ભજીયાં
ભજીયાં એ વિવિધ શાકને ચણાના લોટ (બેસન)ના ખીરામાં રગદોળી ને બનતું એક તળેલું ફરસાણ છે. આ વાનગી ઝડપથી બની જાય છે માટે કોઈ મહેમાન આવ્યાં હોય ત્યારે ગૃહીણીઓ ભજીયાંને તાજા નાસ્તા તરીકે પ્રાધાન્ય આપે છે. ભજીયાંમાં કદની દ્રષ્ટીએ મુખ્ય ભાગ શાક કે ઘટક તત્વનો હોય છે અને ખીરું તેની સપાટીને ઢાંકે છે. આ સિવાય જો ચણાના લોટના ખીરાંમાં મેથીની ભાજી, વગેરે ઉમેરીને દડી જેવા ભજીયા બને છે તેને ગોટાં કે ડબકાં કહે છે અને બટાકાંના મસાલેદાર માવાના ગોળા ખીરામાં રગદોળીને તળેલી વાનગીને બટેટાવડાં કહે છે.
આ વાનગીને નાસ્તા તરીકે અને ભોજનમાં ફરસાણ તરીકે ખવાય છે. વરસતાં વરસાદમાં કાંદા કે અન્ય ભજીયાં ખાવાને એક લહાવો મનાય છે. મુંબઈ જેવા શહેરોમાં વડાપાવની જેમ ભજી-પાવ પણ ખવાય છે.
ખીરું એ ભજીયાનો મહત્વનો ભાગ છે જે ભજીયામાં સ્વાદ આપે છે. ચણાનો લોટ, મીઠું, ખાંડ (સાકર/મોરસ), સૂકું લાલ મરચું, લીલું મરચું, હળદર, ખાવાનો (મીઠો) સોડા અને ગરમ તેલનું મોણ એ ખીરાંના મુખ્ય ઘટક તત્વો હોય છે. સ્વાદ અનુસાર આ ઘટક તત્વો ઓછાવધુ કરી શકાય છે. ખીરામાં પલાળેલા પૌંઆ, ચોખાનો લોટ કે અન્ય પદાર્થો ઉમેરીને ભજીયાને કરકરાં બનાવી શકાય છે.
વિવિધરૂપો
[ફેરફાર કરો]

રસોઈયાની કલ્પના પ્રમાણે વિવિધ વસ્તુઓનાં ભજીયાં બનાવી શકાય છે. અમુક પ્રચલિત ભજીયાં આ મુજબ છે.
- બટેટાંનાં ભજીયાં[૧]
- કાંદા (ડુંગળી)નાં ભજીયાં
- રતાળુનાં ભજીયાં
- કેળાંનાં ભજીયાં
- લાલ કોળાનાં ભજીયાં
- ફ્લાવરનાં ભજીયાં
- રીંગણનાં ભજીયાં બેગુની
- તૂરિયાં અને ગલકાંનાં ભજીયાં
- સૂરણનાં ભજીયાં
- પનીરનાં ભજીયાં
- બ્રેડ-પાઉંનાં ભજીયાં
- કેરીનાં ભજીયાં
- કારેલાંનાં ભજીયાં
- અળવીનાં ભજીયાં
- પોઈનાં પાનનાં ભજીયાં
- અજમાનાં પાનના ભજીયાં
- પાલકનાં ભજીયાં
- સંભારીયા કેળાંનાં ભજીયાં
- કારેલાનાં ખલવાં
- ભજીયાંની કણી
સંદર્ભ
[ફેરફાર કરો]http://www.easyindianfoodrecipes.info/gujrati-recipe/gujrati-snacks-recipe-bhajiya.html સંગ્રહિત ૨૦૧૩-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન
- ↑ "Bhajiya Popular Gujrati Snack". મૂળ માંથી 2013-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-29.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)