લખાણ પર જાઓ

આગ્રાનો કિલ્લો

વિકિપીડિયામાંથી
અમરસિંહ દ્વાર,
આગ્રાના લાલકિલ્લાનાં બે પ્રવેશદ્વારોમાંનુ એક

આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. આ કિલ્લા ને ચાર દિવાલ થી ઘેરાયેલી પ્રાસાદ (મહેલ) નગરી કહવું સારું રહેશે.

આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવ જાવ લાગી રહેતી હતી, જેમણે ભારતના ઇતિહાસને રચ્યો.


ઇતિહાસ

[ફેરફાર કરો]

આ મૂલતઃ એક ઈંટોંનો કિલ્લો હતો, જે ચૌહાણ વંશના રાજપૂતો પાસે હતો. આનું પ્રથમ વિવરણ ઈ.સ. ૧૦૮૦ મા થયૂ હતું, જ્યારે મહમૂદ ગજનવીની સેનાએ આની પર કબ્જો કર્યો હતો. સિકંદર લોધી (૧૪૮૭-૧૫૧૭), દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલ્તાન હતો, જેણે આગ્રાની યાત્રા કરી , અને આ કિલ્લા માં રહ્યો હતો. તેણે દેશ પર અહીં થી શાસન કર્યું, અને આગ્રા ને દેશની દ્વિતીય રાજધાની બનાવી. તેની મૃત્યુ પણ , આ જ કિલ્લામાં [૧૫૭૧]] માં થઈ હતી, જેના પછી, તેના પુત્ર ઇબ્રાહિમ લોધી એ ગાદી ૯ વર્ષ સુધી સંભાળી જ્યારે તે પાણીપતના પ્રથમ યુદ્ધ (૧૫૨૬)માં મરણ પામ્યો. તેણે પોતાના કાળમાં, અહીં ઘણાં સ્થાન, મસ્જિદો અને કુવા બનાવડાવ્યાં. પાણીપત પછી, મોગલોએ આ કિલ્લા પર પણ કબ્જો કરી લીધો, સાથે જ આની અગાધ સમ્પત્તિ પર પણ . આ સમ્પત્તિમાં જ એક હીરો પણ હતો, જે કે પાછળથી કોહિનૂર હીરાના નામથી પ્રસિદ્ધ થયો. ત્યારે આ કિલ્લામાં ઇબ્રાહિમના સ્થાન પર બાબર આવ્યો. તેણે અહીં એક વાવડી બનાવડાવી. સન ૧૫૩૦ માં, અહીં હુમાયું નો રાજ્યભિષેક પણ થયો. હુમાયું આ જ વર્ષે બિલગ્રામમાં શેરશાહ સૂરીથી હારી ગયો, અને કિલ્લા પર તેનો કબ્જો થઈ ગયો. આ કિલ્લા પર અફગાનોનો કબ્જો પાંચ વર્ષોં સુધી રહ્યો, જેમને અન્તતઃ મોગલોંએ ૧૫૫૬ માં પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હરાવી દીધા. આની કેન્દ્રીય સ્થિતિ ને જોતાં , અકબરે આને પોતાની રાજધાની બનાવવાનો નિશ્ચિય કર્યો, અને સન ૧૫૫૮માં અહીં આવ્યો. તેના ઇતિહાસકાર અબુલ ફજલે લખું છે, કે આ કિલ્લો એક ઈંટોંનો કિલ્લો હતો, જેનું નામ પછીલગઢ઼ હતું. આ ત્યારે ખસ્તા(ખરાબ) હાલત માં હતો, અને અકબરે આને બીજીવાર બનાવવો પડ્યો, જોકે તેણે લાલ બલુઆ પત્થરથી નિર્માણ કરાવ્યું. આનો પાયો મોટા વાસ્તુકારોંએ રાખી. આને અંદરથી ઈંટોંથી બનાવડાવ્યો અને બાહરી આવરણ હેતુ લાલ બલુઆ પત્થર લગાડવામાં આવ્યા. આના નિર્માણમાં ૧૪ૢ૪૪ૢ૦૦૦ લાખ ચવાલીસ હજાર કારીગર અને મજદૂરોએ આઠ વર્ષોં સુધી મેહનત કરી , ત્યારે સન ૧૫૭૩ માં આ બનીને તૈયાર થયો. અકબરના પૌત્ર શાહજહાંએ આ સ્થળને વર્તમાન રૂપમાં પહોંચાડ્યો. આ પણ મિથક છે,કે શાહજહાંએ જ્યારે પોતાની પ્રિય પત્નીના માટે તાજમહલ બનાવડાવ્યો, તે પ્રયાસ કરતો હતો,કે આ ઇમારતેં શ્વેત આરસની બને, જેમાં સોનાના અને મોતીના રત્ન જડ઼ેલા હોય. તેણે કિલ્લાના નિર્માણના સમયે, ઘણી પુરાણી ઇમારતો અને ભવનોને તોડાવી પણ દીધાં, જેથી કે કિલ્લામાં તેની બનાવડાવેલી ઇમારનતો હોય. પોતાના જીવનના અંતિમ દિવસોમાં , શાહજહાંને તેના પુત્ર ઔરંગજ઼ેબે આ જ કિલ્લામાં બંદી બનાવી દીધો હતો, એક એવી સજા, જે કિલ્લાના મહલોંની વિલાસિતાને જોતા, એટલી કડ઼ી ન હતી. એમ પણ કહેવામાં આવે છે,કે શાહજહાંની મૃત્યુ કિલ્લાના મુસમ્મન બુર્જ માં, તાજમહલ ને જોતા જોતા થઈ હતી. આ બુર્જના સંગમર્મરના ઝરોખાથી તાજમહલનો ખૂબ જ સુંદર દૃશ્ય દેખાય છે. આ કિલ્લો ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સમયે યુદ્ધ સ્થળ પણ બન્યો. જેના પછી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની નું રાજ્ય સમાપ્ત થયું, અને લગભગ એક શતાબ્દી સુધી બ્રિટેનના સીધું શાસન ચાલ્યું. જેના પછી સીધી સ્વતંત્રતા જ મળી.

