લખાણ પર જાઓ

હરિશંકર ઇશ્વરજી દેસાઈ

વિકિપીડિયામાંથી

હરિશંકર ઇશ્વરજી દેસાઈ' ભાવનગર રાજ્યનાં ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા[]. એમણે ઇ.સ. ૧૩૪૭માં મહંમદ તઘલઘનાં સૈન્યને ભાવનગર રજવાડાનાં રાજવીઓના પૂર્વજ એવા પીરમબેટના રાજા મોખડાજી ગોહિલ સામે લડવા માટે એક લશ્કરી અમલદારની હેસિયતથી મદદ કરી હતી. એમની આ સેવાના બદલામાં ઘોઘાના કેટલાક ગામોનો વહીવટ અને દેસાઈનો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુંદી ગામનાં બંદર પર એમને જકાત ઊઘરાવવાનો હક્ક પણ મળ્યો હતો[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). "૨". Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સંન્યાસી] (અંગ્રેજીમાં). ભાવનગર. p. ૧૩. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૬. {{cite book}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: location missing publisher (link)