લખાણ પર જાઓ

કરસનભાઇ પટેલ

વિકિપીડિયામાંથી
કરસનભાઇ પટેલ

કરસનભાઈ ખોડીદાસ પટેલ ભારતના ઉદ્યોગપતિ છે, જેમણે ૨૫૦૦ કરોડના નિરમા ગ્રુપની સ્થાપના કરી હતી, જે કપડાં ધોવાનો પાવડર, સાબુ અને કોસ્મેટિક બનાવે છે. ઇસ ૨૦૧૭માં ફોર્બ્સ મેગેઝિને તેમની સંપતિ આશરે ૬૪ કરોડ અમેરિકન ડોલર આંકી હતી.

તેમનો જન્મ ઇ.સ. ૧૯૪૫માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના રૂપપુર ગામમાં થયો હતો (હાલમાં: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં)[]. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયેલા કરસનભાઈએ નોકરી પછીના સમયમાં અમદાવાદ ખાતે કપડાં ધોવાનો પાવડર (ડીટરજન્ટ) બનાવી વેચવાની નાના પાયે શરુઆત કરી અને ગુજરાત રાજ્યના ટોચના ઉદ્યોગપતિ બન્યા.

સન્માન

[ફેરફાર કરો]

એમને ભારત સરકાર તરફથી ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં એમણે ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગુજરાતનું ગૌરવઃ ડિટર્જન્ટમાંથી દેવત્વ એટલે કરસનભાઈ પટેલ". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૦૩ માર્ચ ૨૦૨૬ પર સંગ્રહિત. મેળવેલ ૦૩ માર્ચ ૨૦૨૬. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs (India). ૨૫ જાન્યુઆરી ૨૦૧૦. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૧૦.