ભોગીન્દ્ર દીવેટીયા

વિકિપીડિયામાંથી
ભોગીન્દ્ર દીવેટીયા
ભોગીન્દ્ર દીવેટીયા
ભોગીન્દ્ર દીવેટીયા
જન્મ(1875-04-01)1 April 1875
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુ26 November 1917(1917-11-26) (ઉંમર 42)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાયનવલકથાકાર, વાર્તાકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીકૌમુદી બહેન[૧]

ભોગીન્દ્ર રત્નલાલ દીવેટીયા ગુજરાતી સાહિત્યકાર હતા. 'સાર્જન્ટ રાવ' તથા 'સુબંધુ' એ ઉપનામ હેઠળ તેમણે સાહિત્યરચનાઓ પ્રગટ કરી છે.[૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧ એપ્રીલ ૧૮૭૫ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું.[૨] ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ૧૯૦૨-૦૩ દરમ્યાન તેમણે કાલોલ, રાજકોટ ધોલેરા જેવા સ્થળોએ નોકરી કરી હતી. ૧૯૦૩માં તેમણે 'સુંદરીસુબોધ'નું નામના સામાયિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ૧૯૦૫માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૦૬-૦૭ દરમ્યાન અમદાવાદની નેટિવ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૦૬માં તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનદ્ મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૧૧-૧૭ દરમ્યાન તેઓ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેઓ ૨૬ નવેમ્બર ૧૯૧૭ના રોજ મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા.[૩]

૨૦ ફેબ્રુઆરી ૧૯૦૦ના રોજ કૌમુદીબહેન સાથે તેમના લગ્ન થયા હતા.[૪][૫]

સાહિત્ય રચનાઓ[ફેરફાર કરો]

કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈ જેવા લેખકોના પૂરોગામી યુગના આ લેખકોમાંના એક એવા ભોગીન્દ્ર દીવેટીયાના લેખન પર વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામનો પ્રભાવ હતો.

તેમની 'અજામિલ' નવલકથા ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોની નવલકથા 'લા મિઝરાબ્લ'નું ગુજરાતી રૂપાંતર છે. તેમની નવલકથા 'કૉલેજિયન' 'સમાલોચક' સામાયિકમાં ધારાવાહિ સ્વરૂપે ૧૯૧૭ના જાન્યુઆરીથી છપાવી શરૂ થઈ હતી. તેના નવ હપ્તા છપાયા બાદ નવેમ્બરમાં લેખકનું અવસાન થતા, આ નવલકથાનો બાકીનો ભાગ લેખના પત્ની કૌમુદી દિવેટિયાએ પૂરો કર્યો હતો.[૬]

પ્રકાશનો[ફેરફાર કરો]

  • બંધુ સમાજ હેઠળ સુંદરીસુબોધ - સામાયિક (૧૯૦૩)
  • સુમતિ, મેઘનાદ, નાગર - પત્રો (૧૯૦૪-૧૯૦૬)

નવલકથાઓ[ફેરફાર કરો]

  • મૃદુલા (૧૦૯૭) ,
  • ઉમાકાન્ત (૧૯૦૮),
  • તરલા (૧૯૧૪) - ટોલ્સ્તટૉયની એના કેરેનીના અધારે
  • ચમેલી(૧૯૧૦), સિતારનો શોખ (૧૯૧૧) ટોલ્સટોયની વાતો (૧૯૧૨) બે ભાગ - ટોલ્સટૉયની રચનાઓના અનુવાદ
  • આસિસ્ટન્ટ કલેક્ટર (૧૯૧૪) અંગ્રેજી લેખક પેનીની ધ ઈનએવિતેબલ લૉ પર અધારિત
  • મોહિની(૧૯૦૪)અંગ્રેજી લેખક હેન્રી વૂડની ધ ડેન્સબરી હાઉસ પર અધારિત
  • અજામિલ (૧૯૧૭)અંગ્રેજી લેખક વિક્ટર હ્યુગોની લામિઝરેબલ પર અધારિત
  • અન્ય નવલકથાઓ - સ્નેહ કે મોહ, કૉલેજિયન, રસિકચંદ્ર - ભાગ ૪,તેલીફોન, રાજમાર્ગનો મુસાફર, સ્ત્રીઓ ને સમાજસેવા, જીવનકલા, લગ્ન ધર્મ કે કરાર, દીવાળી કે હોળી, લલિત કુમાર,

લઘુ નવલ[ફેરફાર કરો]

સોલિસિટર (૧૯૦૭), લગ્નબંધન (૧૯૧૮), જ્યોત્સના (૧૯૩૩)

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવન ચરિત્ર ટોલ્સટોયનું જીવન ચરિત્ર

અન્ય[ફેરફાર કરો]

ઇંગ્લંડનો ઇતિહાસ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઉષાકાંત. અમદાવાદ: ગોવર્ધનરામ ત્રિપાઠી. ૧૯૧૯. પૃષ્ઠ 8.
  2. ૨.૦ ૨.૧ ગુજરાતી વિશ્વકોષ - ખંડ ૯. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 199૭.
  3. ગુજરાતી સાહિત્ય કોષ -ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી ષાહિત્ય પરિષદ. 1990. પૃષ્ઠ 238.
  4. પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (1965). પંડ્યા, ઉપેન્દ્ર (સંપાદક). શ્રીયુત ગોવર્ધનરામ (બીજી આવૃત્તિ). મુંબઈ: N. M. Tripathi Pvt. Ltd. પૃષ્ઠ 360.
  5. તોલાટ, શાંતીલાલ ગુલાબદાસ (૧૯૩૪). ભોગીન્દ્રરાવ દીવેટીઆ (જીવન, સમય અને સાહિત્ય). અમદાવાદ: દીવેટીઆ ઍન્ડ સન્સ. પૃષ્ઠ ૨૫૮. OCLC 35740106.
  6. ઠાકર, ધીરુભાઈ (2016). અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા - ૩ (સાક્ષરયુગ). અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૦૩. ISBN 978-93-5162-235-0 Check |isbn= value: checksum (મદદ). Unknown parameter |ignore-isbn-error= ignored (|isbn= suggested) (મદદ)

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]