ધરમશીભાઈ શાહ

વિકિપીડિયામાંથી
ધરમશીભાઈ શાહ
જન્મ૫ એપ્રિલ ૧૯૨૧ Edit this on Wikidata
મૃત્યુ૯ ડિસેમ્બર ૨૦૧૭ Edit this on Wikidata

ધરમશીભાઈ શાહ ભાવનગર તેમજ ગુજરાત રાજ્યના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના એક નિષ્ણાંત હતા. તેઓ કલાગુરૂ તરીકે જાણીતા હતા.

વિગત[ફેરફાર કરો]

ધરમશીભાઈ શાહનું મુળ વતન કચ્છ હતું[૧]. એમનો જન્મ કચ્છના માંડવી ખાતે ૫ એપ્રીલ ૧૯૨૧ના દિવસે થયો હતો[૨]. તેઓ છેલ્લા સાત દાયકાથી ભાવનગરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને રહ્યા હતા[૧]. એમણે નાનાભાઈ ભટ્ટ અને મૂળશંકરભાઇ ભટ્ટના સુચનથી કલાક્ષેત્ર બનાવીને કાર્ય કરવાની શરૂવાત કરી[૨]. એમના પત્નિનું નામ ઝવેરબેન છે.

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

  • ૧૯૮૯ - ગુજરાત ગૌરવ પુરસ્કાર[૨]
  • ૨૦૦૨ - ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર[૨]
  • ૨૦૦૨ - અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય, મહારાષ્ટ્ર દ્વારા "મહામહોપાધ્યાય"ની ઉપાધિ[૨]

અવસાન[ફેરફાર કરો]

૯ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ભાવનગરમાં ૯૮ વરસની વયે તેઓ અવસાન પામ્યા હતા[૧]. એમની અંતિમવિદાય સમયે એમના વિદ્યાર્થીઓએ એમને કથક અને તોડા દ્વારા અંતિમ વિદાય આપી હતી[૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "કલાગુરૂ ધરમશીભાઇની અંતિમ વિદાયથી કલાનગરી રાંક બની" (PDF). digitalimages.bhaskar.com. દિવ્યભાષ્કર. ૧૦ ડીસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૦ ડીસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "કલાગુરૂ ધરમશીભાઇને નૃત્યાંજલિથી અંતિમ વિદાઈ" (PDF). digitalimages.bhaskar.com. દિવ્ય ભાસ્કર. ૧૧ ડીસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૧ ડીસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]