ચર્ચા:અચિન્ત્યાનંદ સ્વામી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગયા વખતે ગોષ્ટિ પર ચર્ચા થયા મુજબ આ લેખ વિકિ પર મુકવા યોગ્ય ખરો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૧૪, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

?

શ્રી.મહર્ષિભાઈ, આ અને આ પ્રકારનાં કેટલાક લેખ, જેમાં ડિલિશન ટૅગ લગાવી તે વિકિયોગ્ય શાને નથી (અથવા છે) તે ગોષ્ટિ કદાચ રવિવારીય ગોષ્ટિ હશે જેમાં હું હાજર ન હોય મને વિષયવસ્તુની જાણ નથી. તો શ્રી.ધવલભાઈ પર આ મામલો છોડું, અથવા કૃપયા મને થોડી સમજણ આપવા કષ્ટ લેશોજી. (એક આડવાત, કૃપયા ડિલિશન ટૅગ (કે અન્ય સંપાદન) કરો તેનાં સારાંશમાં ’ડિલિટ’ કે એવું કંઈક ટૂંકનોંધ જેવું લખો તો મારા જેવાનું તે પર (તાજા ફેરફારો ચેક કરવા દરમિયાન) ધ્યાન ખેંચાય અને તુરંત એક્શનમાં આવી શકું. પ્રબંધક તરીકેનાં કાર્યમાં અમે આપ સમા સૌ સિનિયર (અને સિન્સિયર) મિત્રનાં ફેરફારોને બહુધા યોગ્ય જ ગણી અને તે પર ચકાસણી કરવા જવાનો અવિવેક કરતાં હોતા નથી !! એથી ક્યારેક આપનાં દ્વારા થયેલું સૂચન ચૂકાઈ જવાય તેવું બને. તો ફરી, કૃપયા સારાંશમાં નિર્દેશ આપતો એકાદ શબ્દ ઉમેરશોજી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
http://en.wikipedia.org/wiki/Wikipedia:Notability_(people) જોઇ જવા વિનંતિ. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૯, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


પ્રથમ તો, હર્ષજીને ધન્યવાદ. ઉપરોક્ત કડી પરનાં માર્ગદર્શનનો અભ્યાસ કર્યો. પ્રથમ ત્યાંથી એક અવતરણ ઉતારું;

Any biography

1-The person has received a well-known and significant award or honor, or has been nominated for one several times. 2-The person has made a widely recognized contribution that is part of the enduring historical record in his or her specific field.

Academics

Many scientists, researchers, philosophers and other scholars (collectively referred to as "academics" for convenience) are notably influential in the world of ideas without their biographies being the subject of secondary sources.

તો આગળ Wikipedia:Notability (academics) પર વાંચતા; Criteria 9. The person is in a field of literature (e.g writer or poet) or the fine arts (e.g. musician, composer, artist), and meets the standards for notability in that art,...

તો, અહીં આ પ્રકારના બધા જ લેખોમાં આપણે વિવેકબુદ્ધિ વાપરવી પડશે. વ્યક્તિગત આ એક લેખ લો તો, જેમના વિશે આ લેખ છે તેમણે એક પ્રસિદ્ધ સંપ્રદાયનો, એક મહાગ્રંથ (શ્રીહરિલીલાકલ્પતરુ) લખ્યાનું જણાવાયું છે. જો (ફરી વાંચો; જો !!) આ માહિતી સત્ય હોય તો આ લેખ અહીં લખવા યોગ્ય છે. પરંતુ એ માટે આપણે આ માહિતીની સત્યાર્થતા પૂરવાર કરતો સંદર્ભ જોઈએ. ટૂંકમાં જો સંદર્ભ મળે તો આ ’વ્યક્તિ’ નોટેબલ છે. કારણ કે તેમણે તેમના ફિલ્ડ (અધ્યાત્મ, સંપ્રદાય)માં કશુંક નોંધપાત્ર યોગદાન કરેલું છે. જો કે હું હજુ વધુ અભ્યાસ કરીશ. હાલ આપને વિચારવા અને માર્ગદર્શન શોધવા આટલું લખ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૦, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

તમારી વાત સાથે એકદમ સહમત અશોકભાઇ. આપડે થોડી વિવેકબુદ્ધિ વાપરવી પડશે આવા લેખો માટે. આપણને જો સંદર્ભ મળી જાય તો આ લેખ રાખી શકાય.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૪, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સંદર્ભ મળી ગયા છે.
  1. http://kids.baps.org/thingstoknow/scriptures/11.htm
  2. http://www.rajkotgurukul.org/swaminarayan-sect/literature-research-philosophy/
  3. http://www.swaminarayan.org/scriptures/shriharileelakalpataru.htm

