પહલગામ
પહલગામ | |
|---|---|
ગિરિ મથક | |
પહલગામ નજીક ખીણનો દેખાવ | |
| અક્ષાંશ-રેખાંશ: 34°01′N 75°11′E / 34.01°N 75.19°E | |
| દેશ | |
| રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
| જિલ્લો | અનંતનાગ જિલ્લો |
| ઊંચાઇ | ૨,૭૪૦ m (૮૯૯૦ ft) |
| વસ્તી (૨૦૧૧) | |
| • કુલ | ૫,૯૨૨ |
| ભાષાઓ | |
| • અધિકૃત | ઉર્દૂ |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પહલગામ (ઉર્દૂ: پہلگام, હિન્દી: पहलगाम) ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી (વસ્તી ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ વચ્ચે) છે. આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]પહલગામ [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%AA%E0%AA%B9%E0%AA%B2%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE¶ms=34.01_N_75.19_E_ ૩૪.૦૧° N ૭૫.૧૯° E] અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૧] સરાસરી સમુદ્ર સપાટીથી અહીંની સરાસરી ઊંચાઈ ૨૭૪૦ મી છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે પહલગામની વસ્તી ૫૯૨૨ હતી. તેમાં ૬૫% પુરુષો અને ૪૪% સ્ત્રીઓ હતી. અહીં ની સરાસરે સાક્ષરતા ૩૫% હતી જે રાષ્ટ્રીય સરાસરી ૫૯.૫% કરતાં ઓછી હતી. ૪૯% પુરુષો અને ૧૭% સ્ત્રીઓ અહીં સાક્ષર હતી. ૧૪% વસ્તી ૬ વર્ષથી નીચેની ઉમર નાની હતી.
પ્રવાસી આકર્ષણ
[ફેરફાર કરો]પહલગામ (ભરવાડોનું ગામ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી ટેકરીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી). પહલગામમાં રહેવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન નિગમ ખૂબ સસ્તા દરે કોટેજ આપે છે.
હિંદુઓનું પવિત્રધામ ગણાતી અમરનાથ ગુફા જવા માટે આ એક પ્રવેશ સ્થળ છે.
કોલાહોઈ હિમનદી
[ફેરફાર કરો]કોલોહોઈ હિમનદી, એ કોલોહોઈ પર્વતની નીછે લીડ્ડર ખીણની ઉપર તરફ આવેલી છે જે અત્યારે લટકતી હિમનદી છે. આ નદી વૈશ્વીક ગરમી, એશિયાઈ કથ્થઈ વાદળ અને પર્યાવરણીય જળશાસ્ત્ર ને લાગતા સ્થાનીય પર્યાવરણીય કારકોને કારણે આ હિમનદી લટકતી હિમનદી બની ગઈ છે. ૨૦૦૮માં જવાહર પર્વતારોહણ સંસ્થાના પર્વતારોહકોના હિસાબે ૧૯૮૫ના મુકાબલે આ હિમનદી અડધી થઈ ગઈ છે. આ હિમનદી અભ્યાસ માટે સલામત નથી કેમકે તે ઘણે ઠેકાણે પોલી થઈ ગઈ છે આ પોલાણ ઘણે સ્થળે ૨૦૦ ફૂટ ઊંડું છે. હિમ ક્ષેત્રની બંને તરફ હિમ તૂટવાના કડાકા સાંભળી શકાય છે જે દર્શાવે છે કે ક્યારે પણ તે ધરાશાયી થઇ શકે છે. સલામતી પૂર્વક આસ્થળેને નીહાળવાનો વિકલ્પ છે કે તમે જમણી તરફથી જાઓ. આ બાજુએથી આવતા ઓછા પથ્થરીય ક્ષેત્રો આવે છે, અને રસ્તામાં ક્યરેક બકરી/ઘોડા/ઢોર આદિ છરાવતાં ભરવાડ મળી જાય છે જેમની પાસે થોડું ચીઝ કે કાશ્મીરી ચા મેળવી શકાય છે. લીડ્ડર ખીણ માર્ગે કોલહોઈ પહોંચતા તમને પશ્ચિમ હિમાલયના સૌથી કપરા ભૂપૃષ્ઠનો સામનો કરવો પડે છે પણ પ્રાકૃતિક દ્રશ્ય શ્વાસ થંભાવનારું સુંદર છે.
