ફિરાક ગોરખપુરી

વિકિપીડિયામાંથી
Firaq Gorakhpuri
فراق گورکھپوری
જન્મરઘુપતિ સહાય[૧]
(1896-08-28)28 August 1896
ગોરખપુર, ઉત્તર–પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ3 March 1982(1982-03-03) (ઉંમર 85)[૧]
નવી દિલ્હી, ભારત
ઉપનામફિરાક ગોરખપુરી فراق گورکھپوری
વ્યવસાયકવિ, લેખક, વિવેચક, વિદ્વાન, વ્યાખ્યાતા, વક્તા[૧]
ભાષાઉર્દૂ, અંગ્રેજી, હિન્દી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણઅંગ્રેજી સાહિત્યમાં એમ.એ.[૧]
માતૃ શિક્ષણ સંસ્થાઅલ્લાહાબાદ વિશ્વવિદ્યાલય
લેખન પ્રકારકવિતા, સાહિત્યિક વિવેચન
નોંધપાત્ર સર્જનોગુલ-એ-નગ્મા
નોંધપાત્ર પુરસ્કારોપદ્મભૂષણ (૧૯૬૮)
જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૯)
સાહિત્ય અકાદમી ફેલોશીપ (૧૯૭૦)
સહી

રઘુપતિ સહાય (૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ – ૩ માર્ચ, ૧૯૮૨) જેઓ તેમના ઉપનામ ફિરાક ગોરખપુરીથી પણ જાણીતા હતા, તેઓ એક ભારતીય લેખક, વિવેચક અને ભારતના સૌથી જાણીતા સમકાલીન ઉર્દૂ કવિઓમાંના એક હતા.[૧] તેમણે મોહમ્મદ ઇકબાલ, યાગના ચાંગેઝી, જીગર મોરાદાબાદી અને જોશ મલીહાબાદી સહિતના સાથીદારોમાં પોતાને પ્રસ્થાપિત કર્યા હતા.[૨][૩]

પ્રારંભિક જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

રઘુપતિ સહાયનો જન્મ ગોરખપુર જિલ્લાના બંવરપર ગામમાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ના રોજ એક સંપન્ન અને શિક્ષિત કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી પૂર્ણ કરી.[૧]

ફિરાકે ઉર્દૂ કવિતામાં ઉત્કૃષ્ટતાના પ્રારંભિક સંકેતો દર્શાવ્યા હતા જે તેમના સાહિત્ય પ્રત્યેના આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. તેમના સમકાલીનોમાં અલ્લામા ઇકબાલ, ફૈઝ અહમદ ફૈઝ, કૈફી આઝમી અને સાહિર લુધિયાનવી જેવા પ્રખ્યાત ઉર્દૂ કવિઓનો સમાવેશ થતો હતો. તેઓ નાની ઉંમરેથી જ ઉર્દૂ કવિતામાં પોતાનું સ્થાન જમાવી શક્યા હતા.[૧]

તેમની પસંદગી પ્રાંતીય સનદી સેવા (પી.સી.એસ.) અને ઇન્ડિયન સિવિલ સર્વિસ (બ્રિટિશ ઇન્ડિયા) (આઈ.સી.એસ.) માટે કરવામાં આવી હતી, પરંતુ તેમણે મહાત્મા ગાંધીની અસહકારની ચળવળને અનુસરવા માટે રાજીનામું આપ્યું હતું અને જેના માટે તેમને ૧૮ મહિનાની જેલની સજા થઈ હતી. ત્યાર બાદ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા. ત્યાં જ તેમણે તેમની મોટાભાગની ઉર્દૂ કવિતાઓ લખી હતી, જેમાં તેમની મહાન કૃતિ ગુલ-એ-નગ્માનો સમાવેશ થાય છે, જેણે તેમને ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર અને ઉર્દૂમાં ૧૯૬૦નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ અપાવ્યો હતો. તેમના જીવન દરમિયાન, તેમને અખિલ ભારતીય રેડિયો દ્વારા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)માં રિસર્ચ પ્રોફેસર અને પ્રોડ્યુસર એમેરિટસનું પદ આપવામાં આવ્યું હતું. લાંબી માંદગી બાદ ૩ માર્ચ ૧૯૮૨ના રોજ નવી દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.[૧]

ગોરખપુરી ગઝલ, નઝમ, રૂબાઈ અને કાટા જેવા તમામ પરંપરાગત મેટ્રિક સ્વરૂપોમાં સારી રીતે પારંગત હતા. તેમણે ઉર્દૂ કવિતાના એક ડઝનથી વધુ ગ્રંથો, અડધો ડઝન ઉર્દૂ ગદ્ય, હિંદીમાં સાહિત્યિક વિષયો પર કેટલાક ગ્રંથો તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક વિષયો પર અંગ્રેજી ગદ્યના ચાર ગ્રંથો લખ્યા હતા.

તેમના ભત્રીજા અજય માનસિંહ દ્વારા લિખિત તેમનું જીવનચરિત્ર, ફિરાક ગોરખપુરી: ધ પોએટ ઓફ પેઈન એન્ડ એક્સ્ટસી, ૨૦૧૫માં રોલી બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૪] આ પુસ્તકમાં તેમના જીવનના પ્રસંગો અને તેમની કેટલીક કૃતિઓના અનુવાદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કૃતિઓ[ફેરફાર કરો]

  • ગુલ-એ-નગ્મા گلِ نغمہ [૪]
  • ગુલ-એ-રા'ના گلِ رعنا
  • માશ'આલ مشعال
  • રુહ-એ-કાયેનાત روحِ کائنات
  • રુપ رُوپ (રુબાયી رُباعی )
  • શબનમિસ્તાન شبنمِستان
  • સરગમ سرگم
  • બઝ્મ-એ-જિંદગી રંગ-એ-શાયરી بزمِ زندگی رنگِ شاعری

પુરસ્કારો[ફેરફાર કરો]

૧૯૬૦ – ઉર્દૂમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૬૮ – પદ્મભૂષણ[૫] ૧૯૬૮ – સોવિયેટ લેન્ડ નેહરુ એવોર્ડ ૧૯૬૯ – જ્ઞાનપીઠ એવોર્ડ (ઉર્દૂ સાહિત્ય માટે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર)[૬][૪] ૧૯૭૦ – સાહિત્ય અકાદમી ફેલોશિપ ૧૯૮૧ – ગાલિબ એકેડેમી એવોર્ડ

મૃત્યુ અને વારસો[ફેરફાર કરો]

ફિરાક ગોરખપુરીનું ૩ માર્ચ ૧૯૮૨ ના રોજ ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું.[૧] ફિરાક આખી જિંદગી બિનસાંપ્રદાયિકતા માટે લડ્યા અને ઉર્દૂને મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવવાના તત્કાલીન સરકારના પ્રયાસ સામે મહત્ત્વની ભૂમિકા ભજવી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ Remembering the greatest Urdu poet since Ghalib, Firaq Gorakhpuri. India Today. 3 March 2016
  2. Lucknow Christian Degree College to celebrate 150 years of glory. Times of India. 23 November 2012
  3. Peace was his obsession (IK Gujral used to quote Firaq Gorakhpuri) સંગ્રહિત ૨૦ મે ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. tehelka.com. 5 December 2012
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Books reflect a political fever. Times of India. 23 January 2015
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 May 2018.
  6. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. મૂળ માંથી 13 October 2007 પર સંગ્રહિત. મેળવેલ 7 May 2018.

બાહ્ય કડી[ફેરફાર કરો]