અયોધ્યા

વિકિપીડિયામાંથી
અયોધ્યા
શહેર
સમઘડી દિશામાં ઉપરથી:
રામ કી પૈડી ઘાટ, અયોધ્યા ઘાટ, કનક ભવન મંદિર, વિજયરાઘવ મંદિર
અન્ય નામો: 
મંદિરોનું નગર[૧]
અયોધ્યા is located in Uttar Pradesh
અયોધ્યા
અયોધ્યા
અક્ષાંશ-રેખાંશ: 26°48′N 82°12′E / 26.80°N 82.20°E / 26.80; 82.20
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતઅયોધ્યા
જિલ્લોઅયોધ્યા
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંઅયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરઋષિકેશ ઉપાધ્યાય, ભાજપ
વિસ્તાર
 • કુલ૭૯.૮ km2 (૩૦.૮ sq mi)
ઊંચાઇ
૯૩ m (૩૦૫ ft)
વસ્તી
 (૨૦૧૧[૨])
 • કુલ૫૫,૮૯૦
 • ગીચતા૭૦૦/km2 (૧૮૦૦/sq mi)
ભાષા
 • અધિકૃતહિંદી[૩]
 • સ્થાનિકઅવધી[૪]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૨૨૪૦૦૧
ટેલિફોન કોડ૦૫૨૭૮
વાહન નોંધણીUP-42
વેબસાઇટ ayodhya.nic.in, https://ayodhya.nic.in/ 

અયોધ્યાભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું. ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.

બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.

રામલલ્લા મંદિર[ફેરફાર કરો]

૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ અયોધ્યા ખાતે જન્મભૂમિ મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું.[૫][૬] ફૈજાબાદ-ગોરખપુર હાઇવે પર 500-acre (2.0 km2) વિસ્તારમાં નવ્ય અયોધ્યા શહેરનું આયોજન થયું છે.[૭] વર્ષ ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામલલ્લા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી ને મંદિર જાહેરજનતાના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.[૮] [૯] [૧૦]

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૪૯,૫૯૩ ૫૯ ૪૧ ૧૨ ૬૫ ૬૬ ૩૪ વધુ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ayodhya decked up for 'Vikas Deepotsav'; over 9 lakh earthen lamps to illuminate temple town". November 2021.
  2. "AYODHYA in Faizabad (Uttar Pradesh)". .citypopulation.de. મેળવેલ 1 August 2020.
  3. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. પૃષ્ઠ 49. મૂળ (PDF) માંથી 25 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2019.
  4. "Awadhi". Ethnologue. મેળવેલ 7 May 2019.
  5. Mishra, Avaneesh (5 August 2020). "Ram temple bhoomi pujan: Ceremony starts at 12.30 pm, PM to offer prayers to idol, address gathering". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 31 August 2021.
  6. Tikku, Aloke, સંપાદક (5 August 2020). "Golden chapter, says PM Modi after laying foundation stone for Ram temple". Hindustan Times.
  7. Sinha, Rakesh (5 August 2020). "Ayodhya breaks ground today". The Indian Express.
  8. "અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષાનો અંત, ગર્ભગૃહમાં બીરાજ્યા ભગવાન શ્રીરામ". સંદેશ દૈનિક. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪.
  9. "અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ, પોણા ચાર કલાક રોકાશે PM મોદી". ગુજરાત સમાચાર દૈનિક. ૨૧ જાન્યુઆરી ૨૦૨૪. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪.
  10. તંબોળિયા, પંકજ (૨૨ જાન્યુઆરી ૨૦૨૪). "Ayodhya Ram Mandir Inauguration Live : પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખો દેશ રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવી રહ્યો છે – અમિત શાહ". TV9 ગુજરાત. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]