હિમાલયના ચારધામ

વિકિપીડિયામાંથી
ઉત્તરાંચલના ચારધામ

કેદારનાથબદ્રીનાથ
ગંગોત્રીયમનોત્રી

હિમાલયના ચારધામ એ ભારતીય હિમાલયમાં સ્થિત મહત્વપૂર્ણ યાત્રાધામો છે. આ ચારધામ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લામાં સ્થિત છે. આ ચારેય યાત્રાધામો તેમની કળા અને સ્થાપત્ય માં અજોડ તેમજ અનન્ય છે. ભારત તેમજ વિદેશ માં તેમની લોકપ્રિયતા ખૂબજ વધારે છે.

તેમાં ચાર પ્રદેશોનો સમાવેશ થાય છે:

૧. યમનોત્રીયમુના નદીનું ઉદગમસ્થાન અને દેવી યમુના ની બેઠક છે.

૨. ગંગોત્રીગંગા નદીનું ઉદગમસ્થાન અને દેવી ગંગા ની બેઠક છે.

૩. કેદારનાથ એ ભગવાન શંકરના ૧૨ જ્યોતિર્લીંગોમાં નું એક છે.

૪. બદ્રીનાથએ ભગવાન વિષ્ણુની બેઠક છે.