ઈક્વેડોર

વિકિપીડિયામાંથી
એક્વાડોર ગણરાજ્ય

República del Ecuador
એક્વાડોરનો ધ્વજ
ધ્વજ
એક્વાડોર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "God, homeland and liberty"
"ભગવાન, માતૃભૂમિ ઔર સ્વતંત્રતા"
રાષ્ટ્રગીત: We Salute You, Our Homeland
અમારી માતૃભૂમિ, તને સલામ
Location of એક્વાડોર
રાજધાનીક્વિટો
સૌથી મોટું શહેરગુઆયાકિલ
અધિકૃત ભાષાઓસ્પેનિશ[૧]
લોકોની ઓળખએક્વાડોરિયન
સરકારરાષ્ટ્રપતિ ગણરાજ્ય
સ્વતંત્રતા
સ્પેનથી (અસફલ)
સ્પેનથી
ગ્રાન કોલંબિયાથી
• જળ (%)
4
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
14,573,101 (66મો)
GDP (PPP)2008 અંદાજીત
• કુલ
$106.993 બિલિયન (-)
• Per capita
$7,685 (-)
માનવ વિકાસ દર (HDI) (2006)Increase 0.807
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 72
ચલણઅમેરિકી ડૉલર2 (USD)
સમય વિસ્તારUTC- 5, - 6 (ECT, GALT)
• ઉનાળુ (DST)
UTC- (-)
ટેલિફોન કોડ593
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ec
1ક્વેચુઆ અને અન્ય અમેરિકન ભાષાઓ સ્થાનિક સમુદાય દ્વારા બોલાય છે.
2સોક્રે 2000 સુધી, બાદ અમેરિકન ડોલર અને ઈક્વેડોરિયન સેંટાવો સિક્કા

એક્વાડોર, આધિકારિક રીતે એક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), દક્ષિણ અમેરિકામાં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરુ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાઝિલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, એક્વાડોરને બે ભાગોમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.

આધુનિક ઇતિહાસ[ફેરફાર કરો]

૧૫૩૩માં સ્પેન વિરુદ્ધ યુદ્ધમાં હાર્યા પહેલાંં એક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. ઇ.સ. ૧૫૬૩માં ક્વિટો સ્પેનિશ સામ્રાજ્યનું એક કેન્દ્ર બન્યુંં અને ૧૭૧૭માં ન્યૂ ગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેઝુએલા અને ક્વિટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી.

૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોશી દેશો સાથે સંઘર્ષોના કારણે એક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯માં શમી હતી. ઈ.સ. ૨૦૦૪માં એક્વાડોરે નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો સમય ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે એક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રૂપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતંત્રતા મળ્યા બાદ એક્વાડોરનું આ ૨૦મુ બંધારણ છે.

રાજ્ય-શાસન[ફેરફાર કરો]

નકશો

પ્રશાસનિક પ્રભાગ[ફેરફાર કરો]

પ્રાંતો
  • ૧.એજ઼ુએ
  • ૨.બોલિવાર
  • ૩.કૈનાર
  • ૪.કારચી
  • ૫.ચિમ્બોરૈજો
  • ૬.કોટોપાક્સી
  • ૭.એલ ઓરો
  • ૮.એસ્મેરાલડસ
  • ૯.ગૈલાપાગોસ
  • ૧૦.ગુયાસ
  • ૧૧.ઇમ્બાબુરા
  • ૧૨.લોજા
  • ૧૩.લૌસ રિયોસ
  • ૧૪.મનાબી
  • ૧૫.મોરોના-સૈંટિયાગો
  • ૧૬.નૈપો
  • ૧૭.ઔરેલાના
  • ૧૮.પાસ્તજ઼ા
  • ૧૯.પિચિંચા
  • ૨૦.સૈંટા એલેના
  • ૨૧.સૈંટો ડોમિંગો ડીલોસ ત્સાચિલાસ
  • ૨૨.સુકુમ્બિઓસ
  • ૨૩.તુન્ગુરાહુઆ
  • ૨૪.જ઼ૈમોરા-ચિન્ચિપી

અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]

એક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલિયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંસાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન એક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું. તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચે રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશ પર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરિકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વૃદ્ધિ મળી.

૨૦૦૨-૦૬ દરમિયાન અર્થવ્યસ્થામાં ૫.૫% દરથી વૃદ્ધિ થઈ જે પાછળના વર્ષોની તુલનાએ સૌથી ઊંચી પાંચ વર્ષીય વૃદ્ધિ હતી. ૨૦૦૬માં ગરીબી દરમાં પણ ઘટાડો થયો તેમ છતાં તે ૩૮% સુધી બની રહ્યો. ૨૦૦૬માં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનીઓ ઉપર અપ્રત્યાશિત કર લગાવી દેવામાં આવ્યો જેનાથી અમેરિકા સાથે મુક્ત વ્યાપાર મુદ્દે થનાર સંવાદ પરિણામ સુધી પહોંચી શક્યો નહીં. આ સ્થિતિના કારણે વર્ષ ૨૦૦૭માં તેલ ઉત્પાદનમાં કમી આવી. રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફૉલ્ટનો ભય પ્રસ્તુત કરીને ડિસેમ્બર ૨૦૦૮માં નિજી તેલ કંપનીઓ પર પણ એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગાવવામાં આવ્યો અને આ કરના પ્રભાવથી આર્થિક અસ્થિરતાની સ્થિતિનું નિર્માણ થયું અને તેનાથી રોકાણ ઘટવાના કારણે આર્થિક વૃદ્ધિ દર પણ અટકી ગયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "વર્લ્ડ ફેક્ટ બુક". સીઆઈએ. મૂળ માંથી 2007-06-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ માર્ચ ૨૦૧૮.