કલ્યાણરાય ન. જોષી

વિકિપીડિયામાંથી

કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની ૧૨મી તારીખે થયો હતો. એમણે વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્રી, ભૂસ્તરવિજ્ઞાન અને પુરાતત્ત્વ કે જે તેમના પ્રિય વિષયો રહ્યા હતા, તેને લગતાં ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે લખેલા "ઓખામંડળના વાઘેરો" નામના પુસ્તક માટે તેમને "નર્મદ સુવર્ણચંદ્રક" એનાયત કરવામાં આવ્યો હતો. રણજિતરામ વાવાભાઇએ એમને સૌરાષ્ટ્રના સાચા માસ્તર તરીકે નવાજયા હતા. કવિ ન્હાનાલાલે તેમને દ્રારકાના સાચા બ્રાહ્મણ ગણાવ્યા હતા. ઇ.સ. ૧૯૭૬ના માસની ૧૯મી તારીખે ૯૨ વર્ષની પાકટ વયે પોરબંદર ખાતે તેમણે જીવનલીલા સંકેલી લીધી[૧].

સંદર્ભો[ફેરફાર કરો]