રાજગુરુ
રાજગુરુ | |
---|---|
![]() | |
જન્મ | ૨૪ ઓગસ્ટ ૧૯૦૮ ![]() રાજગુરુનગર ![]() |
મૃત્યુ | ૨૩ માર્ચ ૧૯૩૧ ![]() |
વ્યવસાય | ક્રાંતિકારી ![]() |
શિવરામ હરી રાજગુરુ (મરાઠી: शिवराम हरी राजगुरू) (૨૪ ઓગસ્ટ ૧૯૦૮ - ૨૩ માર્ચ ૧૯૩૧) ક્રાંતિકારી હતા. તેઓ મહારાષ્ટ્રનાં વતની હતા અને દેશષ્થ બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં "રાજગુરુનગર" થી ઓળખાય છે.
લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે રાજગુરુએ ભગત સિંહ અને સુખદેવ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી. આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |