કેદારનાથ
કેદારનાથ
કેદારખંડ | |
|---|---|
નગર | |
કેદારનાથનું એક દ્રશ્ય | |
| અક્ષાંશ-રેખાંશ: 30°44′N 79°04′E / 30.73°N 79.07°E | |
| દેશ | |
| રાજ્ય | રુદ્રપ્રયાગ |
| નામકરણ | કેદારનાથ જ્યોતિર્લિંગ |
| વિસ્તાર | |
| • કુલ | ૨.૭૫ km2 (૧.૦૬ sq mi) |
| ઊંચાઇ | ૩,૫૮૩ m (૧૧૭૫૫ ft) |
| વસ્તી (૨૦૧૧) | |
| • કુલ | ૬૧૨ |
| • ગીચતા | ૨૨૦/km2 (૫૮૦/sq mi) |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
| Pin Code | ૨૪૬૪૪૫ |
| વાહન નોંધણી | UK-13 |
| વેબસાઇટ | badrinath-kedarnath |
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા, ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧,૭૫૫ ફૂટ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન (જોલી ગ્રાંટ હવાઈ મથક) ખાતે આવેલા છે.
- કેદારનાથ, ઇ.સ. ૧૮૬૦ના દાયકામાં
- ભૈરવનાથ ભગવાન
- કેદારનાથ, ૨૦૧૪માં
- મંદાકિની નદી
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અધિકૃત વેબસાઇટ
Kedarnath સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
કેદારનાથ પ્રવાસન માહિતી વિકિવોયજ પર