કરતારપુર કોરિડોર

વિકિપીડિયામાંથી
કરતારપુર કોરિડોર
સ્થાનડેરા બાબા નાનક, ગુરદાસપુર જિલ્લો, પંજાબ, ભારત
કરતારપુર, નરોવાલ જિલ્લો, પંજાબ, પાકિસ્તાન
દેશભારત, પાકિસ્તાન
મુખ્ય વ્યક્તિઓનરેન્દ્ર મોદી
નવજોત સિધ્ધુ
ઇમરાન ખાન
કમર જાવેદ બાજવા[૧]
સ્થાપના28 November 2018 (2018-11-28)
સ્થિતિઆંશિકરૂપે વપરાશમાં

કરતારપુર કોરિડોર એ પડોશી દેશો ભારત અને પાકિસ્તાનમાં આવેલા શીખ ધર્મના બે અત્યંત મહત્વના સ્થળોને જોડતો માર્ગ બનાવવાની પ્રસ્તાવિત પરિયોજના છે. ભારતની ભૂમિ પર આવેલા પંજાબનાં ડેરા બાબા નાનક સાહિબથી પાકિસ્તાનના પંજાબમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી વગર વિઝાએ યાત્રાળુઓ જઈ-આવી શકે તે માટે આ માર્ગ બનાવવામાં આવનારો છે.[૨] ભારતની સરહદથી પાકિસ્તાનની અંદર આ માર્ગની કુલ લંબાઈ 4.7 kilometres (2.9 miles) છે, માર્ગમાં આવતી રાવી નદી પર ૮૦૦ મીટર લંબાઈનો પૂલ પણ બનાવાશે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "PM Imran Khan performs ground-breaking of Kartarpur Corridor" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-29.
  2. ૨.૦ ૨.૧ "કરતારપુર કોરિડોર આવતાં વર્ષે નવેમ્બરમાં શરૂ થશે". સમાચાર. અકિલા ન્યુઝ. ૨૯ નવેમ્બર ૨૦૧૮. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]