પાનશેત બંધ (તાનાજી સાગર)
પાનશેત બંધ | |
---|---|
પાનશેત બંધ | |
India Maharashtraમાં પાનશેત બંધનું સ્થાન | |
અધિકૃત નામ | પાનશેત બંધ તાનાજી સાગર બંધ |
સ્થળ | વેલ્હે પુના જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18°23′15″N 73°36′46″E / 18.38750°N 73.61278°ECoordinates: 18°23′15″N 73°36′46″E / 18.38750°N 73.61278°E |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૭૨ |
માલિકો | મહારાષ્ટ્ર સરકાર |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | માટીકામ બંધ ગુરુત્વાકર્ષીય બંધ |
નદી | આંબી નદી |
ઉંચાઇ | 63.56 m (208.5 ft) |
લંબાઇ | 1,039 m (3,409 ft) |
બંધ કદ | 4,190 km3 (1,010 cu mi) |
પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે. આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.
પાનશેત પૂર[ફેરફાર કરો]
જુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.[૧]
પાનશેત પૂરની અસર[ફેરફાર કરો]
પાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "July 12, 1961... - Sakal Times". sakaaltimes.com. Retrieved ૧૦ એપ્રિલ ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ)
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર પાનસેત બંધ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |