લખાણ પર જાઓ

ગોંડલ રજવાડું

વિકિપીડિયામાંથી
ગોંડલ રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૬૩૪–૧૯૪૯
Coat of arms of ગોંડલ
Coat of arms

સૌરાષ્ટ્રમાં ગોંડલનું સ્થાન
વિસ્તાર 
 ૧૮૩૧
2,652 km2 (1,024 sq mi)
વસ્તી 
 ૧૮૩૧
205840
ઇતિહાસ 
 સ્થાપના
૧૬૩૪
 ભારતની સ્વતંત્રતા
૧૯૪૯
પહેલાં
પછી
મુઘલ યુગ
ભારત
નવલખા મહેલનો ઓરડો
મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી (૧૮૬૫-૧૯૪૪)
નવલખા મહેલની એક કોતરણી.

ગોંડલ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની કાઠિયાવાડ એજન્સીના આઠ પ્રથમ કક્ષાના રજવાડાઓમાંનું એક રજવાડું હતું. આ રજવાડાની રાજધાની ગોંડલ શહેર હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગોંડલ રજવાડાની સ્થાપના ઇસ ૧૬૩૪માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી એ કરી હતી, જેમણે અરડોઇ અને અન્ય ગામો તેમના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા.[સંદર્ભ આપો] આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજી, ઉપલેટા, સરાઇ અને પાટણવાવ અને અન્ય પરગણાંઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો.[સંદર્ભ આપો] ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[]

ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો હતા જેઓ ૧૧ તોપોની સલામીનો હક ધરાવતા હતા. ૧૮૬૬ પછી તેઓને 'ઠાકુર સાહેબ'નો ઇકલાબ મળ્યો હતો.[]

શાસનકાળ નામ (જન્મ-મૃત્યુ)
૧૬૪૮ - ૧૭૧૩ સંગ્રામજી પ્રથમ કુંભોજી (જ. ૧૬૩૪ - મૃ. ૧૭૧૩)
૧૭૧૩ - ૧૭૫૨ હાલોજી સંગ્રામજી (જ. ૧૬૭૬ - મૃ. ૧૭૫૨)
૧૭૫૨ - ૧૭૮૯ કુંભોજી દ્વિતિય હાલોજી (જ. ૧૭૧૨ - મૃ. ૧૭૮૯)
૧૭૮૯ - ૧૭૯૧ મુળુજી સંગ્રામજી (માલુભાઇ સાહેબ) (જ. ૧૭૫૪ - મૃ. ૧૭૯૧)
૧૭૯૧ - ૧૮૦૦ દાજીભાઇ મુળુજી (જ. ૧૭૭૫ - મૃ. ૧૮૦૦)
૧૮૦૦ - ૧૮૧૨ દેવજી સંગ્રામજી (દેવભાઇ સાહેબ) (જ. ૧૭૬૯ - મૃ. ૧૮૧૨)
૧૮૧૨ - ૧૮૧૪ નથુજી દેવજી (નથુભાઇ સાહેબ) (મૃ. ૧૮૧૪)
૧૮૧૪ - ૧૮૨૧ કાનુજી દેવજી (જ. ... - મૃ. ૧૮૨૧)
૧૮૨૧ - ૧૮૪૧ ચંદ્રસિંહજી દેવજી (મોતીભાઇ સાહેબ) (જ. ૧૭૯૭ - મૃ. ૧૮૪૧)
૧૮૪૧ - ૧૮૫૧ ભાણાભાઇ દેવજી (મૃ. ૧૮૫૧)
૧૮૫૧ - ૧૮૬૬ સંગ્રામજી દ્વિતિય દેવજી (સંગ્રામજી ભાણાભાઇ) (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૬૯)

ઠાકુર સાહેબ

[ફેરફાર કરો]
શાસનકાળ નામ (જન્મ-મૃત્યુ)
૧૮૬૬ - ૧૪ ડિસેમ્બર ૧૮૬૯ સંગ્રામસજી દ્વિતિય દેવજી (સ.અ.)
૧૪ ડિસેમ્બર ૧૮૬૯ - ૧૦ માર્ચ ૧૯૪૪ ભગવતસિંહજી સંગ્રામસિંહજી (જ. ૧૮૬૫ - મૃ. ૧૯૪૪)

(૧૫ ફેબ્રુઆરી ૧૮૮૭થી સર ભગવતસિંહજી સંગ્રામસિંહજી)
(મહારાજા ૧ જાન્યુઆરી ૧૮૮૮થી)

૧૦ માર્ચ ૧૯૪૪ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ભોજરાજજી ભગવતસિંહજી (જ. ૧૮૮૩ - મૃ. ૧૯૫૨)

(મહારાજા)

ગાદી સંભાળ

[ફેરફાર કરો]
  • ૧૬ સપ્ટેમ્બર ૧૮૭૮ - ૨૪ ઓગસ્ટ ૧૮૮૪ ગાદી સંભાળ
    • વી. સ્કોટ (જૂન ૧૮૮૨ સુધી)
    • જયાશંકર લાલશંકર (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
    • ભગવત સિંહજી (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
    • હેનકોક (સ્કોટ વતી, ડિસેમ્બર ૧૮૮૦ - ફેબ્રુઆરી ૧૮૮૧)
    • નટ્ટ (જૂન ૧૮૮૨ થી [અને સ્કોટ વતી ઓગસ્ટ ૧૮૮૧ - જૂન ૧૮૮૨])

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Harikrishna Laishankar Dave (૧૮૬૭). A Short History of Gondal. Education Society's Press. pp. ૨૦૨.
  • Shree Bhagvat Sinhjee golden jubilee committee, Gondal (૧૯૩૪). Gondal's cherished treasures: an account of Shree Bhagvat Sinhjee golden jubilee celebrations. Shree Bhagvat Sinhjee golden jubilee committee.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]