જૂન ૨૯

વિકિપીડિયામાંથી

૨૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૫૩૪ – જેક્સ કાર્ટિઅર પ્રિન્સ એડવર્ડ ટાપુ પર પહોંચનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૬૧૩ – વિલિયમ શેક્સપીયરની રંગમંચ ટુકડી દ્વારા નિર્મિત લંડનના ગ્લોબ થિયેટરમાં આગ લાગી.
  • ૧૯૦૦ – નોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ.
  • ૧૯૭૬ – સેશેલ્સ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • ૧૯૮૭ – વિન્સેન્ટ વેન ગોનું પેઇન્ટિંગ, લે પોન્ટ ડી ટ્રિન્કટેઇલ, લંડન, ઇંગ્લેન્ડમાં હરાજીમાં ૨૦.૪ મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું.
  • ૧૯૯૫ – સ્પેસ શટલ પ્રોગ્રામ: એસટીએસ-૭૧ મિશન, અવકાશયાન એટલાન્ટિસ પ્રથમ વખત રશિયન અવકાશ મથક ‘મીર’ (Mir) સાથે જોડાયું.
  • ૨૦૦૨ – દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે નૌકાદળની અથડામણને કારણે દક્ષિણ કોરિયાના છ ખલાસીઓ મૃત્યુ પામ્યા અને ઉત્તર કોરિયાના જહાજ ડૂબી ગયા.
  • ૨૦૦૭ – એપલ ઇન્ક. કંપનીએ તેનો પહેલો મોબાઇલ ફોન આઇફોન બહાર પાડ્યો.
  • ૨૦૧૪ - ઇરાક અને સિરિયામાં સક્રિય ઉગ્રવાદી ઇસ્લામિક સૈન્ય સમૂહ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવન્ટસિરિયા અને ઉત્તરી ઈરાકમાં પોતાના ખલીફાની સ્વ-ઘોષણા કરી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૫૮ – જ્યોર્જ વોશિંગ્ટન ગોએથલ્સ, પનામા નહેરના નિર્માતા ઇજનેર (અ. ૧૯૨૮)
  • ૧૮૬૪ – આશુતોષ મુખર્જી, ખ્યાતનામ બેરિસ્ટર અને શિક્ષણવિદ્ (અ. ૧૯૨૪)
  • ૧૮૯૩ – પી.સી.મહાલનોબિસ, ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી (અ. ૧૯૭૨)
  • ૧૯૩૮ – નારાયણ સ્વામી (ભજનીક), ભજનના ગાયક કલાકાર (અ. ૨૦૦૦)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૭૩ – માઇકલ મધુસુદન દત્ત, ભારતીય કવિ અને નાટ્યકાર (જ. ૧૮૨૪)
  • ૧૯૬૬ – ડી. ડી. કૌશામ્બી, ભારતીય ગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનીતિક વિચારક (જ. ૧૯૦૭)
  • ૧૯૮૬ – સી. એચ. ભાભા, પારસી ઉદ્યોગપતિ અને સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં વાણિજ્યમંત્રી (જ. ૧૯૧૦)
  • ૧૯૮૯ – યશોધર મહેતા, ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર (જ. ૧૯૦૯)
  • ૧૯૯૯ – સૌરભ કાલિયા, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના એક અધિકારી (જ. ૧૯૭૬)
  • ૧૯૯૯ – વિજયંત થાપર, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના એક અધિકારી
  • ૨૦૧૧ – કે. ડી. સેઠના, ભારતીય કવિ, વિદ્વાન, લેખક, ફિલસૂફ અને સાંસ્કૃતિક વિવેચક (જ. ૧૯૦૪)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]