મુસમ્મન બુર્જના અંદરનું દ્રશ્ય, જ્યાં શાહજહાં એ પોતાના જીવનના અંતિમ સાત વર્ષ તાજમહલને નિહાળતા, પોતાના પુત્ર અને ઉત્તરાધિકારી ઔરંગજ઼ેબની નજ઼રકેદમાં વિતવ્યાં

આગ્રાના કિલ્લાને વર્ષ ૨00૪ માટે આગ઼ાખાં વાસ્તુ પુરસ્કાર આપવામાં આવ્યું હતું, અને ભારતીય ડાક વિભાગ એ ૨૮ નવેંબર,૨00૪ ના દિવસે આ મહાન ક્ષણની સ્મૃતિમાં, એક ડાકટિકીટ પણ કાઢી હતી. આ કિલ્લાનો એક અર્ધ-વૃત્તાકાર નક્શો છે, જિસકી સીધી તરફ યમુના નદીના સમાંતર છે. આની ચહારદીવારી સત્તર ફીટ ઊંચી છે. આમા બમણાં પરકોટ છે, જેની વચ્ચે ભારી બુર્જ બરાબર અંતરાલ પર છે, જેની સાથે સાથે જ તોપોના ઝરોખા, અને રક્ષા ચૌકીઓ પણ બની છે. આની ચાર ખૂણે ચાર દ્વાર છે, જેમાંથી એક ખિજડ઼ી દ્વાર, નદીની તરફ ખુલે છે. આના બે દ્વારો ને દિલ્લી ગેટ તથા લાહૌર ગેટ કહે છે (લાહૌર ગેટને અમરસિંહ દ્વાર પણ કહેવામાં આવે છે).

કોતરણીયુક્ત સ્તંભ

શહરની તરફનો દિલ્લી દ્વાર, ચારેમાં ભવ્યતમ છે. આની અંદર એક વધુ દ્વાર છે, જેને હાથી પોળ કહે છે, જેની બનેં તરફ, બે વાસ્તવાકાર પાષાણ હાથીની મૂર્તિઓ છે, જેની પર સ્વાર રક્ષક પણ ઊભા છે. એક દ્વારથી ખુલવા વાળો પુલ, જે ખાઈ પર બન્યો છે, અને એક ચોર દરવાજો, આને અજેય બનાવે છે. સ્મારક સ્વરૂપ દિલ્લી ગેટ, સમ્રાટનો ઔપચારિક દ્વાર હતો, જેમાંથી ભારતીય સેના દ્વારા (પૈરાશૂટ બ્રિગેડ) કિલ્લાના ઉત્તરી ભાગને છાવણીના રૂપમાં પ્રયોગ થાય છે. અતઃ દિલ્લી દ્વાર જન સાધારણ હેતુ ખુલ્લો નથી. પર્યટક લાહૌર દ્વારથી પ્રવેશ કરી શકે છે, જેનું લાહૌરની તરફ (હવે પાકિસ્તાનમાં) મુખ હોવાના કારણે આવું નામ આપવામાં આવ્યું છે. સ્થાપત્ય ઇતિહાસની દૃષ્ટિથી, આ સ્થળ અતિ મહત્વપૂર્ણ છે. અબુલ ફજ઼લ લખે છે,કે અહીં લગભગ પાઁચ સૌ સુંદર ઇમારતો, બંગાલી અને ગુજરાતી શૈલીમાં બનેલી હતી. ઘણીઓને શ્વેત આરસ પ્રાસાદ બનવાને માટે ધ્વસ્ત કરવામાં આવી. અધિકાંશને બ્રિટીશે ૧૮0૩ થી ૧૮૬૨ના વચ્ચે, બૈરેક બનવા માટે તોડાવી દીધી. વર્તમાનમાં દક્ષિણ-પૂર્વી તરફ, મુશ્કિલ થી તીસ ઇમારતો શેષ છે. આમાંથી દિલ્લી ગેટ, અકબર ગેટ અને એક મહલ-બંગાલી મહલ – અકબરની પ્રતિનિધિ ઇમારતેં છે. અકબર ગેટ અકબર દરવાજ઼ા ને જ્યાંગીરે નામ બદલી કરી અમરસિંહ દ્વાર કરી કીધો હતો. આ દ્વાર, દિલ્લી-દ્વાર થી મેળ ખાતો થયો છે. બનેં લાલ બલુઆ પત્થરના બનેલા છે. બંગાળી મહેલ પણ લાલ બલુઆ પત્થરનો બનેલ છે, અને હવે બે ભાગો -- અકબરી મહલ અને જકાંગીરી મહેલમાં વેંચાઈ ગયો છે. અહીં ઘણાં હિંદુ અને [[ઇસ્લામી સ્થાપત્યકલા]ના મિશ્રણ જોવા મળે છે. બલ્કિ ઘણાં ઇસ્લામી અલંકરણોમાં તો ઇસ્લામમાં હરામ (વર્જિત) નમૂના પણ મિલતે છે, જેમ—અજદહે, હાથી અને પક્ષી, જ્યાં સામાન્ય રીતે ઇસ્લામી અલંકરણોમાં ભૌમિતિક નમૂના, લખાવટો, ધર્મિક પદો (આયત) આદિ જ ફલકોની સજાવટમાં દેખાય છે.


જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ખાસ મહેલ.
જહાંગીરી મહેલ
  • અંગૂરી બાગ - ૮૫ વર્ગ મીટર, ભૌમિતિક પ્રબંધિત ઉદ્યાન *દીવાન-એ-આમ - મેં મયૂર સિંહાસન અથવા તખ્તે તાઉસ (English:Peacock Throne Urdu: تخت طائوس Hindi: મોર સિંહાસન Persian: تخت طاووس) સ્થાપિતહતો આનો પ્રયોગ આમ જનતાથી વાત કરવા અને તેમની ફરિયાદ સાંભળવા માટે થતો હતો.
  • દીવાન-એ-ખ઼ાસ -નો પ્રયોગ અને તેના ઉચ્ચ પદાધિકારિઓની ગોષ્ઠી અને મંત્રણાના માટે કરવામાં આવતો હતો, જહાઁગીર નો કાળો સિંહાસન આની વિશેષતા હતી.
  • સ્વર્ણ મંડપ - બંગાળી ઝૂંપડ઼ીના આકારના છપરા વાળો સુંદર મંડપ
  • જહાઁગીરી મહલ - અકબર દ્વારા પોતાના પુત્ર જહાઁગીર માટે નિર્મિત
  • ખાસ મહલ - શ્વેત સંગમરમર દ્વારા નિર્મિત આ મહેલ, સંગમરમર રંગસાજીનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
  • મછલી ભવન - તળાવો અને ફુવારાઓથી સુસજ્જિત, અન્ત:પુર (જનાનખાને)ના ઉત્સવોંના માટે મોટો ઘેરાવ.
  • મીના મસ્જિદ- એક નાની મસ્જિદ
  • મોતી મસ્જિદ - શાહજહાઁ ની નિજી મસ્જિદ
  • મુસમ્મન બુર્જ઼ - તાજમહેલની તરફ ઉન્મુખ આલિન્દ (છજ્જે) વાલા એક મોટો અષ્ટભુજાકાર બુર્જ઼ (મિનાર)
  • નગીના મસ્જિદ - આલિન્દ સાથે જ દરબારની મહિલાઓ માટે નિર્મિત મસ્જિદ, જેની અંદર જ઼નાના મીના બાજ઼ાર હતો જેમાં મહિલાઓ જ સામાન વચ્યા કરતી હતી.
  • નૌબત ખાના - જ્યાં રાજાના સંગીતજ્ઞ વાદ્યયંત્ર વગાડતા હતાં.
  • રંગ મહલ - જ્યાં રાજાની પત્ની અને ઉપપત્ની રહેતી હતી.
  • શાહી બુર્જ઼ - શાહજહાંનો નિજી કાર્ય ક્ષેત્ર
  • શાહજહાઁ મહલl - શાહજહાઁ દ્વારા લાલ બલુઆ પત્થરના મહેલના રૂપાન્તરણનો પ્રથમ પ્રયાસ.
  • શીશ મહલ - નાના જડ઼ાઊ દર્પણોંથી સુસજ્જિત રાજસી વસ્ત્ર બદલવાનો ઓરડો.

અન્ય ઉલ્લેખનીય બાબતો

[ફેરફાર કરો]

• આગ્રાના કિલ્લાને, આનાથી અપેક્ષા કૃત ખૂબ જ નાના દિલ્લીના લાલ કિલ્લા સાથે ભ્રમિત ન કરવું જોઈએ. મોગલોએ દિલ્લીના લાલ કિલ્લાને ક્યારેય કિલ્લો નહીં કહેવાય, પરંતુ લાલ હવેલી કહેવાઈ છે. ભારતના પ્રધાન મંત્રી અહીંની પ્રાચીરથી ૧૫ ઑગસ્ટ ના દિવસે, સ્વતંત્રતા દિવસના અવસર પર, પ્રતિ વર્ષે, દેશની જનતાને સમ્બોધિત કરે છે. • સર અર્થર કૉનન ડાયલ, પ્રસિદ્ધ અંગ્રેજ઼ી ઉપન્યાસ લેખકના શેર્લૉક હોમ્સ રહસ્ય ઉપન્યાસ ધ સાઇન ઑફ ફોર માં, આગ્રાના કિલ્લાનું મુખ્ય દ્રશ્ય છે. પ્રસિદ્ધ ઈજીપ્ત પૉપ ગાયક હીશમ અબ્બાસના અલબમ હબીબી ધ માં આગ્રા નો કિલ્લો દેખાડવામાં આવ્યું છે.

  • મિર્જ઼ારાજે જય સિંહ સાથે “પુરંદર સંધિ”ની અનુસાર, શિવાજી આગ્રા ૧૬૬૬ આવ્યાં, અને ઔરંગજ઼ેબ એ દીવાન-એ-ખાસમાં મળ્યાં. તેમનું અપમાન કરવા માટે, તેમના સ્તરથી ઘણાં નીચું આસન આપવામાં આવ્યું. તેઓ અપમાનિત થવા પૂર્વ જ, દરબાર છોડી ચલ્યાં ગયાં. પછી તેમને જયસિંહના ભવનમાં જ ૧૨ મે,૧૬૬૬ ન દિવસે નજરબંદ કર્યાં. તેમની એક ઓજપૂર્ણ અશવારોહી મૂર્તિ, કિલ્લાની બાહર લગાડવામાં આવી છે.
  • આ કિલ્લો મોગલ સ્થાપત્ય કળાનું એક આદર્શ ઉદાહરણ છે. અહીં સ્પષ્ટ છે,કે કેમ ઉત્તર ભારતીય દુર્ગ નિર્માણ, દક્ષિણ ભારતીય દુર્ગ નિર્માણથી ભિન્ન પડે છે. દક્ષિણ ભારતના અધિકાંશ દુર્ગ, સાગર કિનારે નિર્મિત છે.
  • એજ ઑફ ઐમ્પાયર – ૩ના વિસ્તાર પૈક એશિયન ડાય્નૈસ્ટીઝ માં આગ્રાના કિલ્લાને ભારતીય સભ્યતાના પાંચ અજાયબીમાં એક દેખાડવામાં આવ્યો છે., જેને જીત્યાં પછી જ, કોઈ અગલા સ્તર પર જઈ શકે છે. એક વાર બન્યા પછી, આ ખેલાડ઼ીને સિક્કોંના જહાજ મોકલતો રહે છે. આ વર્જનમાં ઘણી અન્ય ખૂબિઓ છે

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]