જુલાઇ ૧૫

વિકિપીડિયામાંથી

૧૫ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૧૦ – એમિલ ક્રેપેલિને તેમના પુસ્તક ક્લિનિકલ સાઇકિયાટ્રીમાં તેમના સાથી એલોઇસ અલ્ઝાઇમરના નામ પરથી ચેતાપેશી અપભ્રંશની પરિસ્થિતિને અલ્ઝાઇમર રોગનું નામ આપ્યું.
  • ૧૯૫૫ – અઢાર નોબેલ પારિતોષિક વિજેતાઓએ પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ મૈનાઉ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, બાદમાં અન્ય ૩૪ લોકોએ સહ-હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૭૯ – વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું.
  • ૨૦૦૨ – પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ડેનિયલ પર્લની હત્યાની શંકામાં બ્રિટિશ મૂળના અહમદ ઓમર સઈદ શેખને ફાંસીની સજા અને અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારી.
  • ૨૦૦૬ – સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર શરૂ કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૬૦૬ – રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન, ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી (અ. ૧૬૬૯)
  • ૧૭૮૩ – જમશેદજી જીજીભાઈ, પારસી-ભારતીય વેપારી અને પરોપકારી (ફિલાન્થ્રોપીસ્ટ) (અ. ૧૮૬૯)
  • ૧૯૦૩ – કે. કામરાજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)ના સંસ્થાપક નેતા અને તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી. (અ. ૧૯૭૫)
  • ૧૯૦૬ – આર. એસ. મુગલી, કન્નડ ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા કવિ અને શિક્ષણવિદ્ (અ. ૧૯૯૩)
  • ૧૯૧૨ – બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન, મહાવીર ચક્ર વિજેતા ભારતીય સૈન્ય અધિકારી. (અ. ૧૯૪૮)
  • ૧૯૧૫ – લેફ્ટનન્ટ જનરલ કાશ્મીર સિંહ કાટોચ, ભારતીય સૈન્ય અધિકારી (અ. ૨૦૦૭)
  • ૧૯૩૩ – એમ. ટી. વાસુદેવન નાયર, ભારતીય લેખક અને પટકથા લેખક
  • ૧૯૩૭ – પ્રભાષ જોશી, ભારતીય પત્રકાર (અ.૨૦૦૯)
  • ૧૯૫૬ – અશોક સેન, ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૦૪ – એન્તોન ચેખવ, રશિયન વાર્તાકાર અને નાટ્યકાર (જ. ૧૮૬૦)
  • ૧૯૬૭ – બાલ ગંધર્વ, મરાઠી નાટકોમાં સ્ત્રી પાત્રો તરીકેની ભૂમિકાઓ માટે જાણીતા મંચ અભિનેતા અને મરાઠી ગાયક.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]