જગત શિરોમણી મંદિર, આમેર
દેખાવ
| જગત શિરોમણી મંદિર | |
|---|---|
જગત શિરોમણી મંદિરનો બાહ્ય દેખાવ | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| દેવી-દેવતા | કૃષ્ણ, મીરાંબાઈ, વિષ્ણુ |
| સ્થાન | |
| સ્થાન | આમેર, જયપુર જિલ્લો |
| રાજ્ય | રાજસ્થાન |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 26°59′29″N 75°51′03″E / 26.99127°N 75.85083°E |
| સ્થાપત્ય | |
| નિર્માણકાર | રાણી કનકાવતી |
| પૂર્ણ તારીખ | ૧૬૦૮ |
| વેબસાઈટ | |
| https://www.jagatshiromaniji.com/ | |
જગત શિરોમણી મંદિર ભારત દેશના રાજસ્થાન રાજ્યના જયપુર જિલ્લામાં આમેર ખાતે આવેલું એક હિંદુમંદિર છે.[૧] આ મંદિર ભગવાન કૃષ્ણ અને વિષ્ણુ તથા ભક્ત મીરાંબાઈને સમર્પિત છે. તેનું બાંધકામ ૧૫૯૯-૧૬૦૮ની વચ્ચેના સમયમાં રાણી કનકાવતીએ કરાવ્યું હતું,[૨] જે રાજા માનસિંહ (પ્રથમ)ની પત્ની હતી. આ મંદિર તેમના પુત્ર જગતસિંહની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ મંદિરને આમેર નગરના સ્થાનિક ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ મંદિર ખાતે ભગવાન કૃષ્ણની એક પ્રતિમા છે જે હિંદુ ધર્મના લોકો માટે શ્રદ્ધાનું પ્રતિક છે. આ પ્રતિમા સાથે એવી જ મીરાંબાઇની પ્રતિમા છે જેનું મેવાડ રાજમાં પૂજન કરવામાં આવે છે.[૩]
ચિત્રદર્શન
[ફેરફાર કરો]- જગત શિરોમણી મંદિરનો બાહ્ય દેખાવ
- મંદિરના પ્રવેશદ્વાર પર સંગીતકાર અને સ્ત્રીનું શિલ્પ
- પ્રવેશદ્વારનો નજીકનો દેખાવ
- કોતરણી
- મંદિરનો બાજુ પરથી દેખાવ
- મંદિરનો વિહંગ દેખાવ
- પ્રવેશદ્વારના પગથિયા પરથી દેખાવ
- મંદિરની નજીક કમાનો અને સ્થંભો
- દિવાલ પરની કળા
- કોતરણી ધરાવતી છતનો દેખાવ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ pareek, Amit kumar pareek and Agam kumar. "Jagat Shiromani Temple -Amer-jaipur". amerjaipur.in. મૂળ માંથી 2015-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-26.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Temple Profile". www.devasthan.rajasthan.gov.in. મેળવેલ 2015-09-26.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Travel, Vibrant4. "Famous Shri Jagat Shiromani temple in Amer Jaipur". Vibrant4Travel. મેળવેલ 1 March 2016.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: numeric names: authors list (link)
વિકિમીડિયા કોમન્સ પર જગત શિરોમણી મંદિર સંબંધિત માધ્યમો છે.