આબોહવા
[ફેરફાર કરો]| હવામાન માહિતી Pahalgam | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
| સરેરાશ મહત્તમ °C (°F) | 7.0 (44.6) |
8.2 (46.8) |
14.1 (57.4) |
20.5 (68.9) |
24.5 (76.1) |
29.6 (85.3) |
30.1 (86.2) |
29.6 (85.3) |
27.4 (81.3) |
22.4 (72.3) |
15.1 (59.2) |
8.2 (46.8) |
19.7 (67.5) |
| સરેરાશ ન્યૂનતમ °C (°F) | −2 (28) |
−0.7 (30.7) |
3.4 (38.1) |
7.9 (46.2) |
10.8 (51.4) |
14.9 (58.8) |
18.1 (64.6) |
17.5 (63.5) |
12.1 (53.8) |
5.8 (42.4) |
0.9 (33.6) |
−1.5 (29.3) |
7.3 (45.0) |
| સરેરાશ precipitation મીમી (ઈંચ) | 48 (1.9) |
68 (2.7) |
121 (4.8) |
85 (3.3) |
68 (2.7) |
39 (1.5) |
62 (2.4) |
76 (3.0) |
28 (1.1) |
33 (1.3) |
28 (1.1) |
54 (2.1) |
710 (27.9) |
| સ્ત્રોત: Meoweather | |||||||||||||
પ્રાણી સૃષ્ટિ
[ફેરફાર કરો]અહીંના ક્ષેત્રોમાં જંગલી રીંછ આજે પણ જોવા મળે છે અને ગામડાના લોકો સતત તેનાથી સાવચેત રહે છે. સીમાપારથી ગેરકાયદેસર પ્રવેશ ને રોકવા અહીં ભારતીય સેના સતત ચોકી ફેરા પર રહે છે અને તે હંમેશા સાવચેતીની ઉચ્ચ સ્તરે હોય છે. સ્થાનીય લોકોને શસ્ત્રો ન લેવાનો આદેશ હોવાથી અહીંના રીંછ લુપ્ત પ્રાયઃ થવાથી બચ્યા છે. નદીમાં ટ્રાઉટ અને સ્થાનીય ફાર્મમાં પ્રાણીની આપૂરતી હોવાને કારણે તેમને ખોરાકની તંગી રહેતી નથી. અહીં વાનરો પણ સારી સંખ્યામાં જોવા મળે છે મોટા ભાગના વાંદરાઓ શાંત અને શરમાળ છે, પણ તક મળતા તે પર્યટકો અને કેમ્પના લોકોનું ખાવાનું ચોરીને ભાગી જાય છે.
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી
[ફેરફાર કરો]અહીં વસંત દરમ્યાન અસંખ્ય ફૂલો ખીલી ઉઠે છે.
૨૦૨૫ પહલગામ હત્યાકાંડ
[ફેરફાર કરો]૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓએ લગભગ ૨૭ જેટલા પ્રવાસીઓની હત્યા કરી હતી.[૨] આ હત્યાકાંડમાં ત્રાસવાદીઓએ હિંદુ લોકોને અલગ કરીને અત્યંત નજીકથી ગોળીઓ મારી હતી.[૩]
છબીઓ
[ફેરફાર કરો]- પહલગામ ખીણ માં પકડેલી તાજી ટ્રાઉટ
- પહલગામ ખીણ (૧૯૮૫)
- પહલગામમાં પ્રવાસી ઘર
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Falling Rain Genomics, Inc - Pahalgam
- ↑ ત્રિવેદી, જિજ્ઞેશ (૨૨ એપ્રિલ ૨૦૨૫). "પહેલગામ આતંકી હુમલામાં ૨૭ પ્રવાસીઓના મોત, ૨૦થી વધુ ઘાયલ ભાવનગરના પ્રવાસી પણ ઈજાગ્રસ્ત". દૈનિક જાગરણ. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૨૫.
આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી છે.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "પહેલગામ આતંકી હુમલા સામે દેશભરમાં આક્રોશ:કલમા વાંચી શક્યા નહી, તો ગોળી મારી, લોકોએ કહ્યું- કાશ્મીરમાં જાતિ નહીં, ધર્મ પૂછ્યો; કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી". દિવ્ય ભાસ્કર. ૨૨ એપ્રિલ ૨૦૨૫. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૨૫.
આતંકવાદીઓએ તેના પિતાને કલમા વાંચવાનું કહ્યું હતું અને જ્યારે તેઓ તેને વાંચી શક્યા નહીં, ત્યારે આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)