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૮, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાત એમ છે કે આચાર્ય રઘુવિરજી મહારાજે લખેલુ છે અને અચિન્ત્યાનંદ સ્વામીએ તેમની નીચે રહીને સંપાદન કર્યુ હતુ. મારી પાસે આ ગ્રંથ પડ્યો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૧, ૧૨ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


ખુબ સરસ! હું આપ બન્ને સાથે સહમત થાવ છું. આપે બહુ મહેનત લીધી. છતાં જો માહિતી સમ્પ્રદાય પુરતી જ મર્યાદિત હોય અને રેકગ્નિશન સંમ્પ્રદાય પુરતું જ હોય તો શું નિર્ણય લેવો તે પણ આપણે લાંબા ગાળા માટે નક્કી કરવું જોઇયે. આવા જ પ્રશ્નો ઇસ્કોન અને અન્ય સમ્પ્રદાય માટે પણ લાગુ પડે. એક વખત ધવલભાઇ પણ નજર નાખી લે અને સર્વાનુ મતે લાંબા ગાળાની નીતિ પર આવીયે. ઉપરાંત આ લેખનું નામ બદલવું જોઇયે. સીતારામ... મહર્ષિ

મહર્ષિભાઈ, આ ચર્ચામાં આમંત્રણ માટે આભાર. મારી નાકારાત્મકતા જાણતા હોવા છતાં તમે મને આવા ચર્ચાપદ કિસ્સાઓમાં ઘસડો એ તમારી બહાદુરીની નિશાની છે, પણ તેમ કરતાં તમે અન્ય સભ્યોનો રોષ વહોરી લો એવું પણ બને, એટલે એ વાતથી પણ સાવધાન રહેવું. ચાલો, મજાક બાજુ પર મુકીને, નીચેના એક મુખ્ય મુદ્દા પર તમારું સહુનું ધ્યાન દોરું:

A person is presumed to be notable if he or she has been the subject of multiple published secondary sources which are reliable, intellectually independent of each other, and independent of the subject.

  • If the depth of coverage in any given source is not substantial, then multiple independent sources may be combined to demonstrate notability; trivial coverage of a subject by secondary sources may not be sufficient to establish notability.
  • Primary sources may be used to support content in an article, but they do not contribute toward proving the notability of a subject.
આ અંગ્રેજી વિકિપીડિયામાં નોટેબિલિટીનો બેઝિક ક્રાયટેરિયા છે, એટલે કે માનનિયતા માટેનો પાયાનો માપદંડ. એમાં જે મૂળભુત જરૂરિયાત છે તે multiple published secondary sources which are reliable, intellectually independent of each other, and independent of the subject એટલે કે વ્યક્તિ માટે એક કરતા વધુ પ્રસિદ્ધ થયેલા બીજી પંક્તિના (પ્રાથમિક નહિ તેવા) સંદર્ભો હોવા જોઈએ, આ સંદર્ભો એવા સ્રોતમાંથી અવતા હોવા જોઈએ કે જે વિશ્વાસનિય હોય, બૌદ્ધિક રીતે એકબીજાથી સ્વતંત્ર હોય અને વિષય/વ્યક્તિથી સ્વતંત્ર હોય.
બીજી વાત એ કે આ લેખને એકેડેમિકના દાયરામાં ના સમાવી શકીએ, કેમકે અચિત્યાનંદ સ્વામીનું (આ ચર્ચા પ્રાથમિક ધોરણે તેમને ધ્યાનમાં લઈને થઈ રહી છે માટે) યોગદાન સમાજમાં શિક્ષણ અર્થે કે સાહિત્ય ક્ષેત્રે ન હોતા, સંપ્રદાય પુરતું છે. એટલે સંદર્ભ, માહિતી અને માન્યતા (રેકગ્નિશન) જો સંપ્રદાય પુરતું જ હોય તો તેને માનનિયતાના માપદંડમાં ઢાળી શકાય નહી. મહર્ષિભાઈ જણાવે છે તેમ, આવું ઇસ્કોન અને અન્ય અનેક સંપ્રદાયો માટે ઊભો થઈ શકે. મારા પોતાના ગુરુની જ વાત કરું તો, તેમણે અનેક પુસ્તકો લખ્યા છે, સંશોધનાત્મક પુસ્તક પણ તેમણે લખ્યું છે, અને તેઓ સંપ્રદાયના સંન્યાસી પણ છે. પરંતુ તેમના પુસ્તકોનું વિવેચન સંપ્રદાય સિવાય કોઈએ કર્યું નથી, તેમના વિષેના સમાચાર પણ ફક્ત સંપ્રદાયની વેબસાઈટો પર જ મળી આવે. આમ તેમના માટે કોઈ સેકન્ડરી સોર્સ કે સેકન્ડરી રેફરન્સ નથી. અને તે કારણે વિકિપીડીયાના માપદંડ મુજબ તેમને જ્ઞાનકોશમાં સમાવી શકાય નહી.
એટલે સરળ ભાષામાં એમ કહી શકીએ કે જો કોઈ પ્રભાવ હેઠળ ના હોય અને સ્વતંત્ર રીતે ઉલ્લેખ થયેલો હોય એવા સંદર્ભ મળે તો જ તેમને નામાંકિત માણસ ગણવા. ચર્ચા હું પૂરી કરતો નથી, બલ્કે આગળ ચાલે તેવો આગ્રહ રાખું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૫, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધવલભાઇ તમારી વાત સાથે સહમત પરંતુ જે ઘટના ૨૦૦ વર્ષ પુરાણી હોય તે વસ્તુનુ આપણને third party reference ના મળે તો શું કરવુ? હુ આ લેખના પરિપ્રેક્ષ્યમાં નહિ પરંતુ જનરલ વાત કરું છુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૪૨, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]


