આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન

વિકિપીડિયામાંથી
ઉદ્યાનની અંદરનું એક દૃશ્ય

આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન એ એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના પશિમ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્ય શહેર કોલકાતા નજીક હાવરામાં શિબપુર ખાતે આવેલું છે[૧]. આ ઉદ્યાન ઈ. સ. ૧૭૮૭ના વર્ષમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. પહેલાં રોયલ બોટોનીકલ ગાર્ડન[૨] અને પછીથી કલકત્તા બોટોનીકલ ગાર્ડન તરીકે ઓળખાતા આ ઉદ્યાનને ભારતીય વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝના સન્માનમાં હાલના આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.

આ ઉદ્યાનમાં ભારતીય ઉપખંડમાં થતી વનસ્પતિઓ ઉગાડી તેના પર સંશોધનો કરવામાં આવે છે. ૧૦૯ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં ૧૨૦૦૦ જેટલી વનસ્પતિઓ ઉગાડવામાં આવેલ છે, જે પૈકી અમૂક વનસ્પતિઓ દુર્લભ ગણાય છે. અહીંનું ખાસ આકર્ષણ વિશાળ કદ ધરાવતું વડનું ઝાડ છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ઓર્ચિડ (orchid), વાંસ અને તાડ આ ઉદ્યાનમાં ઉગાડવામાં આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Indian Botanic Garden, Howrah." BSI. Web. 28 Feb. 2011. <http://164.100.52.111/indianBotanicgarden.shtm સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન>
  2. "Calcutta Botanical Garden", Banglapedia

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


બન્યાન ઍવન્યૂ ( Banyan avenue ) તરફથી ધ કિંગ્સ લેઇકનું દૃશ્ય.