કેદારનાથ
કેદારનાથ | |
— નગર પંચાયત — | |
અક્ષાંશ-રેખાંશ | 30°44′N 79°04′E / 30.73°N 79.07°E |
દેશ | ![]() |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | રુદ્રપ્રયાગ |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | |
મુખ્ય વ્યવસાય |
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા , ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ( ૧૧,૭૫૫ ફૂટ ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે.આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન ( જોલી ગ્રાંટ હવાઈ મથક ) ખાતે આવેલા છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- હેલીકોપ્ટર સેવા (Helicopter Service ) for kedarnath
- કેદારનાથ વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન
- કેદારનાથની તસ્વીરો સંગ્રહિત ૨૦૧૩-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન
- કેદારનાથ-યાત્રા માહિતી