આમ જોઇયે તો સવાલ સમયનો નથી. સંદર્ભની સદ્ધરતા નો છે. સંપ્રદાયની જ સાઇટને સંદર્ભ ન ગણી શકાય. કારણકે આવી સાઇટનું રેકગ્નિશન સંમ્પ્રદાય પુરતું જ છે. પણ સેકન્ડરી અને રિલાયેબલ સોર્સ મળે તો શોધી શકાય. આપણે આ ચર્ચાને કઈક અલગ જગ્યા એ ખસેડવી જોઇયે. અત્યારે તો આ લેખ પુરતી જ ચર્ચા કરતા હોય એવું લાગે છે. આ ચર્ચા સર્વ સામાન્ય નિયમ નક્કિ કરવા પુરતી જ છે. જેથી કોઇ આવી ચર્ચાને અન્યથા ન લે એ જરુરી છે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૫, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ અને મિત્રો, હવે મારે લૉ નું શિક્ષણ પણ લેવું પડશે !! :-) તો, આમ તો હું વ્યક્તિગત રીતે સંપ્રદાયવિહિન છું, કેમ કે હું કયા સંપ્રદાયનો એ મને જ ખબર નથી ! પરંતુ વાત "ન્યાય"ની છે એટલે દલીલ પેશ-એ-ખિદમત કરું છું ! જો વિકિનીતિનું અર્થઘટન એમ થાય કે, માત્ર પોતાના સંપ્રદાય પૂરતું કાર્ય કર્યું હોય (ચાલો તે માત્ર એક સંપ્રદાય પુરતું જ સિમિત હોય), તેને વિકિ પર સ્થાન ન હોય તો (૧) સંપ્રદાયને લગતું વ્યક્તિત્વ હોય તે સ્વાભાવિક છે કે પોતાના સંપ્રદાયના ક્ષેત્રમાં જ યોગદાન કર્તા હોય (વધુ ભાગે). સાંપ્રદાયીક વ્યક્તિત્વ એટલે જ પોતાના સંપ્રદાય, ધર્મના ક્ષેત્રમાં કંઈક નોંધપાત્ર પ્રદાન કરનારું વ્યક્તિત્વ. હવે કોઈ ખ્રીસ્તી સંતનાં યોગદાનનો સંદર્ભ કંઈ ગીતામાં ન મળે કે કોઈ વૈશ્ણવ ધાર્મિક વ્યક્તિત્વનાં યોગદાનનો સંદર્ભ કંઈ શિક્ષાપત્રીમાં કે બાઈબલમાં ન મળે. જે તે સંપ્રદાયના પુસ્તકો કે વેબ પરથી જ તેનો સંદર્ભ મળી શકે. (૨) હર્ષજીએ કહ્યું તેમ, અને મોટાભાગે તો, આવું વ્યક્તિત્વ ૧૦૦-૨૦૦-૫૦૦ વર્ષ પ્રાચીન પણ હોય, તો નેટ પર third party reference ના પણ મળે. (૩) છતાં ઉપલબ્ધ સંદર્ભો અહીં ઉલ્લેખાયેલી વાતની સત્યાર્થતા કે ઓછામાં ઓછું ચકાસણી પૂરતી માહિતી તો આપતા જ હોય (૪) આપે જણાવ્યું કે ’સંદર્ભ, માહિતી અને માન્યતા (રેકગ્નિશન) જો સંપ્રદાય પુરતું જ હોય તો તેને માનનિયતાના માપદંડમાં ઢાળી શકાય નહી.’ તો વિચાર આગળ વધારતા એમ કહી શકાય કે, ગીતા, કૂરાન કે બાઈબલ જેવા પુસ્તકો કે નરસિંહ, મીરાં જેવા કવિઓની રચનાઓ પણ એક નિશ્ચિત વર્તુળ (કે ધર્મ-સંપ્રદાય) પુરતી જ માન્યતા ધરાવતી હોય છે. (૫) બધી જ માથાકૂટ એક તરફ રાખીને અંગ્રેજી વિકિ પર જુઓ List of saints.અહીં ખ્રિસ્તી ધર્મનાં અનેક સંપ્રદાયનાં સંતો વિષયક લેખો (ઈસ:૪૫૦થી લઈ હાલ સુધીના), જેમાં ઘણાં પણ માત્ર પોતપોતાના સંપ્રદાય પૂરતા પ્રસિદ્ધ હોય, છે. તો, ગુજરાતી વિકિ પર ગુજરાતનાં પ્રસિદ્ધ સંપ્રદાયો અને તે સંપ્રદાયમાં નોંધપાત્ર યોગદાન આપનાર સંતોના કે ભક્તોના લેખ રસપ્રદ વિષય જ ગણાય અને અસ્થાને પણ ન ગણાય. હા, માહિતીઓની લેખનશૈલી વિકિલાયક હોવી જોઈએ. બીજું, આપણે જ્ઞાનકોશ પર કાર્યરત છીએ તો, આપણી અંગત માન્યતા જે હોય તે, લોકોના રસના વિવિધ વિષયોને, જેમાં વિજ્ઞાન, ખગોળ, રાજકિય, મનોરંજન, ધર્મ, સાહિત્ય, કળા, .... જેવા, અવગણી તો ન શકીએ ને ! વ્યવહારૂ વાત છે કે અંગ્રેજી વિકિ પર શોધકને ખિસ્તીધર્મના સંતોની માહિતી વધારે પ્રમાણમાં પ્રાપ્ય હોય જ્યારે ગુજરાતી વિકિ પર ગુજરાતમાં પ્રચલીત ધર્મ-સંપ્રદાયને લગતી. જો ધાર્મિક વ્યક્તિત્વો અસ્પૃશ્ય જ હોય તો અંગ્રેજી વિકિ પર બધાં જ ધર્મોના પોર્ટલ, આટલા બધા સંતોના લેખ, ઈવન ’સંત પોર્ટલ’ ન હોય !! (વાત નિયમોની હોય તો આ પણ અભ્યાસવા જેવું ! Wikipedia:Ignore all rules કૃપયા આને અંગત વિરોધ-તરફેણ ન ગણતા નીતિ નિર્ધારણ કેસમાં એક તરફનો પક્ષ રાખનાર વકિલની કાનૂની દલીલ ગણવી. પ્રતિવાદી પક્ષની દલીલ સમાપ્ત યોર ઑનર !
(તા.ક. મહર્ષિભાઈએ હું લખતો હતો ત્યાં પોતાનો મત જાહેર કર્યો તેથી આટલું ઉમેરું. આ ચર્ચા પછીથી કોઈક યોગ્ય જગ્યાએ કાયમી ધોરણે ટ્રાન્સફર કરી રાખીશું. આપણે સૌ ઘડાયેલા વિકિમિત્રો છીએ, કોઈ અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન નહિ જ બનાવે માત્ર આપે કહ્યું તેમ એક સર્વમાન્ય, કાયમી, યોગ્ય, વાજબી, નીતિનિર્ધારણ ખાતરની આ ચર્ચા બની રહેશે. સૌ મિત્રોને મારી પણ આ જ અપિલ છે.) આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૯, ૧૪ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

(કૃપયા આગળની ચર્ચા વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય પર કરવી. આ પાનું હવે ખાલી કરી દેવામાં આવશે.)