‘ઈન્ડિયાવન’ બ્રાન્ડ નામ હેઠળ ભારતમાં એસટીડી/આઈએસડી (STD/ISD) સેલ્યુલર દરો ઘટાડ્યા હતા.[૫] ઈન્ડિયાવનએ ભારતની પ્રથમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લાંબા-અંતરની સેવા પ્રદાતા હતી, અને, આમ, સસ્તી સેવાઓ આપીને ભારતીની સફળતાની ગાથામાં મોટુ પાસુ બની ગઈ હતી.

નવેમ્બર 2006માં, તેમણે સમગ્ર ભારતમાં સંખ્યાબંધ છૂટક વેચાણ સ્ટોર ઉભા કરવા માટે યુએસ (US) રીટેઈલ માંધાતા, વોલ-માર્ટ સાથે સંયુક્ત સાહસનો સોદો કર્યો હતો.

જુલાઈ 2006માં, તેમણે રિલાયન્સ એડીએજી (ADAG), એનઆઈએસ (NIS) સ્પાર્ટામાંથી સંખ્યાબંધ અધિકારીઓને ખેંચી લીધા અને ભારતી કોમટેલની રચના કરી.

મે 2008માં, સુનિલ ભારતી મિત્તલ આફ્રિકા અને મધ્યપૂર્વના 21 દેશોમાં કવરેજ ધરાવતી દક્ષિણ આફ્રિકા સ્થિત દૂરસંચાર કંપની એમટીએન (MTN) જૂથને ખરીદી, તેમની કંપનીનું વિસ્તરણ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે ભારતી એમટીએન (MTN)નો 100% હિસ્સો ખરીદવા માટે યુએસ (US)$45 અબજના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે ભારતીય કંપની દ્વારા વિદેશમાં સૌથી મોટુ હસ્તાંતરણ હશે. જોકે, બંને પક્ષે હંગામી ધોરણની મંત્રણાઓ પર ભાર મુક્યો હતો, જ્યારે ધ ઈકોનોમિસ્ટે નોંધ્યું હતું કે, “જે કોઈપણ હશે, ભારતી જોડાણ કરશે”, કારણ કે એમટીએન (MTN ) પાસે વધુ સબસ્ક્રાઈબર (ગ્રાહકો), વધુ આવક અને વ્યાપક ભૌગોલિક કવરેજ છે.[૭] જોકે, એમટીએન (MTN) જૂથે નવી કંપનીમાં ભારતીને લગભગ પેટા કંપની તરીકે જ બનાવી ઉલટી વાટાઘાટોનો પ્રયત્ન કરતા તેમની વચ્ચેની મંત્રણાઓ નિષ્ફળ ગઈ હતી.[૮]

મે 2009માં, ભારતી એરટેલે ફરી પુષ્ટિ કરી હતી કે તેઓ એમટીએન (MTN) સાથે મંત્રણાઓ કરતા હતા અને બંને કંપનીઓ વિશેષરૂપે 31 જુલાઈ 2009ના રોજ સંભાવિત લેણદેણ અંગે ચર્ચા માટે સહમત થઈ છે. ભારતી એરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારતી એરટેલ લિમિટેડ એમટીએન (MTN) જૂથ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી માટે કંપની દ્વારા ફરી પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જણાવતા આનંદ અનુભવે છે.”

અંતે તેમની મંત્રણાઓનો કોઈ કરાર થયા વગર અંત આવ્યો, કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની સરકારના વિરોધના કારણે આમ બન્યું હતું.[૯]

અંગત જીવન[ફેરફાર કરો]

મિત્તલ દિલ્હીમાં રહે છે. તેઓ પરણિત છે અને તેમને ત્રણ સંતાનો છે. તેઓ 23 અંક પર વિશેષ વિશ્વાસ ધરાવે છે, કારણ કે તેમનો જન્મ 23મીના રોજ થયો હતો અને તેમના લગ્ન પણ મહિનાના 23મા દિવસે જ થયા હતા.[૧૦] તેઓ કોઈપણ મોટુ સાહસ કરતા પહેલા માંસ ખાવાનું બંધ કરી દે છે.[૧૦]

દાનવૃત્તિ[ફેરફાર કરો]

મિત્તલ ભારતી ફાઉન્ડેશન દ્વારા ભારતને શિક્ષિત બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. આ સંસ્થાએ 200થી વધારે શાળાઓની સ્થાપના કરી છે જેના આધારે 2009ના વિશ્વના ટોચના 25 દાનવૃત્તિ કરનારની યાદીમાં તેમને સમાવાયા હતા.[૧૧]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Nair, Vinod (22 December 2002). "Sunil Mittal speaking: I started with a dream". Times of India.
  2. "Sunil Mittal, Indra Nooyi get Padma Bhushan". The Hindu Businessline. 27 January 2009. મેળવેલ 1 April 2010.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ પાના.14,એરટેલ મિત્તલ: પેસુલ (તમિલ આવૃતિ),કિઝ્હાક્કુ,આઈએસબીએન (ISBN) 8183688640
  4. "The World's Billionaires". Forbes. 11 March 2009. મેળવેલ April 1, 2010.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "Sunil Mittal TimesNow interview". YouTube.com. મેળવેલ 1 April 2010.
  6. ૬.૦ ૬.૧ Clay Chandler (17 January 2007). "Wireless Wonder: India's Sunil Mittal". CNN. CNNMoney.com. મેળવેલ 1 April 2010.
  7. "Emerging-market telecoms: Eyes on Africa". The Economist. 6 May 2008. મેળવેલ 1 April 2010.
  8. Heather Timmons (25 May 2008). "$50 Billion Telecom Deal Falls Apart". New York Times. મેળવેલ 1 April 2010.
  9. James Middleton (1 October 2009). "Bharti and MTN have called off merger discussions once again". Telecoms.com. મેળવેલ 1 April 2010.
  10. ૧૦.૦ ૧૦.૧ "I wonder who did this". India Today. 3 October 2010. મેળવેલ 12 October 2009.[હંમેશ માટે મૃત કડી]
  11. Suzanne McGee (30 November 2009). "The 25 Best Givers". Barron's. મેળવેલ 1 April 2010.