મિસળ

વિકિપીડિયામાંથી
મિસળ (એટલે પોરુરી)

મિસળ (મરાઠી:मिसळ), અર્થાત્ "મિશ્રણ", એ મહારાષ્ટ્રની એક સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં પણ ખવાય છે. આ વાનગી બનાવવામાં સરળ છે, સસ્તી છે અને પૌષ્ટીક છે. મિસળનો સ્વાદ મધ્યમ તીખો થી અત્યંત તીખો હોઈ શકે છે. ખાણીપીણી બજારમાં પણ મિસળ એ અત્યંત લોકપ્રિય વાનગી છે. ગુજરાતમાં એ સેવ ઉસળ તરીકે ઓળખાય છે.[૧]

આ વાનગીનું ઉદગમ મહારાષ્ટ્રનો દેશ ક્ષેત્ર છે.[સંદર્ભ આપો]

ઘટકો[ફેરફાર કરો]

મિસળ બનાવવા વપરાતા ઘટકો નીચેના બધાં કે અમુક ઘટકો મિશ્ર કરાવી બનાવી શકાય છે:

આના ઘટક પદાર્થોના થર કરીને પીરસાય છે.[૨]. સૌથી નીચે મઠની ઉસળ હોય છે. ઉસળ એ ફણગાવેલા કઠોળનું ટમેટાં અને કાંદા નાખી તૈયાર કરેલ રસાવાળું શાક છે. આ વાનગીની પૌષ્ટિકતા ફણગાવેલ કઠોળમાંથી જ આવે છે. મિસળને પાંઉ સાથે પીરસાય છે અને તે વાનગીને મિસળ-પાંઉ કહે છે. મિસળનો સૌથી મહત્વનો ભાગ એ રસો છે તેને ટારી, કાટ કે પોરુરી પણ કહે છે. કોલ્હાપુરી મિસળમાં પૌઆ નથી વપરાતાં. કોલ્હાપુરની ફડતરેની મિસળ પ્રખ્યાત છે, [૨] અને તે વધુ તીખી હોય છે.

દહીં મિસળ પણ અત્યંત લોકપ્રિય છે તેમાં ઉસળનો સ્વાદ વધારવા દહીં ઉમેરવામાં આવે છે.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Roday, S. (1999). Hygiene and Sanitation in Food Industry. Tata McGraw-Hill. પૃષ્ઠ 110. ISBN 0074631780. મેળવેલ 2009-02-09.
  2. ૨.૦ ૨.૧ Ghore, Anjali. "Upper Crust:India Food, Wine and Style Magazine". મૂળ માંથી 2007-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-09.