કીર્તિ ચક્ર (પુરસ્કાર)
દેખાવ

કીર્તિ ચક્ર પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને શૂરવીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કારના સમાન દરજ્જાનો તથા મહત્ત્વનો પુરસ્કાર ગણાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કીર્તિ ચક્ર (પુરસ્કાર) ભારતીય સેનાની વેબસાઇટ પર
- કીર્તિ ચક્ર (પુરસ્કાર) સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
- ભારત રક્ષક : કીર્તિ ચક્ર (પુરસ્કાર) વિશે એક લેખ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૫ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |