માર્ચ ૨૩
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૩ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૨મો(લિપ વર્ષ દરમ્યાન ૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૮૯ - 'અહેમદીયા મુસ્લીમ સમાજ'નીં,'હઝરત મિર્ઝા ગુલામ એહમદ' દ્વારા,કાદિયાન (Qadian),ભારતમાં સ્થાપના થઇ.
- ૧૯૦૩ - રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનનીં શોધનાં હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
- ૧૯૧૯ - મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
- ૧૯૩૧ - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવએ ફાંસીનાં દોરડાને ગળે લગાડ્યું વંદે માતરમ્.
- ૧૯૩૩ - એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
- ૧૯૪૦ - "ઓલ ઇન્ડીયા મુસ્લિમ લીગ"ની વાર્ષિક સામાન્ય સભામાં 'લાહોર ઠરાવ' રજુ થયો.
- ૧૯૪૨ - બીજું વિશ્વ યુદ્ધ : હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો.
- ૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
- ૨૦૦૧ - રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૯૩ - જી.ડી.નાયડુ (G. D. Naidu) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતીય સંશોધક અને ઇજનેર (જેઓ ભારતનાં 'એડિસન' તરીકે પ્રખ્યાત હતા) (મૃ. ૧૯૪૭)
- ૧૯૧૦ - ડો. રામમનોહર લોહિયા પ્રખર ગાંધીવાદી તેમ જ સ્વાતંત્ર્ય સેનાની.
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૩૧ - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, ભારતની આઝાદીનાં લડવૈયાઓ,ક્રાંતિકારીઓ.
- ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્ત ભારતીય સૈનિક.(જ. ૧૯૧૩)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- પાકિસ્તાન - રાષ્ટ્રીય દિન (ગણતંત્ર દિવસ).
- હંગેરી,પોલેન્ડ - હંગેરી,પોલેન્ડ મૈત્રી દિવસ.