કર્ણ પ્રયાગ

વિકિપીડિયામાંથી
કર્ણ પ્રયાગ ખાતે પિંડાર અને અલકનંદા નદીઓનો સંગમ

કર્ણ પ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક પર્વતીય તીર્થધામ છે. આ સ્થળ અલકનંદા નદી પર આવેલા પંચ પ્રયાગ[૧] તરીકે ઓળખાતા પાંચ તીર્થો પૈકીનું એક છે. અહીં અલકનંદા નદી અને પિંડાર નદીઓનો સંગમ થાય છે.[૨] આ સ્થળ ઋષિકેશ થી બદ્રીનાથ જતા માર્ગ પર આવેલું હોય એનું મહત્વ અધિક છે.

આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૪૫૧ મીટર (૪,૭૬૦ ફૂટ) જેટલી ઊંચાઈ પર 30°16′N 79°15′E / 30.27°N 79.25°E / 30.27; 79.25[૩] સ્થાને આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya, page 89. Stackpole Books. ISBN 0811729532.
  2. Uttaranchal. Rupa & Co. 2006. ISBN 81-291-0861-5. Page 12.
  3. Falling Rain Genomics, Inc - Karnaprayag

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]