એસ.આર.રાવ

વિકિપીડિયામાંથી

એસ. આર. રાવ (આખું નામ: સૂર્યદેવરા રામચંદ્ર રાવ) ૧૯૭૮ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેમનો જન્મ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો.

કારકિર્દી[ફેરફાર કરો]

ગુજરાત સરકારની વહીવટી પાંખમાં પસંદગી પામ્યા બાદ ૧૯૯૬માં તેમની નિમણુક સુરત મહાનગર પાલિકામાં કમિશ્નર તરીકે થઇ હતી.

સુરતનો પ્લેગ[ફેરફાર કરો]

તેમની સુરતમાં થયેલ નિમણુક દરમિયાન સુરત પ્લેગની સમસ્યાથી ગ્રસિત હતું. તેઓ સુરતમાં આવેલ પ્લેગની મહામારી પછીના સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિક સમસ્યાને સરળ બનાવવા માટે લીધેલા પગલાંઓ માટે જાણીતા બન્યા હતા.[૧]

રાવે ઓપરેશન હેલ્થ કેર અને ઓપરેશન ડિમોલિશન નામ હેઠળ સુરતને સ્વચ્છ અને ટ્રાફિક સમસ્યાથી મુક્ત બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો. ખાસ કરીને સુરતના ચોકથી સ્ટેશનના રાજમાર્ગને પહોળો બનાવવા માટે તેમણે લીધેલાં પગલાં પ્રશંસા પામ્યા હતા.

સન્માન[ફેરફાર કરો]

તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત થયો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Cleaning Up The Plague City". આઉટલુક. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૮.
  2. "SR Rao appointed as commerce secretary is a Padma Shri winner". મૂળ માંથી ૪ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત.